સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી

0
278

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરતા મુખ્ય મં ત્રીશ્રીવર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્ર ધાન મંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત સરકારનું આગવું કદમસ્કા ય ખોલશે કિસાન સમૃધ્ધિના નવા દ્વારઃ-

નાયબ મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણી :-સમગ્ર દેશમાં સૌ પ્રથમ અમલ કર વાનું ગૌરવ ગુજરાતને મળશેપોતાના જ ખેતરમાં સૌર ઊર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત કરી શકશે ગુજરાતનો કિસાન ખેતી વિષયક વીજ વપરાશ બાદ વધતી સૌર ઊર્જા-વીજળી સરકારને વેચી આર્થિક સમૃધ્ધિ મેળવશેસોલાર પેનલ માટેના કુલ ખર્ચના માત્ર પાંચ ટકા રકમ ખેડૂતે ભરવાની થશેકેન્દ્ર-રા જ્ય સરકારની ૬૦ ટકા સબસીડીરાજ્યના ખેડૂતોને ૧૨ કલા ક વીજળી મળશેસૌર ઊર્જા થકી ખેતરમાં દિવસે વીજળી-પાણી મળશેઊર્જા મંત્રીશ્રી :-

રાજ્ય સરકાર ખેડૂત વતી ૩પ ટકા રકમની ૭ વર્ષમાટે સસ્તા વ્યાજની લોન લેશેરાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૧૩૭ ફીડર ‘સ્કાય’ પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટરાજ્ય સરકાર ૨૫ વર્ષ સુધી લાભાર્થી ખેડૂત પાસેથી વધારાની વીજળી ખરીદશેસાત વર્ષ માટે રૂા. ૭ પ્રતિ યુનિટના ભાવે અને બાકીના ૧૮ વર્ષ માટે રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટના ભાવે સરકાર વીજળી ખરીદશેસ્કાય માટેનું ખેડૂતનું મૂડી .

રોકાણ વીજ વેચાણથી ૮ થી ૧૮ માસમાં જ તેને પરત મળી . જશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ખેડૂતોને સૌર ઊર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશકિત કિસાન યોજના SKYની જાહેરાત કરી છે.

મુખ્ય મંત્રી શ્રીએ આ યોજનાની જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતના ખેડૂતો બાવડાના બળે અને પરિશ્રમની પરાકષ્ટા સર્જીને ધરતી માંથી સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. રાજ્ય સરકારે ખેડૂતો ને પુરતી વીજળી,પાણી, ખાતર અને આધુનિક કૃષિ જ્ઞાનઆપી ને કૃષિ વિકાસ દર ડબલ ડીઝીટે પહોંચાડ્યો છે. હવેસૂર્ય શક્તિ નો ખેતી વપરાશ માટે ઊર્જા ઉત્પાદનમાં વિનિયોગ કરીને આ ધરતી પુત્રોને વધુ સિંચાઈ અને વધારાની વીજળીના વેચાણ દ્વારા આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જવા આ નવતર યોજના શરૂ કરી છે.

મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ સ્કાય યોજનાની ઉપયોગીતા અને વિશેષતાઓની વિસ્તૃત જાણકારી ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આજે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.ઊર્જા મંત્રીશ્રી એ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની કિસાન હિતલક્ષી સંવેદનાની પરિપાટીએ રાજ્ય સરકારે જાહેર કરેલી SKY -સ્કાય યોજના વર્ષ ર૦રર સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પમાં આ યોજના પૂરક બનવાની છે.ઊ

ર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સૌરશકિત-સૂર્યશકિતનું મહત્તમ ઉત્પાદન વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત ના તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન થયુ છે.આ સૌર ઊર્જાથી હવે રાજ્યના ધરતીપુત્રો ખેતી વિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને તેનો ઉપયોગ સિંચાઇ માટે કરી શકે તેવો કિસાન હિતકારી આશય આ સ્કાય યોજનાનો છે તેમ ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.શ્રી સૌરભભાઇ પટેલે આ સ્કાય યોજનાની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્કાય-સૂર્ય શકિત કિસાન યોજના એ રાજ્યના ધરતીપુત્રો માટે વિકાસની ઊંચી ઊડાન બની રહેશે.

