પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 11 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 11 | શંકરનું વરદાન | શ્રેષ્ઠ દાનની કથા

on

|

views

and

comments

સુદ ૧૧ આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૧૧ મો શંકરનું વરદાન

અધ્યાય અગિયારમો | શ્રેષ્ઠ દાનની કથા

સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે મુનિશ્રષ્ઠો ! ઋષિકન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી . સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતાં તે પાંચ અગ્નિઓની વચ્ચે બેસતી , હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી , ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી , ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી શરીરે કંઈપણ ઓઢ્યા વગર સૂતી . તે આહારમાં ફક્ત સવાર – સાંજ ધુમાડો જ લેતી . આ રીતે તેણે નવ હજાર વર્ષ સુધી તપ કર્યું . આટલી

ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેઘાવતી ઉપર પ્રસન્ન થયા . તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન આપ્યાં . મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી , છતાં ભગવાન શંકરનાં દર્શનમાત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ . તેનું શરીર કૃશ થઈ ગયું હતું , છતાં તેમાં શક્તિનો સંચય થયો . તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને વિનયપૂર્વક સ્તુતિ કરતા કહેવા લાગી : ‘ હે પાર્વતીપતિ , હે દીનાનાથ , હે ભોળાનાથ , હે શંભો , આપને નમસ્કાર હો . ચંદ્ર – સૂર્ય – અગ્નિરૂપ ત્રિનેત્રવાળા , મુંડમાળાવાળા ને સર્પને ધારણ કરનાર , ત્રિશૂળધારી હે પ્રભો , મારા તમને નમસ્કાર છે .

સંસારસાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે તેમ હું પણ આપને શરણે આવી છું . બાણાસુરના સર્જક અને અલર્કરાજાની મરેલ પત્નીને સજીવન કરનાર નાથ , આપના ગુણ ગાવા દુર્લભ છે . ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર ,

સંસારનો આવાગમનનો નાશ કરનાર , જન્મ – મરણને હરનારા એવા આપને વારંવાર નમસ્કાર કરું છું . ’ ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈ કહ્યું : ‘ હૈ તપસ્વિની , તારી જે કાંઈ ઇચ્છા હોય તે દર્શાવ . હું તારા ઉપર પ્રસન્ન થયો છું . તું જે માંગે તે આપવા હું તૈયાર થયો છું . ભગવાન શંકરનું આ વચન સાંભળી ઋષિકન્યા બોલી : હું દીનદયાળુ , જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો , પતિ આપો , હું પતિ માગું છું , માટે મને પતિ આપો , પતિ આપો . મારી બીજી કોઈ ઇચ્છા નથી . ‘ ‘ ભગવાન શંકર બોલ્યા : ‘ હે કન્યા , તેં પાંચ વાર પતિની માગણી કરી , તેથી હવે તને પાંચ પતિ થશે . તેઓ દાનવીર , શૂરવીર અને ધર્મવીર હશે . ’ મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી સ્તબ્ધ બની ગઈ . તેને આ સાંભળી ઘણું દુ : ખ થયું . તેણે કહ્યું : ‘ હે કૈલાસપતિ , મેં વરદાનમાં માગ્યું શું અને આપે આપ્યું શું ?

એક પતિને પાંચ પત્ની હોય તેવું તો સાંભળ્યું છે , પણ એક સ્ત્રીને પાંચ પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી . હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું . ’ .. ભગવાન શંકરે કહ્યું : ‘ હે કન્યા ! મારા વરદાનમાં ફરક નહિ પડે . આ જન્મમાં નહિ , તો આવતા જન્મમાં પાંચ પતિ અવશ્ય થશે . તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી , તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે . હવેથી કોઈપણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ . અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ . ’ આમ કહી ભગવાન શંકર અંતર્ધાન થયા .

‘ શ્રી બૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ મેઘાવતીને શંકરનું વરદાન ’ નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ .

