દેવ દિવાળીના દિવસનું મહત્વ અને પૂજન વિધિ

on

|

views

and

comments

તુલસીનું મહત્વ * તુલસી એક સાધારણ છોડ જરૂર છે , પરંતુ ભારતના લોકો માટે તે ગંગા – જમના જેવી પવિત્ર છે . * પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે . કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં . * નવમી , દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના છોડને કોઈ બ્રાહ્મણને આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે . * સ્નાન કર્યા પછી દરરોજ તુલસીના છોડને પાણી આપવું સ્વાથ્ય માટે અતિ ઉત્તમ છે . તુલસીના કારણે આસપાસના વાતાવરણની હવા શુધ્ધ થઈ જાય છે . તુલસીના પાનનું અર્ક કેટલીય બીમારીયો દૂર કરે છે . *

ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો . * પ્રબોધિનિ , ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ – મંડપ વગેરેનું નિર્માણ કરો . * ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ – માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરાવો . * ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના – ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢું રાખીને બેસાડવાં . * ગોધુલી ( સાંજના ) સમયમાં વર ( ભગવાન ) નું પૂજન કરવું * ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા ( તુલસી ) નું દાન કરો . * ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો . * પછી વસ્ત્ર , ઘરેણા વગેરે આપો . * ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ – ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો . * છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો .

દેવ દિવાળીના દિવસનું મહત્વ અને પૂજન વિધિ | Tulshi viva | Dev diwali | prabodhini ekadashi

https://youtu.be/2tgY6iHJres

૧. પ્રબોધિની એકાદશી ( કારતક સુદ -૧૧ ) શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું : હે અર્જુન ! હું તને મુક્તિ આપનારી ‘ પ્રબોધિની ’ એકાદશી વિષે નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલો વાર્તાલાપ કહું છું . એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું : “ હે પિતા ! પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે ? આપકૃપા કરીને વિસ્તારથી એ બધું મને કહો . ” બ્રહ્માજી બોલ્યાઃ “ પુત્ર ! જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે , એ વસ્તુ પણ કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે . આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે . હે પુત્ર ! જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પુણ્ય પર્વત સમાન અટલ થઈ જાય છે અને એમના પિતૃઓ વિષ્ણુલોકમાં જાય છે . બ્રહ્મહત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રી જાગરણ કરવાથીનષ્ટ થઈ જાય છે . ”

હેનારદ ! મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કારતક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્યકરવું જોઈએ . જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે , એ ધનવાન , યોગી , તપસ્વી તથા ઈન્દ્રીયોને જીતનારબને છે . કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે . આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન , તપ , હોમ , ( ભગવાનનાનામના જપ પણ પરમ યજ્ઞ છે . ) વગેરે કરે છે એમને અક્ષય પુણ્ય મળે છે . આથી હે નારદ ! તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ . ” બ્રહ્માજીએ કહ્યુંઃ “ હેનારદ ! આ એકાદશીના દિવસે મનુષ્યબ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ . એ રાતે ભગવાનની સમીપ ગીત , નૃત્ય , કથા – કિર્તન કરતા રાત વીતાવવી જોઈએ . પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પ , અગર , ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ . ભગવાનને અર્થ આપવો જોઈએ . એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડગણું અધિક હોય છે . જે ગુલાબના પુષ્પથી , બકુલ અને અશોકના ફૂલોથી , સફેદ અને લાલ કરેણના ફૂલોથી , દુર્વાદળથી , શમીપત્રથી , ચંપકપુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે , એ આવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે . આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્નાન પછી ભગવાનની પ્રાર્થના કરતાં ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ . જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય , તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ . જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિ પૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે અને એ અંતે સ્વર્ગમાં જાય છે ,

તુલસી વિવાહ ત્કારતક માસના સુઈગયારસને દિઈ તુલસીજીના લગ્ન શુ ભગવાન સાથે થયાં . આથી કારતક સુદ ૧૧ ને દિવસે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે .શહેરની ઘણીયે પોળોમાં વિસ્તારોમાં તથા ગામડાઓમાં તુલસી વિવાહ લોકો ભાવથી ઉજવે છે . મંદિરોમાં અને ખાસ કરીને વૈષ્ણવોના મંદિરોમાં તુલસી વિવાહનો ૧૫ પશિદનનાઓ વિશ્વ સંચાર ઉમળકાભેર અને ધામ ધૂમથી ઉજવાય છે ) તુલસી વિવાહના પ્રસંગ / કથા આ પ્રમાણે છે એક વાર દેવરાજ ઈન્દ્રનું અભિમાન ઉતારવાને માટે જાલંધરને ઉત્પન્ન કર્યો , આ નીલંધરની પતીનું નામ વૃંદા , વૃંદા ભહાન પતિવ્રતા સતી સ્ત્રી હતી . તેના પૂણ્ય પ્રભાવે જલંધર બળવાન અને અજય થયો હતો . તેને કોઈ જીતી શકતું નહિ.અને પછી તો તે ધીરે ધીરે દેવો પણ હેરાન પરેશાન કરવા લાગ્યો . દેવો ત્રાહિ ત્રાહિ પોકારવા લાગ્યા . આખરે જાલંધરનો ઉત્પાત વધી જ્યાથી દેવતાઓએ ભગવાન પાસે જઈને સ્તુતિ કરી અને કહ્યું કે , “ પ્રભુ ! આ પાપી રાક્ષસના ત્રાસથી અમોને ઉગારો . ” અને ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ લઈને સતી વૃંદાને તેના સતીત્વથી ભ્રષ્ટ કરી . આ વાતની જ્યાં વૃંદાને ખબર પડી કે તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે “ હે કપટી ! તે મારી સાથે કપટ કર્યું ? જા તૂ પાષણ ( પથ્થર ) બની જા . ‘ ‘ આ સાંભળી ભગવાને પણ વૃંદાને સામો શ્રાપ દીધો કે , “ તો જા તુ પણ લાકડુ બની જા . ‘ ‘ વૃંદાએ જ્યારે જાણ્યું કે આ તો વિષ્ણુ ભગવાન છે અને એમણે પોતે કપટ કર્યું છે , તેથી તેણીએ વિષ્ણુ ભગવાનની મા માગી . વિષ્ણુ ભગવાને કહ્યું . ‘ ‘ વંદા ! હું તને તરછોડીશ નહીં . અત્યારે તો નહી પણ તારો આવતા જન્મે તને હું રાણી બનાવીશ . તું તુલસી થજે ( તુ વનસ્પતી અને હું શાળીગ્રામ . ’ ’ ) આમ કહી પ્રભુ તો જતા રહ્યાં . સમય બનતાં કાળ વીતતાં વૃંદા બીજા જન્મમાં તુલસી થઈ અને વિષ્ણુ ભગવાન શાળીગ્રામ થયાં અને આમ ‘ તુલસી વિવાહ ” થયાં .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here