પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 13 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 13 |

on

|

views

and

comments

સુદ ૧૩ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય તો દૃઢધવાનું આખ્યાન અધ્યાય તેરમો ♦ મા – બાપની સેવાની કથા ♦

સુત પુરાણી બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! હવે હું તમને રાજા દેઢધન્વાની કથા કહું છું તે સાંભળો : હૈહય દેશનો રાજા ચિત્રધર્મા હતો . તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો . તેને એક પુત્ર હતો . તેનું નામ દેઢધન્વા હતું . તે સર્વ ગુણોથી યુક્ત હતો . સત્ય વાણીવાળો , ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો . તે ચારે વેદોનો જાણકાર હતો . તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતો હતો . પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુદક્ષિણા આપી તે પોતાને ઘેર પાછો ફર્યો હતો .

પોતાના પુત્રને જોઈને , તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બનેલ છે તેમ વિચારી રાજા ચિત્રધર્માએ એક વાર દંઢધન્વાને વિચાર આવ્યો કે , ‘ હું સર્વ પ્રકારે સુખી પછુિં , તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ . મેં એવું તે કયું વ્રત , તપ , પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગવી રહ્યો છું ! ’ આવા વિચારોમાં તે ઘણીવાર ખોવાઈ જતો .

પ્રભુ – સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવા વિચાર્યું . તે પુત્રને રાજગાદી સોંપીને પુતહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો . જ્યાં નિઃસ્પૃહ તથા નિરાહાર રહી તપશ્ચર્યા કરવા માંડી . કેટલોક કાળ તપ કરી છેવટે તે શ્રીહરિના ધામમાં ગયો . દેઢધન્વાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ , એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન કર્યું . તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો . વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થયા .

તેમને ચિત્રવાક્ , ચિત્રવાહ , માણિમાન તથા ચિત્રકુંડલ નામના ચાર પુત્રો અને ચારુમતી નામની પુત્રી થયાં . દ્વારક એક દિવસ દેઢધન્વા સવારે ઊઠી નિત્યકર્મથી પરવારી ઘોડા ઉપર બેસીને વનમાં અંગરક્ષકો સાથે શિકારે ગયો . તેણે એક મૃગને બાણ માર્યું . આ મૃગ બાણ સમતે ત્યાંથી દોડી ગયું . તેનો રાજાએ પીછો કર્યો . ઘણી શોધખોળ કરી , પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું . આથી રાજા નિરાશ થયો . મધ્યાહ્નનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગતાં એક સરોવર પાસે પહોંચી ગયો . ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષા છિપાવી , પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેઠો . આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો .

તે કહી રહ્યો હતો : ‘ હે રાજા , તું સુખભોગમાં મસ્ત બની ખરાં તત્ત્વને ભૂલી ગયો છે . જો તું ખરું તત્ત્વ નહિ સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ ? ‘ પોપટની આવી વાણી સાંભળી દંઢધન્વા વિસ્મિત થયો . તેને લાગ્યું કે પોપટ રૂપે શુકદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા

તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યો . ને ? તે વિચારમગ્ન હતો , ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા . રાજમહેલે આવ્યા છતાં પોપટનાં વચનો તેને યાદ આવવા લાગ્યાં . તેણે ભોજન કર્યું નહિ અને સૂતો , છતાં વિચારોના વમળમાં પડ્યો રહ્યો . તેને ઊંઘ ન આવી . રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું : ‘ હે સ્વામીનાથ , આપ આટલા બધા હતાશ અને સૂનમૂન કેમ થઈ ગયા છો ? આપને માનસિક શું દુ : ખ છે તે મને કહો , જેથી તે દૂર કરવા પ્રયત્ન થાય . રાજાએ કોઈપણ આગળ કંઈપણ ખુલાસો ન કરતાં આથી રાણી , મંત્રીઓ , દાસ – દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા .

શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ દઢધન્વાનું આખ્યાન ‘ નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ .

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ . મા – બાપની સેવાની કથા

પણ એક ગામ હતું . તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો . તેની પત્ની હતી . તેમને ચાર દીકરાઓ હતા . ચારે દીકરાઓને પરણાવેલા હતા . ચારે દીકરાઓ વારાફરતી મા – બાપથી અલગ જુદા રહેતા હતા . ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતાં , છતાં રગડદગડ કરી તેઓ બંને પોતાનું પેટિયું ભરી લેતા . તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માગતા તે હતાં . થઈ એવામાં પુરુષોત્તમ માસ આવ્યો , એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું : “ આપણે કોઈ એક દીકરાની ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ . ‘ પત્નીએ હા ભણી , એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા . મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો . વાતવાતમાં ખેડૂતે જણાવ્યું : ‘ ‘ પુરુોત્તમ માસ આવ્યો છે , એટલે

અમે એક મહિનો તમારે ત્યાં રહીશું . વ્રત કરીશું , કથા – વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું . ’ ’ જ્યાં એક મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મો વંકાણું . તેમણે કહ્યું : ‘ અમારે ત્યાં સુવાની સગવડ નથી , જેથી તમે નાનાને ત્યાં રહો . ’ ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઊઠીને તેનાથી નાનાને ત્યાં ગયાં . તેમને મા – બાપ ઘણા દિવસે આવ્યા છે , જાણી આવકાર આપ્યો . જ્યારે એક મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે ગલ્લાતલ્લા કરી , તેનાથી નાનાને ત્યાં રહેવા જવા જણાવ્યું . મા – બાપ ત્રીજા દીકરાને ત્યાં ગયાં . ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ . છેવટે કંઈક નિરાશ વદને તેઓ સૌથી નાનાને ત્યાં ગયા .

