મોહિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

0
235

૧૪ , મોહિની એકાદશી વૈશાખ સુદ -૧૧ ) . યુધિષ્ઠિરે પૂછયું : જનાઈની વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આાવે છે ? એનું ફળ શું હોય છે ? એના માટે કઈ વિધિ છે ? ‘ શ્રી કૃષ્ણ બોલ્યા : ‘ શજ પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રીરામે વશિષ્ઠજીને આ વાત પૂછી હતી કે જે આજે તમે મને પૂછી રહ્યા છો . ‘ શ્રીરામે કહ્યું : ‘ ભગવાન ! જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુ : ખોનું નિવારણ કરનાર , વ્રતોમાં ઉત્તમદ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું . ” વશિષ્ઠજી બોલ્યા : ‘ શ્રીરામ ! તમે ઘણી ઉત્તમ વાત કહી છે . તમારું નામ લેવાથી મનુષ્ય બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે , છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ . વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે , એનું નામ ‘ મોહિની ’ છે . એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે . એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે . ” સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે . ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતાં હતાં . એ જ નગરમાં એક વેશ્ય રહેતો હતો કે જે ધનધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો . એનું નામ પણ ધનપાલ હતું . એ હંમેશાં પુણ્ય કામમાં જ મગ્ન હેતો હતો . પ્રજા માટે પરબો , તળાવો , કૂવા , ધર્મશાળા , બગીચાઓ અને ઘરો બનાવડાવતો . શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો . એ હંમેશાં શાંત રહેતો . એના પાંચ પુત્રો હતો . સુમતિ , કિર્તીબુદ્ધ , મેઘાવી , સકૃત અને ધૃષ્ટબુદ્ધિ પાંચમો પુત્ર હતો . એ હંમેશાં મોટા પાપોમાં જ સલગ્ન એતો . જુગારમાં એની ઘણી આસક્તિ હતી . વેશ્યાઓને મળવા માટે એ લાલાયિત હેતો . એનું મન નતો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતા તથા બ્રાહ્મણોને માન આપાતો , અધર્મના માર્ગ પર ચાાાલીને પીતાનુ  ધન બરબાદ  કરતો .

મોહિની એકાદશી। Mohini Ekadashi । વૈશાખ સુદ અગિયારસ વારતા

એક દિવસ ને વેશ્યાના ગળામાં હાથ રાખીને  ફરતો જોવા મળ્યો , ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો . હવે દીવસ રાત દુઃખ અને શોકમાં ડુબી  ગયો અને અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જયાં ત્યાં ભટકવા લાગ્યો . એક દી વસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌન્ડિન્ધના આશ્રમ પર જઈ પહોંચ્યો . વૈશાખનો મહિનો હતો , તપોધન કૌન્ડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા . દુષ્ટબુદ્ધિ શોકથી પિડિત થઈને મુનિવર કૌડિન્ય પાસે ગયો અને હાથ જોડીને તેમની ક્ષમણ ઊભો રહીને બોયો શ્રેષ્ઠ ! મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણધના પ્રભાવથી મારી બુક્તિ થાય . ’ કૌન્ડિન્ય બો ૯ યા ? ‘ વૈશાખના શુક્લ પક્ષમાં ‘ મોહિની ’ નામની મસિદ્ધ એકાદશીનું વ્રત કર , આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી માણીખોના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડાં પ્લા પાપો પણ નષ્ટ થઈ જાય છે . ‘ વશિષ્ઠજી કહે છે ? ‘ શ્રીરામ ! મુનિના આ વચનો સાંભળીને ઇષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું . એણે કૌન્ડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું . નૃપશ્રેષ્ઠ ! આ વ્રતના પાલનથી ને નિષ્પાપ થઈ ગયો અને હિદયદેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ તાઈને બધા પ્રકારના ઉદ્ધવોથી ૨ હિત શ્રી વિષ્ણધામમાં ગયો . આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે , એવાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here