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

શ્રેષ્ઠ દાનની કથા : વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા . તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી . લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એકે સંતાન પ્રાપ્ત થયું નહોતું . ઈશ્વરકૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો હતો . એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછરતો હતો . તેની કાળજી રાખવા નોકરો ખડેપગે તેની સેવામાં હાજર રહેતા . દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો . રાજકુમારને મોટો થતો જોઈને રાજાનો આનંદ માતો નથી . આમ કરતાં કરતાં રાજકુમાર પંદર વર્ષનો થયો , ત્યારે એકાએક તે બીમાર પડી ગયો . આથી રાજા – રાણીને ઘણું દુ : ખ થયું . કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ – પરદેશથી વૈદ્યોને બોલાવ્યા . જોગી , જતી અને ભુવાઓને બોલાવ્યા , પણ કોઈ ઉપાયે કુંવર સાજો થતો નથી . રોગ તો દિવસે દિવસે વધવા લાગ્યો . કેટલાયે ઉપાયો અજમાવી જોયા , પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી .

રાજા – રાણી કુંવરની પથારી પાસે ચોવીસે કલાક બેસી રહે છે . નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા – પીતા . બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે , ‘ હે પ્રભુ ! મારા દીકરાને સાજો કર અને મને લઈ લે . ‘ એક દિવસની વાત . મધરાતનો સમય હતો . રાજા – રાણી કુંવરના બિછાના પાસે ઝોકાં ખાતાં બેઠાં હતાં . ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો : ‘ હે રાજન ! તારો કુંવર કોઈ દવાથી સાજો નહિ થાય . જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે . અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે . તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય , તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે , તો તેના પુણ્યના પ્રભાવે કરીને તે સાજો થઈ શકશે . ’ આટલું સાંભળતાં જ રાજાની આંખ ઊઘડી ગઈ . રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી . થોડી આશા બંધાઈ .

શ્રેષ્ઠ દાનની કથા વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા . તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી . લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એકે સંતાન પ્રાપ્ત થયું નહોતું . ઈશ્વરકૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો હતો . એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછરતો હતો . તેની કાળજી રાખવા નોકરો ખડેપગે તેની સેવામાં હાજર રહેતા . ૧૦૧ દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો . રાજકુમારને મોટો થતો જોઈને રાજાનો આનંદ માતો નથી . આમ કરતાં કરતાં રાજકુમાર પંદર વર્ષનો થયો , ત્યારે એકાએક તે બીમાર પડી ગયો . આથી રાજા – રાણીને ઘણું દુ : ખ થયું . કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ – પરદેશથી વૈદ્યોને બોલાવ્યા . જોગી , જતી અને ભુવાઓને બોલાવ્યા , પણ કોઈ ઉપાયે કુંવર સાજો થતો નથી . રોગ તો દિવસે દિ

વસે વધવા લાગ્યો . કેટલાયે ઉપાયો અજમાવી જોયા , પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી . રાજા – રાણી કુંવરની પથારી પાસે ચોવીસે કલાક બેસી રહે છે . નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા – પીતા . બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે ,

‘ હે પ્રભુ ! મારા દીકરાને સાજો કર અને મને લઈ લે . ’ એક દિવસની વાત . મધરાતનો સમય હતો . રાજા – રાણી કુંવરના બિછાના પાસે ઝોકાં ખાતાં બેઠાં હતાં . ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો : ‘ હે રાજન ! તારો કુંવર કોઈ દવાથી સાજો નહિ થાય . જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે . અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે . તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય , તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે , તો તેના પુણ્યના પ્રભાવે કરીને તે સાજો થઈ શકશે . ’ આટલું સાંભળતાં જ રાજાની આંખ ઊઘડી ઈ . રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી . થોડી આશા બંધાઈ .

બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવ્યો : “ જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય , તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે . માટે આ ઢંઢેરો સાંભળી જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય , તે પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે . રાજા તેની કદર કરશે . ’ .. ૧૦૨ નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા . ઘણા દાનવીર હતા . એ બધા રાજમહેલે આવવા લાગ્યા . પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા , પણ કુંવર આંખો ખોલતો નથી . રાજા – રાણી નિરાશ થઈ ગયાં . ઉત્તમ દાન કહેવું કોને ? બે દિવસ વીતી ગયા . કુંવરની માંદગી વધવા લાગી . કુંવર હવે ઘડી – બે – ઘડીનો મહેમાન હતો . ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચીંથરેહાલ અને કૃશકાય માણસ મહેલમાં આવ્યો . એના દેદાર જોઈને પહેલા તો પહેરેગીરે એને મહેલમાં જવા ન દીધો . એણે ઘણી આજીજી કરતાં માંડ માંડ અંદર જવા દીધો . રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી . તે નગરનો તેલી હતો . તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું : “ મહારાજ ! મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું .

’ રાજા – રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યાં . તેઓ આશ્ચર્યમાં પડી ગયાં . જેને પહેરવાં કપડાં નથી , ચીથરેહાલ છે . ચાર દિવસનો ભૂખ્યો લાગે છે , એવા આ કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય ? રાજા તો ના પાડવા જતો હતો , પણ રાણીએ ઇશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય . રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી . તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું : “ હે પુરુષોત્તમ ભગવાન ! આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે , એ જો આપને ઉત્તમ લાગતું હોય , તો હું એનું ફળ રાજકુંવરને આપું છું . સાજો કરવો ન કરવો તે આપની ઇચ્છા .

આટલું કહી તે પાણી કુંવરના મોં ઉપર છાંટતા કુંવરે આંખો ખોલી ચારે બાજુ જોવા માંડ્યું . પછી ‘ રાણી પાસે પાણી માગ્યું . રાણીએ તેને પાણી પાયું . તે પાણી પીને પથારીમાં બેઠો થયો . આ બધું ક્ષણમાં બની જતાં રાજા – રાણી તો હર્ષઘેલા થઈ ગયાં . રાજા – રાણીની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં . બંને તેલીના પગમાં પડી ગયા . કુંવર પણ ઊભો થઈ તેલીને પગે લાગ્યો . રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘેર મોકલ્યો . બીજા દિવસે દરબાર ભરાયો . રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો , પછી પૂછ્યું : ‘ ‘ ભાઈ , તારો દેખાવ કંગાળ છે , પેટ પૂરતું ખાવા ન મળતું હોય તેવી તારી કાયા છે . તોય તેં એવું તો ઉત્તમ દાન શું કર્યું છે , તે તું આ સભામાં જણાવ , જેથી બધાને ખ્યાલ આવે . ’ ’ તેલી ઊભો થઈ બે હાથ જોડી બોલ્યો : ‘ ‘ હું સાવ ગરીબ છું ઘાણી ચલાવું છું .

જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું . સંતાનમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે , તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે . ઉછીનું – ઉધાર કરવું પડે છે . આ વરસે પુરુષોત્તમ માસ આવ્યો , તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું , અને સવારે વહેલા ઊઠી બંને સ્નાન કરવા જતાં . કાંઠા ગોરમાનું પૂજન કરતા અને કથા – વાર્તા સાંભળતાં , કંઈક દાન કરતા અને એકટાણું કરી ઘાણી ચલાવતાં ચલાવતાં પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા . અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈપણ વ્રત કે નિયમ લો , ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ . અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે , તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ . આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો .

અમે પતિ – પત્ની વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યાં . થોડી વધુ મહેનત કરતા . આથી તેને વેચતાં પહેલાં કરતાં બે પૈસા વધારે આવતાં . તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો . હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતાં ત્યારે બંને એકે પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા . આવું અમે દરરોજ કરતાં . જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉઘાપન કર્યું . મહારાજ ! આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે . મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે , તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જાણે . તે મારાથી કેમ કહી શકાય ! તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ : “ તેં જે દાન કર્યું છે , તે જ શ્રેષ્ઠ દાન છે . ’ ’ આખો દરબાર ચિંકત થઈ ગયો . બધાં તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલવા લાગ્યા . રાજાએ ઊભા થઈ એક હજાર સોનામહોરવાળી થેલી તેના હાથમાં મૂકી . થોડાં ઘરેણાં અને કીમતી વસ્ત્રો ભેટ આપ્યાં .

બોલો પુરુષોત્તમ ભગવાનની જય

👉 ગોરમાનું ગીત વાંચવા અહી ક્લિક કરો

👉 પુરુષોત્તમ માસ મહિમાવલી | purushotam Mass mahimavali | ૧૦૮ મણકાની માળા | lyrics in gujarati

--> આધ્યાય 1 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 2 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 3 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા |  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા

આધ્યાય 8 :  મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 8 : મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 9 :  દુર્વાસાનું આગમન | ગુરુ - શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 9 : દુર્વાસાનું આગમન | ગુરુ – શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 10 :  દુર્વાસા - મેઘાવતી સંવાદ | ગંગાસ્નાનની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 
આધ્યાય 10 :  દુર્વાસા - મેઘાવતી સંવાદ | ગંગાસ્નાનની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો
Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here