ગુરૂવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે

0
184

ગુરૂવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે ….

આ વર્ષે શ્રાવણ વદમાં બે છટ છે જેમાં છઠ્ઠની વૃધ્ધિ તિથી પ્રમાણે તા . ૨૧ ૮ – ૧૯ના દિવસે આખો દિવસ છઠ્ઠ તિથી છે આથી બુધવારે રાંધણ છઠ્ઠ ગણાશે ત્યારબાદ ગુજરાતનાં મુખ્ય પંચાગો અને જયોતિષ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે | જોઈએ તો ગુરૂવારે તા . ૨૨ – ૮ – ૧૯ના દિવસે સવારનાં ૭ . ૭ કલાક સુધી છઠ્ઠ છે . |………..

ત્યારબાદ સાતમતિથિ બેસી જાય છે . આમ ગુરૂવારે શિતળા સાતમ ઉજવાશે . જ્યારે શુક્રવારે સાતમ સવારનાં ૮ . ૦૯ કલાક સુધી જ છે . ત્યારબાદ આઠમ તિથી બેસી જાય છે . આથી આ તિથિ શિવપંથીની કૃણજયંતિની ગણાય પરંતુ ગોકુળ મથુરામાં વૈષ્ણવપંથી જન્માષ્ટમી ઉજવાય છે . ………

આ પ્રમાણે શનિવારે તા . ૨૪ – ૮ – ૧૯ના ઉધ્યાન આઠમ તિથિ પણ છે અને રાત્રી ૧૨ વાગ્યે રોહિણી | | નક્ષત્ર પણ છે . આમ જન્માષ્ટમી શનિવાર ઉજવાશે . આમ શિતળા સાતમ અને જન્માષ્ટમી વચ્ચે એક દિવસનો ગેપ રહેશે . ……………

રાંધણ છઠ્ઠ બુધવારે તા . ૨૧ – ૮ – ૧૯ શિતળા સાતમ ગુરૂવારે તા . ૨૨ – ૮ – ૧૯ જન્માષ્ટમી શનિવારે ૨૪ – ૮ – ૧૯હ્ના રોજ પંચાગના નિયમ પ્રમાણે રહેશે . – શાસ્ત્રી રાજદીપ જોષી ( વૈદાંત રત્ન )……….. …….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here