લગ્ન સમયે પતિ-પત્ની સાત ફેરા ફરે છે દરેક વચનમાં શું હોય છે ક્લિક કરી જાણો અને મિત્રો સાથે શેર કરો

0
363

પુત્રી એટલે પતિતપાવની ગંગા; પુત્રી એટલે સુરલોકથી અવની ઉપરના અંધારા દુર કરવા , પ્રજ્ઞાપ્રકાશ પાથરવા ઉતરેલી સાક્ષાત સરસ્વતી ; પુત્રી એટલે સંસારના એક કુળ ને અન્ય કુળ સાથે પ્રેમ ની શ્રુંખલાથીસંગઠિત કરતુ એક પ્રભુત્વ.  

અપણા વડવાઓએ એક સમયે માતૃત્વને પૂજીને જગત માં પોતાનું સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવેલું .  

આપ્ણે જ્યારથી એ પૂજાને સીથીલ કરીછે ત્યારથી એ ઉંચે સ્થાનેથી આપણે ખુબજ નીચે આવીગયા છીએ, આપણા સંસારમાં આજે પણ આછાઆછા અવશેષ અંકુરો રહી ગયા છે તે આપણું સદભાગ્ય છે. એ અંકુરો હવે ફરીથી પાન્ગરસે અને ફરી આર્યાવર્ત સારા એ સંસાર ને શીળી છાયડી આપનારી વાડી બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ.

પુત્રીને વિદાય આપતીવેડા એ એના ચરણ ધોઈ ચરણામૃત લેંતા માતા પિતા , જેમ અનન્ય આરાધના થી દેવ ને સન્માનતા હોઈ તેમ પુત્રીને વળાંવતીવેડા અનવાલે પગે પડતા માતા પિતા ; અને આપ્તજન સહસ્ત્ર યજ્ઞનું પુણ્ય ગણતા એ જનક જનેતા આ આર્યાવર્ત સિવાય બીજે ક્યાં મળશે ?  

આજે આપણી બધી સુંદર બાબતોના ઝાંખા સ્મરણ ચિન્હોમાંજ રાચતાં રહી એ અણમોલ વસ્તુઓને પણ પણા જીવનમાં ઉતારી સક્તાનાથી અને એજ રીતે પુત્રી ને વળાવવાનો મહાયજ્ઞ પણ કૃતિમ બની ગયોછે. શાંત , પવિત્ર અને જીવનને પ્રેરણાના પાન કરાવે એવી ભાવનાઓ વિદ્ધિઓ વહી ગય છે અને રહ્યા છે માત્ર મિથ્યા રૂઢી રીવાજો ; ખોટા કળાહીન ભભકા અને એક બીજાથી સરસાઈ સાધવાના પ્રદર્શનો ; એ બધું એક વેઠ ઉતરતા હોઈ એ તેવી રીતે ઉજવિએ છિએ – બીજીરીતે કહીએ તો કહી ઉઠી એ છીએ કે ” જોગ માતા ભલું કરજો ” ભગવાન નો પાડ માનીએ છીએ કે માથેથી મોટો ભાર ઉતારીયો, પુત્રી જનમ આપણને મહાઆપતી રૂપ લાગે છે , જેને આશીર્વાદ વરસાવવા આવતી જગત ની જગદંબા ગણી વન્દવી જોઈએ તેને તે રીતે અપમાનિત કરી ઈશ્વરની અવકૃપા વહોરીએ છીએ, સદભાગ્યે આજે આ સ્થીએ સુભગ પલટો લેવા માંન્ડીયોછે, હવે એવા સદભાગ્યી કુટુંબો છે જ્યાં પુત્રી જન્મ પુત્રજન્મ્થીયે વધુ ધન્ય , વધામણી યોગ્ય , લેખવા માંડયો છે . ભારતવર્ષમાં જયારે કન્યાપૂજા સર્વ માન્ય બનશે ત્યારે સાચું માતૃત્વ પ્રગટશે અને એવું માતૃત્વ આ ભારતવર્ષનો ઉત્કર્ષ કરશે, ભારતવર્ષની આ પ્રસાદી જગત આખું ઝીલશે અને ભારતવર્ષ ખરા અર્થ માં આર્યાવર્ત બનશે. માતા પિતા ના વાત્શ્લ્ય ભર્યા ર્હદયને તો પુત્રીને વિદાય આપવાનો પ્રસંગ ભારે કરુણાભર્યો હોઈ છે અને આથીયે વિશેષ કરુણ પ્રસંગ એકલવાયી કોઈ અજાણ પંથે પરવર્તી પુત્રી માટે હોઈ છે – જ્યાં જન્મ લીધો, જ્યાં માતા પિતા ની મીઠી છાંય માં અને મીઠી ગોદમાં લાડ પામી, જે ઘર જે કુટુંબ પોતાનું બન્યું, જ્યાં માયા મમતા બંધાણી , ત્યાનું બધુય છોડી કોઈ નવી જગ્યા એ નવી જીવન ધારા સરુકરવી અને જે પોતાનું તેને પારકું કરવું અને પારકાને પોતાના કરવા આતે કેવી વિષમતા ! પરંતુ એ વિષમતા , એ કરુણતાની પાછળ તો છે તપની અને ત્યાગ ની ભાવના . એની પાછળ તો છે સંસારકુલ વૃક્ષોને પોતાનું જીવન સીંચી ને પાંગરતા કરવાની પુનીત વિચારશ્રેણી , માનવી જયારે સંસારની વિકટતા, કટુતા અને કરુણતા ને પ્રભુના પ્રસાદના રૂપમાં પલટાવી નાખી આરોગતા શીખશે ત્યારે જ એ પોતાના માનવી પદ ને શોભાવશે, અને ત્યારેજ આપણે આ પ્રસંગને મહાપુણ્યપ્રસંગ અથવા મહાયજ્ઞપ્રસંગ કહી સક્સું . 

