પુરુષોત્તમ માસની કથા અધ્યાય બાર | purushottam mas adhyay 12 |

on

|

views

and

comments

સુદ ૧૨ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય બારમાં મેઘાવતીનો પુનર્જન્મ

અધ્યાય બારમો | ઘઉં – કાંકરાની કથા

સૂત પુરાણી બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! ભગવાન શંકરના અંતર્ધાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ . તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં . મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું , અને થોડા સમય પછી તે મૃત્યુ પામી . આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો . આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ , આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ . જ્યારે દ્રૌપદી વિવાહયોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેધ કર્યો . પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ પાંચ પાંડવોની પત્ની બની . બાદ પાંડવો અને કૌરવો જૂગટું રમ્યા . તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠા .

છેવટે તેઓ જૂગટામાં દ્રૌપદીને હારી ગયા . દુઃશાસન દ્રૌપદીને કેશ પકડીને ભરસભામાં ઢસડી લાવ્યો અને તેના વન્ન ઉતારવા પ્રયત્ન કર્યો . આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તે હતો . હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે . કામ્યકવનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ‘ ‘ પાંડવો તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો . તેનાથી તમારાં સર્વ પાછા મળશે . ’ દુઃખો નાશ પામશે . તમારું ચાલી ગયેલ રાજપાટ અને સુખસંપત્તિ બધાંને ધીરજ આપી ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા જવા તત્પરતા બતાવી . આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી “ આપ જગતના તારણહાર અને આધાર છો . આપ અમારા રક્ષક છો . અમે આપને શરણે આવેલ છીએ . અમને માર્ગદર્શન આપો . ’ ’ શ્રીકૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા . ભગવાન શ્રીકૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું .

થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યાં . તેઓ સર્વે આ માસમાં સ્નાન , ધ્યાન , દાન , વ્રત અને પ્રભુસ્મરણમાં ગાળવા લાગ્યાં . આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા . તેમના વનવાસનાં ચૌદ વર્ષ પૂરાં થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું . પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું .

‘ શ્રી બૃહન્નારદીયપુરાણ’નો પુરુષોત્તમ માહાત્મ્યનો મેઘાવતીનો પુનર્જન્મ ’ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

ઘઉં – કાંકરાની કથા

એક ગામ હતું . તેમાં એક મોચણ અને એક સોનારણ રહે . નજીક નજીકમાં રહેતાં હતાં . મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ માંડ ખાધા ભેગા થતાં . જ્યારે સોનારણ ખાધે – પીધે સુખી હતી . બે પૈસાની સંપત્તિ ગાંઠે હતી , પણ તેનો જીવ ટૂંકો હતો . તે દેખાવ કરવામાં ખૂબ માનતી . મોચણ ગરીબ હતી , પણ તેનું દિલ ઉદાર હતું . પોતે ભૂખી રહે પણ તેના આંગણેથી કોઈ અભ્યાગત પાછો ન જતો .\

એવામાં પુરુષોત્તમ માસ આવ્યો . મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું . તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી , કાંઠા ગોરમાનું પૂજન કરતી , કથા – વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી . સમય મળે દેવદર્શને જતી . ૧૦૮ સોનારણે પણ વ્રત લીધું હતું . તે સવારે વહેલા ઊઠી બનીઠની નદીએ નાહવા જતી . તેથી નદીએ તે મોડી પડતી . જ્યાં ત્યાં નાહી સીધી કથા – વાર્તા સાંભળવા બેસી જતી . ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડાકા મારતી . કથા – વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહિ . પછી તે ઘેર આવીને કામકાજમાં લાગી જતી , પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા થતી . મહોલ્લાની બધી સ્ત્રીઓ કશામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈને જતી . દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરભા પાસે ઢગલી કરતી . જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈ જઈ ઢગલી કરતી . બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી જુદી તરી આવતી . હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાંકરા ભેળવતી . સોનારણ કથા ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી . સાંભળવામાં ઓછું ધ્યાન આપતી , પણ તેનું લક્ષ પોતાની ઢગલી ઉપર રહેતુ અને મનોમન ગર્વ કરતી શ્રી પુરુષોત્તમ ( અધિક ) માસની ભક્તિ જ્ઞાનધારા ૧૦૯ પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાંથી હતા તેટલા બધાય ઘઉં કાઢી દીધા . માંડ બેશેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા . તેના મનમાં થયું કે ‘ જો વધુ ઘઉં હોત તો વધુ આપત . ’ બીજી બાજુ સોનારણે આખી કોઢી ભરીને ઘઉં હોવા છતાં એક શેર ઘઉં તેમાંથી કાઢીને ચાર શેર કાંકરા ભેળવી પાંચ શેરની થેલી ભરી કથામાં ગઈ . બધાએ યથાશક્તિ ઘઉં ગોરભા સમક્ષ ઢગલી કરીને મૂક્યા . મોચણે પણ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી . આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી અને પાંચ શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો . પછી તેણે કથામાં ધ્યાન ન આપતા , પોતે કેટલા બધા ઘઉં લાવી છે , તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનો સાથે ચર્ચા કરતી . તેમને પુરુષોત્તમ ભગવાને આ જોયું . તે મનમાં હસવા લાગ્યા . થયું કે , મારે સોનારણને પાઠ શિખવાડવો જોઈએ . જેવું વાવો તેવું લણો ’ તે બતાવવું જોઈએ . કથા પૂરી થતાં બધાં સૌ સૌને ઘેર ગયાં . મોચણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી . તેણે તો આજુબાજુ રહેતી પડોશણોને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે . બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘેર જોવા ગઈ . બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયાં . સોનારણને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં ! તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાંકરા જ હતા . તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા , તેના બદલે કાંકરા કેમ થાય ! તેણે મનમાં વિચાર્યું કે , કથામાં ઘઉંની સાથે ચાર ગણા કાંકરા ભેળવી મેં દાન કર્યું , તેનું જ આ ફળ છે . તે મનોમન રોવા લાગી . જેવી ભાવના સાથે દાન અપાય છે , તેનું ફળ તેને તેવું જ મળે છે . બોલો પુરુષોત્તમ ભગવાનની જય હવે કૃષ્ણ ( પુરુષોત્તમ ) ભગવાનનું સંકીર્તન કરીએ .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here