નાના બાળકોને વાંચી સંભળાવો અકબર બીરબલની વાર્તા

on

|

views

and

comments

રાજા અકબરને પોપટ ખૂબ પ્રિય બની ગયો હતો , તેથી તેની રક્ષામાં કોઇ કમી ન આવવી જોઇએ તેવી ખાસ સૂચના તેમણે રખેવાળને આપી હતી

એક વ્યક્તિને પોપટમાં ખૂબ જ રસ હતો . તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો . એક દિવસ તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો . તેણે તે પોપટને સારી સારી વાતો શીખવાડી અને બધી જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો દરબારમાં જઈને તેણે તે પોપટને y ળ્યું કે બોલ આ કોનો દરબાર છે ? પોપટે જવાબ આપ્યો , આ જહાંપનાહ અબ્બરનો દરબાર છે . સાંભળીને અકબર ખૂબ જ ખુશ થયા . તેમણે તે વ્યક્તિને કહ્યું કે , મારે આ પોપટ જોઈએ છે બોલ , તેની શું કિંમત છે ? તે વ્યક્તિ બોલ્યો : બાદશાહ બધુ તમારું જ છે તેથી તમે જે આપશો તે મને મજર હશે , અકબરને તે વ્યક્તિનો જવાબ ગમ્યો અને તેમણે તેને સારી કિંમત આપીને પોપટ ખરીદી લીધો , અબરે પોપટને રહેવાની સારી એવી વ્યવસ્થા

કરાવડાવી . તેમણે તે પોપટને ખાસ સુરક્ષા વચ્ચે રાખ્યો અને રખેવાળોને સૂચના આપી દીધી કે આ પોપટને કંઈ પણ ન થવું જોઈએ , જો કોઈએ પણ મને આ પોપટના મરવાના સમાચાર આપ્યા તો તેને ફાંસીએ ચઢાવી દેવામાં આવશે . હવે તે પોપટની ખાસ સંભાળ રખાઈ રહી હતી , પરંતુ થોડાક જ દિવસોમાં તે પોપટ અચાનક મૃત્યુ પામ્યો . એક રખેવાળ પોપટને મરચું ખવડાવા , ગયો ત્યારે તેણે જોયું કે તે પોપટ મરી ગયો હતો . પોપટને મરેલો જોઇને રખેવાળ ખૂબ ગભરાઇ ગયો , તેણે તેના બીજા સાથીઓને દોડતાં જઇને જણાવ્યું કે પોપટ મરી ગયો છે , હવે શું કરીશું ‘ હવે તેની સુચના મહારાજને કોણ આપે ? રખેવાળ ખુબ જ હેરાન હતા ત્યારે તેમાંથી એક જણે કહ્યું કે બીરબલ આપણી મદદ કરી શકે છે . આપણે તેને જઇને મળવું જોઇએ , મહારાજના પ્રકોપથી તે જ આપણને બચાવી શકશે , બધાએ બીરબલ પાસે જઈને તેમની મદદ કરવા કહ્યું બીરબલે એક ક્ષણ વિચારીને કહ્યુંઃ ઠીક છે તમે બધા જાવ મહારાજને સૂચના હું આપી દઈશ બીરબલ બીજા દિવસે દરબારમાં પહોંચ્યો અને મહારાજને કહ્યું : મહારાજ , તમારો પોપટ અકબરે પૂછ્યું હા , શું થયું મારા પોપટને ? બીરબલે ફરીથી ડરતાં ડરતાં કહ્યુંઃ મહારાજ , તમારો પોપટ , હા..હા , બોલ બીરબલ શું થયું મારા પોપટને ? મહારાજ , તમારો પોપટ બીરબલે કહ્યું અરે કંઈક તો કહે મને કે શું થયું મારા પોપટને ? કંઇક બોલ તો સમજાયને અકબરે ચિડાતાં કહ્યું જહાંપનાહ , તમારો પોપટ કંઈ ખાતો નથી , પીતો નથી , કંઈ બોલતો નથી , પાંખો પણ નથી ફફડાવતો અને આંખો પણ નથી ખોલતો . રાજાએ ગુસ્સામાં આવીને કહ્યું : અરે , સીધું સીધું કહી દે કે તે મરી ગયો . બીરબલ તરત જ બોલ્યો : હુજુર મેં મૃત્યુના સમાચાર નથી આપ્યા પરંતુ આવું તો તમે જ કહ્યું છે , તેથી મને માફ કરી દેવામાં આવે અને મહારાજ નિરુત્તર થઈ ગયા . આમ બીરબલની ચતુરાઇથી કોઇને સજા ન થઇ .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here