માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે દરેક યુવાન ફરજિયાત આખું વાંચે

0
230

દરેક યુવાન ફરજિયાત આખું વાંચે*

ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે …

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન ભલે આપણે ગાઈયે, પણ વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણાં *’હલકાં’* છીએ …

આજે પણ તમો જોતાં હશો કે,

?૮૦% બુઢ્ઢા માબાપને જમવા અલગ બેસાડાય છે …

?૨૦% માબાપને સગવડતા હોય તોય ઘરવાળીના ડરથી  અલગ રખાય છે …

? ૯૦% પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને ચુમી ઉઠે છે, તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ લબાડવેડા કરી ભેટી પડે છે…

પણ ઘરમાં બા-બાપુજી ને ‘કેમ છો બા ?’ કહેતાં નથી !!!

? ૭૦% મા-બાપો ઘરડાં થાય ને કંઈ પણ બોલે… તો  “તમને ખબર નો પડે …!”  એમ કહીને ચૂપ કરાય છે …

?૯૦% ઘરડાં માતપિતાને દિકરાઓ તેના પૈસા બાબતે પુછતાં નથી !  ભીખની જેમ રુ. માંગવા પડે છે …

જેવું કરશો તેવું ભરશો …

એ મુજબ અમારા સર્વે પ્રમાણે જે લોકો માબાપને એકલાં છોડી મુકે છે કે માન સન્માન આપતાં નથી, તેમનાં પોતાનાં ઘડપણ વખતે તેનાંથી પણ વધુ બુરા હાલ થાય જ છે …અમુક કુટુંબોમાં તો આ પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય છે .

માબાપો કુતરાંની જેમ બિચારાં થઈ જીવતાં હોય ..,

ને આવી સાયકલ પેઢી દર પેઢી ચાલું જ હોય…

ખરેખર આવા કુટુંબોમાં સંસ્કાર, શિષ્ટતા અને કેળવણીમાં જ ખોટ હોય છે … ?

સમજો … વિચારો … યુવાનો …

૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને, જ્યારે તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય …

ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો ચાલ્યાં જાય …

ઓટા-ચોરાના મિત્રો એક પછી એક ચાલ્યાં જાય …

૮૦-૯૦ વર્ષે તો તેના તમામ સાથીદાર, મિત્રો ચાલ્યાં જાય ….

જેની સાથે જીવવું છે તે તમામ નવાં ?

ઉંમરને લીધે શરીર સાથ ના દે …
સંભળાય નહીં ..

ભાષા ના શબ્દો, ટેકનોલોજી, રહેનસહેન, ફેશન પળપળ બદલાતી હોય ત્યારે, બધાં સાથે સંકલન અશક્ય બની જાય …

ત્યારે જીવવું એ જ બોજ બની જાય ….

માનવ જિંદગીનો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે….

આવા સમયે પુત્ર – પુત્રવધૂઓએ પોતાનાં બાળપણને યાદ કરવું જોઈએ …

જન્મથી જ આપણને ખાતાં, ચાલતાં, બોલતાં ને આ દુનિયાના આટાપાટા જેણે ખંત અને મહેનતથી શીખવ્યા હોય …

તેને જ્યારે જરુર પડે ત્યારે આટલા બધાં હલકટવેડા ????

વિચારો ….

માતપિતાને તરછોડીને આ દુનિયામાં કોઈ જ સુખી થયું નથી…
થવાનું નથી…

કુતરાંના મોતે ના મરવું હોય અને ઘડપણમાં સુખેથી જીવવું હોય તો,

માબાપની પોતાનાં ભુલકાં જેટલી જ કાળજી લો.

“કેમ છો બા ? કેમ છો બાપુજી ?”….આટલાં શબ્દો જ તેમને ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે.
લખી લો …

*❤ માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે. *તેને ભરપુર પ્રેમ કરો …❤*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here