માતા પિતા જો પુત્રીને આશીર્વાદ આપવા શક્તિમાંન હોઈ તો હે પુત્રી ! માતા પિતા ના વહાલ સોયા હૃદયના ઊંડાણમાંથી આજે અમારા સૌના અંતરની તમને અનેક અનેક આશિષો છે . તમારા શીલસત્વ તપ , ત્યાગ અને કુટુંબપ્રેમ દિનપ્રતિદિન વધતા રહો , તમારા શીલ અને તપ ના પ્રભાવે પ્રભુએ જે સ્થાને તમોને આજે મુક્યાછે તે સ્થાનને હરહમેશ શોભાવતા રહો , હૃદય ના અમી થી તમારા આપ્તજનોના હૃદયમાં સાચું અને ઊંચું સ્થાન મેળવો અને તમારી ઉંચી વર્તુંનકથી સૌને ઉપયોગી બની સંસાર માં સાચું સ્વર્ગ ઉતારો અને એ દ્વારા તમારા માબાપના કુળ ને અને તમારા સ્વસુરકુળને ઉજ્વળ કરો , કુટુંમબ સેવાના એ વિરાટ વર્તુળ ને વધુને વધુ વિરાટ બનાવતા જઈ તમો દંપતી તમારા દેશની અને પ્રભુ ના જગત ની સેવા બજાવી તમારા જીવન ને ધન્ય કરો, પ્રભુ તમોને સાંચા શીલભર્યું અખંડ સૌભાગ્ય અર્પો.

લગ્ન એક એવો મોકો હોય છે જે બે વ્યક્તિઓની સાથે-સાથે બે પરિવારના જીવનને પણ પૂરી રીતે બદલી નાખે છે. લગ્નમાં સૌથી મુખ્ય રસમ હોય છે લગ્નફેરા. હિન્દુ ધર્મ પ્રમાણે સાત ફેરા પછી લગ્નની રસમ પૂરી થાય છે. સાત ફેરા પછી સાત વચન લેવામાં આવે છે. કન્યા દ્વારા લેવામાં આવતા આ સાત વચનો આ પ્રકારે છે.

લગ્ન પછી કન્યા વરના વામ(ડાબા) અંગમાં બેસતા પહેલા તે સાત વચન લે છે. એટલે પત્નીને આપણે ત્યાં વામા માનથી પણ ઓળખવામાં આવે છે. જાણો દરેક વચનમાં શું હોય છે.

1-तीर्थव्रतोद्यापनयज्ञ दानं मया सह त्वं यदि कान्तकुर्या:।

वामांगमायामि तदा त्वदीयं जगाद वाक्यं प्रथमं कुमारी।।

કન્યા કહે છે સ્વામિ તીર્થ વ્રત, ઉદ્યાપન, યજ્ઞ, દાન વગેરે શુભ કાર્ય તમે મારી સાથે કરો તો હું વામ(ડાબા) અંગમાં આવું. 

2-हव्यप्रदानैरमरान् पितृश्चं कव्यं प्रदानैर्यदि पूजयेथा:।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं द्वितीयकम्।।

જો તમે હવ્ય આપી દેવતાઓ અને કવ્ય આપી પિતરોની પૂજા કરો તો હું તમારા વામ અંગમાં આવું.

3-कुटुम्बरक्षाभरंणं यदि त्वं कुर्या: पशूनां परिपालनं च।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं तृतीयम्।।

જો તમે મારી તથા પરિવારની રક્ષા કરો અને પશુઓનું પાલન કરો તો હું તમારા વામ અંગમાં આવું. આ ત્રીજી વાત કન્યા કહે છે.

4-आयं व्ययं धान्यधनादिकानां पृष्टवा निवेशं प्रगृहं निदध्या:।।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं चतुर्थकम्।।

જો તમે ધન-ધાન્યાદિને આવક-વ્યયને મારી સંમત્તિથી કરો તો હું તમારા વામ અંગમાં આવું. આ ચોથુ વચન છે.

5-देवालयारामतडागकूपं वापी विदध्या:यदि पूजयेथा:।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं पंचमम्।।

જો દેવાલય, બાગ, કૂપ(કૂવો), તળાવ, વાવડી બનાવીને પૂજા કરો તો હું તમારા વામ અંગમાં આવું.

6-देशान्तरे वा स्वपुरान्तरे वा यदा विदध्या:क्रयविक्रये त्वम्।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं षष्ठम्।।

જો તમે નગરમાં કે કોઈ વિદેશમાં જઈ વેપાર કે નોકરી કરો તો હું વામ અંગમાં આવું. આ છઠ્ઠુ વચન છે.

7-न सेवनीया परिकी यजाया त्वया भवेभाविनि कामनीश्च।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं सप्तम्।।

જો તમે પરાયી સ્ત્રીને સ્પર્શ ન કરો તો હું તમારા વામ અંગમાં આવું. આ સાતમું વચન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here