એક નાનકડો પરિવાર ખુબ સુખી હતો. પરિવારમાં માત્ર ત્રણ જ સભ્યો હતા. પતિ,
પત્નિ અને એક દિકરો. આ પરિવારના આનંદના દિવસો બહુ લાંબા ચાલ્યા નહી કારણકે
એક અકસ્માતમાં પત્નિનું અવસાન થયુ અને પરિવાર ખંડીત થયો.
દિકરો સાવ નાનો હતો. વિધુર પતિને બીજા લગ્ન કરવાની કોઇ ઇચ્છા ન હતી પણ
દિકરાની દેખભાળ માટે એક માની જરુરીયાતને ધ્યાનમાં લઇને એમણે બીજા લગ્ન
કર્યા.ઘરમાં દિકરાને એક નવી મા મળી. છોકરાના પિતાની ચિંતા થોડી હળવી થઇ.
એકદિવસ બાપ-દિકરો સાથે બેઠા હતા ત્યારે પિતાએ દિકરાને પુછ્યુ, ” બેટા, તારા
આ નવા મમ્મી અને તારા મમ્મી વચ્ચે તને કોઇ તફાવત દેખાય છે ખરો ? ” છોકરાએ
કહ્યુ, ” હા, પપ્પા બહુ જ મોટો તફાવત દેખાય છે.” પિતાને એ જાણવાની ઉત્સુકતા
હતી કે બંને વચ્ચે શું તફાવત છે આથી તેણે દિકરાને આ બાબતે સ્પષ્ટતા કરવા
કહ્યુ.
છોકરાએ કહ્યુ , ” પપ્પા, મારી મમ્મી ખોટા બોલી હતી અને આ નવા મમ્મી સાચા
બોલા છે. ” પિતાએ પુછ્યુ, ” બેટા એ કેવી રીતે ?” છોકરાએ સ્પષ્ટતા કરતા
કહ્યુ, ” મારી મમ્મી મારા પર ગુસ્સે થાય ત્યારે મને કહેતી કે તને આજે જમવા
નહી દઉં પણ જમવાનો સમય થાય એટલે પાછી મને જમવા બોલાવે અને પ્રેમથી જમાડે
અને આ મમ્મી એમ કહે કે તને જમવા નહી દઉં તો એ જમવા ન જ આપે.”
મિત્રો, આપણી એ ખોટાબોલી માનું ઋણ તો ક્યારેય નહી ચુકવી શકીએ. નાનપણમાં
માનો પ્રેમ સમજવાની ક્ષમતા નહોતી અને હવે ક્ષમતા છે તો એ સમજવાનો સમય નથી.
ક્યારેક શાંતિથી એક ખુણામાં બેસીને માએ આપણા પર કરેલા ઉપકારોની એક યાદી
તૈયાર કરવા જેવી છે
એક દીકરાએ તેની નવી માં વિષે પિતાને કહેલી વાત જાણીને તમારી આંખમાં આંસુ આવી જશે
on
|
views
and
comments