ખેડૂત અને રાજ્ય સરકાર બેય માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરનારી આ સ્કાય યોજનામાં ધરતીપુત્ર સોલાર પેનલ પોતાના ખેતરમાં લગાવીને જે સૌર ઊર્જા ઉત્પન્ન કરશે તેની પોતાના કૃષિ વિષયક વપરાશની વીજ ળી બાદ વધેલી વીજળી રાજ્યની વીજ કંપનીઓને વેચાણ થી આપશે અને તે માટે તેને વધારાની આવક પણ મળતી થ શે.

ધરતી પુત્રો સ્કાય યોજનાનો લાભ લેવા માટે જે મૂડી રો કાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળીના વેચાણ દ્વારા ૮ થી ૧૮ માસમાં જ પરત મળી જશે તેમ પણ શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું.સમગ્ર દેશમાં આ અભિનવ યોજના અમ લમાં મૂકવાનું ગૌરવ ગુજરાતને મળશે તેમ જણા વતાં ઊર્જા મંત્રીએ કહ્યું કે, આ સૌર ઊર્જાથી ખેડૂતના ખેતરમાં દિવસે પાણી મળતું થશે તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધા રાની વીજળી દ્વારા કમાણી પણ થશે.

ઊર્જા મંત્રીશ્રીએ સૂર્યશ કિત કિસાન યોજના SKYની વિશેષતાઓ વર્ણવતાં જણાવ્યું કે, રાજ્યમાં હાલ ખેડૂતોને જે ફીડર પરથી વીજળી મળે છે તે વીજ ઉત્પાદન માટે બિનપરંપરાગત સ્ત્રોત કોલસો, ગેસ, વગેરે નો ઉપયોગ થાય છે. હવે સૌર ઊર્જાથી ખેડૂતને તેના ખેતરમાં જ સીધી આ સોલાર એનર્જી મળતી થતાં પ્રદૂષણમુકત સ્વચ્છ ઊર્જા તેને મળશે.

કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ યોજના બની રહેશે કેમ કે ખેડૂતના ખેતરમાં સૂર્યશ કિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવ શે તેની માલિકી ખેડૂતોની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.તેમણે સૂર્યશકિત કિસાન યોજનાની વિગતવાર રૂપરેખા આપતાં કહ્યું કે,કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટેની આ કિસાન હિત કારી યોજના છે.

ખેડૂતોને તેમના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉ ત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશેસ્કાય ફીડર પર અગાઉ કોઇપણ ખેડૂતે અરજી નોંધણી કરાવેલ હોય અને આ યોજનામાં જોડાવા ઇચ્છે, તો તેને તત્કાળ ધોરણે વીજ જોડાણ આપવામાં આવશે.ફીડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જોડાય એ વધુ ફાયદાકારક રહેશેખેડૂતોએ ઓછા માં ઓછી કુલ ખર્ચની પાંચ(૫) ટકા રકમ ભરપાઇ કરવાની ર હેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશેકેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે.

ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩પ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે.લોનનો સમયગાળો ૭ (સાત) વર્ષનો રહેશે.એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧ર.પ કિલોવોટની પેનલ અપાશે)પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦ x ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશેજો કોઇ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઇચ્છ તા હોય, તો નિયમોને આધિન રહી મંજૂરી અપાશે.

વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વીજળી રૂા. ૩.પ૦પ્રતિ યુનીટના દરથી ખરીદવામાં આવશે. અને તેના પર રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહી.સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂ તોની સમિતિ બનાવવાની રહેશે.સ્કાય ફીડર ઉપર દિવસે ૧ર કલાક વીજળી મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહી જોડાય તેને ૮ (આઠ કલાક વીજ પુરવઠો મળશે.વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં સાત વર્ષ માટે રૂા. ૭/- પ્રતિ યુનિટ ખેડૂતને ચૂકવવામાં આવશે.

જે પૈકી રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ વીજ વિતર ણ કંપની ચૂકવશે.અને બાકીના રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિ વર્ષની મર્યાદામાં) ખેડૂતને રાજ્ય સરકા ર સબસીડી રૂપે ચૂકવાશે.આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઇ થયા બાદ જે બચત થશે તે ખેડૂતના બેન્કખાતા માં સીધી જમા કરાવવામાં આવશે.૭ વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂા. ૩.૫૦ પ્રતિયુનિટ ચૂકવવામાં આવશે.