નાનો સમજુ અને વિવેકી હતો . તેની વહુ પણ સમજુ હતી . તેમણે પોતાને ત્યાં મા – બાપને રાખ્યાં . દરરોજ ડોશા – ડોશી નદીએ જઈને સ્નાન કરી કથા – વાર્તા સાંભળીને ઘેર આવતાં . નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીનાં કપડાં લઈ દરવાજા ઉપર રાખતી . દરવાજા પાછળ એક કોઠી હતી . વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીનાં કપડાં બરોબર નિચોવી શકતાં નહિ , તેથી તેમાંથી પાણીનાં ટીપાં નીતરીને કોઠીમાં પડતા . ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીનાં ટીપાં મોતીના દાણા બને છે . ડોશા – ડોશી એકટાણું કરતાં , તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ – સસરાને ખવડાવતી અને પાસે બેસી પંખી નાખતી . આ જોઈ ડોશા – ડોશીની આંતરડી તમને આશિષ આપતી . ડોશીએ બે – ચાર બ્રાહ્મણોને જમાડી કંઈક દાન દક્ષિણા આપી , તેનું એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો . ડોશા ઉજવણું કરવાનું વિચાર્યું . તેમની પાસે બે પૈસા હતા ,

તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું . પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું . તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા . તેણે તરત પોતાના પતિને બોલાવીને આ બતાવ્યું . બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા . ઝવેરીએ તે સાચા મોતી છે તેમ જણાવ્યું . તેમણે તેમાંના થોડા મોતી વેચી રોકડ રકમ લઈ ઘેર આવ્યાં . મા – બાપના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ તેમણે માન્યું , તેમણે પોતાનાં મા – બાપને આ વાત કરી . બધાં રાજી થયાં . હવે બે – ચાર બ્રાહ્મણોને બદલે ૫૧ બ્રાહ્મણોને નોતરાં આપ્યાં . પોતાના ભાઈઓ – ભાભીઓને પણ જમવા બોલાવ્યાં . સગાં – વહાલાંને પણ જમવા બોલાવ્યાં . સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું . ૫૧ બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી .

ત્રણ ભાઈઓ અને તેમની વહુઓ ભેગાં થઈને આપસ આપસમાં વાતચીત કરવા લાગ્યાં કે , ‘ નાના પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી ? ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે . ‘ તેઓ તરેહતરેહના તર્ક – વિતર્ક કરવા લાગ્યાં . સૌથી મોટાની વહુએ ધીમે રહીને નાનાની વહુને પૂછ્યું : “ આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું , પણ તેના પૈસા આવ્યાં ક્યાંથી ? ’ ’ નાની વહુએ બધી વિગતવાર વાત કહી , આથી ત્રણે મોટી વહુઓને પસ્તાવો થયો . તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બા – બાપુને અમારે ત્યાં રાખીશું . ત્રણે વહુઓ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી . પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો . ત્રણે વહુઓ સાસુ સસરાને રાખવા લડવા લાગી . છેવટે બધાએ મળીને નક્કી કર્યુ કે સૌથી

મોટો દીકરો મા – બાપને રાખે અને છેવટે જે મોતી મળે , તેમાં ત્રણેયને ભાગ રહે તેમ ગોઠવ્યું . મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા – બાપને કહી દીધું : “ તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારાં ભીનાં કપડાં અમને આપી દેજો . તેને બહુ નિચોવશો નહિ . ’ ’ મા – બાપ બિચારા જેમ કહે તેમ કરવા તૈયાર હતાં . હવે દિવસો વીતવા લાગ્યાં વહુ લાલચની મારી મા – બાપને સાચવવાનો ડોળ કરતી હતી . તેને તો મોતીનાં જ સ્વપ્નો આવ્યાં કરતાં હતાં . છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો . ત્રણે દીકરા અને વહુઓએ મળી ઉજવણું કરવાનું ગોઠવ્યું . તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું . ઉજવણું થયું .

ગામને જમાડ્યું અને બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી . બધું કામ પતી ગયા પછી ત્રણે દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયાં અને કોઠીમાં હાથ નાખી મોતી લેવા પ્રયત્ન કર્યો , તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું . આથી ધીરજ ન રહેતા છએ જણાએ કોઠીમાં હાથ નાખ્યો . તેના ભારથી કોટી હેઠી બેઠી . અંદર જોયું તો મોતી શાના હોય ? પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી . આ જોઈ સૌના મો પડી ગયાં . દીકરાઓ અને દીકરાની વહુઓ ડોશા – ડોશી ઉપર ખિજાયાં અને કહેવા લાગ્યાં : “ તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો , નહિ તો આમ બને નહિ . ’ ’ ખેડૂતે કહ્યું : “ દીકરાઓ ! અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ . પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે . ભગવાન તો બધુંય જાણે છે તે કોઈનાથી છેતરાતો નથી , પણ આપણે જ છેતરાઈએ છીએ . ’ ’ બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here