પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના શુ છે જાણો તેના વિશે વધુમાં અને દરેક ખેડૂત સાથે શેર કરો

0
258

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ( PMKSY )

1 યોજનાનો ઉદ્દેશ ‘ જલ સંચય ‘ અને ‘ જલ સિંચન ‘ દ્વારા વરસાદી પાણી ઉપયોગ કરીનેજળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો . વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બીન પિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની રહેલ છે . આ સંજોગોમાં . અનુભવ સાથેરક્ષણાત્મક સિંચાઇ ટેકનોલોજી અને ઉત્પાદકતા વૃદ્ધિ તરફ દોરી જતાં ઇનપુટ્સ દ્વારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદકતા અને વધુ આવક દ્વારા ગ્રામીણ વિકાસ હાંસલ કરવો .

1 પાત્રતાના ધોરણો • રાજ્ય દ્વારા તમામ જિલ્લાઓના ડીસ્ટ્રીક ઇરીગેશન પ્લાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજ્યનો સ્ટેટ ઇરીગેશન પ્લાન તૈયાર કર્યેથી આ યોજના માટે યોગ્યતા / લાયકાત સિદ્ધ થાય છે . 0

યોજનાના ફાયદા / સહાય • યોજના અંતર્ગત પર ડ્રોપ મોર ક્રોપ ’ માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિથી કુલ પિયત વિસ્તારમાં વધારો થાય છે . પિયત જરૂરીયાત અને ઉપયોગીતા વચ્ચે કડી રૂપ બને છે . પાણી વિતરણ વ્યવસ્થા મજબુત બને છે .

• પાણી વપરાશની કાર્યક્ષમતા વધે છે .

• પાક ઉત્પાદક્તા વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે .

• રોગ અને જીવાતથી થતું નુકસાન ઘટે છે .

1 પ્રક્રિયા આ યોજના હેઠળ ‘ પર ડ્રોપ મોર ક્રોપ ’ ઘટક માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિ અંતર્ગતનો લાભ મેળવવા માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની , વડોદરા ને ખેતીને લગતા સાધનિક કાગળો સહિત અરજી કરવાની રહે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here