આ મહત્વપૂર્ણ યોજનાથીરાજ્ય ના કિસાનોને જે લાભથવાના છે તેમાં

વીજ બિલમાં રાહત મળશે ગ્રીડમાં વધારાની વીજળી વેચવા થી ખેડૂતને કાયમી આવક મળશેદિવસ દરમ્યાન ૧ર કલાક  વી જ પુરવઠો મળી રહેશેલોન ભરપાઇ થયા પછી સોલાર સિ સ્ટ મની માલિકી ખેડૂતની થશેસોલાર પેનલનો વીમો રાજ્યસરકાર લેશે સોલાર સિસ્ટમ માટે ૭ વર્ષ માટે ગેરંટી તથા મે ઈન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશેસોલાર પેનલની જગ્યા નીચેની જમીન પર પાક પણ લઇ શકાશે.

પેનલની ઊંચાઇ વધારવી હોય તો પણ વધારી શકાશે.ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ સ્કાય યોજનાના પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્ય નાતમામ ૩૩જિલ્લાઓના ૧૩૭ ફીડરનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેકટમાં સમા વિષ્ટ જે ૧૩૭ ફીડર દ્વારા ૧ર૪૦૦ ખેડૂતો વીજ પૂરવઠો મેળવે છે અને ૧ લાખ ૪ર હજાર હોર્સ પાવર વીજ ભાર વપરાય છે. આ સમગ્ર પાયલોટ પ્રોજેકટ અંદાજે રૂા. ૮૭૦ કરોડના ખર્ચે કાર્યાન્વિત થશે.

તેમાં આ સૂર્ય શકિત કિસાન યોજનાથી જે સૌર ઊર્જા ઉત્પન્ન થશે તે રાજ્ય ના ઊર્જા ક્ષેત્રે એક વિશેષ પહેલ બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.હવે, સૌર ઊર્જા શકિ તનો ખેતીવાડી વીજ ઉત્પાદન માટે વિનિયોગ રાજ્યનો ખેડૂત પોતાના જ ખેતરમાં વીજ ઉત્પન્ન કરીને કરી શકે તેવી આ સ્કા ય-સૂર્યશકિત કિસાન યોજના ખે ડૂતોના વ્યાપક હિતમાં ખુશા લી લાવનારી અને કૃષિ વિકાસ માં નવીન ઊંચાઇઓ સર કરના રી બની રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો.સૌર ઉ ર્જા થી ખેડૂતને મળનાર આવકની ગણતરી :-

  • ફિડરોની સંખ્યા :કુલ ફિડરોની સંખ્યા :- ૧૩૭

PGVCL (જિલ્લા) :-ફિડરોની સંખ્યા અમરેલી ૫ ભાવનગ ર૫ બોટાદ ૬ દેવભૂમિ દ્વારકા ૧ગીર સોમનાથ ૧જામનગર ૪ જુનાગઢ ૯ કચ્છ ૧૧ મોરબી ૬ પોરબંદર ૧ રાજકોટ ૫ સુરેન્દ્રનગર ૬ કુલ૬૦UGVCL (જિલ્લા) :-ફિડરોની સંખ્યા અમદાવાદ ૩ અરવલ્લી ૨ બનાસકાંઠા ૩ ગાંધીનગર ૨ મહે સાણા ૫ પાટણ ૪ સાબરકાંઠા ૪ કુલ૨૩MGVCL જિ લ્લા) :-ફિડરોની સંખ્યા આણંદ ૭ છોટા ઉદેપુર ૪ દાહોદ ૩ ખેડા ૭ મહીસાગર ૩ પંચમહાલ ૩ વડોદરા ૬ કુલ ૩૩ DGVCL (જિ લ્લા) :-ફિડરોની સંખ્યા ભરુચ ૪ નર્મદા ૩ નવસારી ૩ ડાંગ ૧ સુરત ૪ તાપી ૩ વલસાડ ૩ કુલ૨૧

  •   રજિસ્ટ્રેશન માટેના જરૂરી ડૉક્યુમેન્ટ્સ :
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (3 કોપી)7/12 ઉતારા8 A ઉતારા આધાર કાર્ડબેંક પાસબુકલાઇટ બીલબોર હોવા નું પ્રૂફવધારે જાણકારી માટે : Impero Power Project – http://www.impero.co.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here