તુલસીનો છોડ સૂકાઈ ના જાય કાયમ લીલોછમ રહે તે માટે કેટલીક ટિપ્સ

0
279

શિયાળાની ઠંડી ઋતુમાં તુલસીનો છોડ સૂકાઈ ના જાય તે માટે કેટલીક ટિપ્સ હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે . તુલસીનો છોડ આંગણામાં હોવો શુભ માનવામાં આવે છે . દરેકના ઘરે લગભગ તુલસીનો છોડ તો હોય જ છે . શિયાળામાં તુલસીના છોડનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે . સૂકી હવા અને ધુમ્મસના કારણે તુલસીનો છોડ સૂકાવા લાગે છે.

તુલસીનો છોડ સૂકાઈ જવો અશુભ માનવામાં આવે છે . ત્યારે તુલસીના છોડને શિયાળામાં સૂકાતો રોકવા માટે અહીં કેટલાક ઉપાયો સૂચવીશું . : એકદમ ઠંડું પાણી ના રેડો શિયાળામાં તુલસીના છોડમાં પાણી રેડતી વખતે ધ્યાન રાખો કે પાણી થોડું હૂંફાળું હોય . બની શકે તો પાણીમાં થોડુંકાચું દૂધ ભેળવીને તે જળ તુલસીમાં સિંચો . આમ કરવાથી તુલસીના છોડમાં ભેજ જળવાઈ રહેશે અને હર્યો – ભર્યો રહેશે . માંજર કાઢી નાખો તુલસીના છોડમાં રહેલા માંજર સૂકાઈ જાય ત્યારે તેને હટાવી દેવા જોઈએ . માનવામાં આવે છે કે , જે ઘરમાં તુલસીના છોડમાં સૂકા માંજર રહે છે તે ઘરના લોકો માનસિક રોગથી પીડાય છે . સાથે જ સૂકા માંજરથી તુલસીના છોડને પણ નુકસાન પહોંચે છે . માટે માંજર હટાવી દેવાથી તુલસીના છોડનો વિકાસ સારો થાય છે . ઠંડી સામે આપો રક્ષણ : જો તુલસીનો છોડ ઘરની બહાર કે બાલકનીમાં મૂક્યો હોય તો ઠંડીની ઋતુમાં ઘરની અંદર લાવી દેવો જોઈએ.

રોજ સવાર – સાંજ તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ જેથી તેને ગરમી મળતી રહે . દીવો માય સુધી ચાલે તેવો રાખવો . આ રીતે રાખો વિશેષ ધ્યાન : અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર ચપ્પુથી તુલસીના છોડની આસપાસ થોડું ખોદી કાઢવું . આમ કરવાથી તુલસીના છોડને આવશ્યક પોષણ મળશે અને લાંબા સમય સુધી હરિયાળો રહેશે . તુલસીના છોડને શીતલહેરથી બચાવવા માટે કારતક મહિનાની એકાદશીના દિવસે તુલસીને થોડી ભારે ચુંદડી ઓઢાડી દેવી. જેથી તુલસીનો છોડ વળી નહીં જાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here