અખાત્રીજ નો મહિમા અને આ દિવસે શા માટે આખો દિવસ શુભ માનવામાં આવે છે

on

|

views

and

comments

*અક્ષય તૃતીયા – અખાત્રીજ નો મહિમા “ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ તે દિવસ એટલે અખાત્રીજ” વૈશાખ સુદિ ત્રીજને અક્ષય તૃતીયાનું પર્વ ગણવામાં આવે છે. તેનો મહિમા પણ ઘણો મોટો છે. વર્ષીતપના તપસ્વીઓને ચાંદીના નાનકડા ઘડામાં ભરેલો ઇક્ષુરસ પીવડાવીને પારણા કરાવાય છે. આ અવસર્પિણી કાલમાં પ્રથમ રાજા, પ્રથમ દીક્ષાર્થી અને પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી અનંત કોટિકોટિ સાગરોપમ અગાઉ પરંપરાગત કરવામાં આવતો સર્વકાલીન પ્રભાવશાળી દીર્ઘતપ એટલે વર્ષીતપ

પ્રભુની કૃપા વરશે ત્યારે વરસીતપ પૂર્ણ થાય છે. તપસ્વીની ભક્તિ અને તપસ્વીની અનુમોદના એ પણ તપ- અંતરાય. કર્મ તોડવામાં શ્રેષ્ઠ સહાયક સાબિત થાય છે. અક્ષય તૃતીયાને દિવસે જ કેમ વર્ષી તપના પારણાં થાય છે?
અક્ષય તૃતીયાને દિવસે જ કેમ શ્રી આદિશ્વર દાદાને શેરડીના રસનો પ્રક્ષાલ થાય છે? એવું તે કયું કર્મ બાંધ્યું હતું શ્રી ઋષભ દેવના આત્માએ કે જેથી તેને વર્ષ ઉપરનો તપ કરવો પડ્યો? શ્રી ઋષભ દેવનું પારણું ક્યાં, કોના હાથે અને ક્યારે થયું? આજે એ સ્થળ ક્યાં આવેલું છે અને તેનું શું મહત્વ છે ??હસ્તિનાપુર, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ જેઓ તીર્થંકર ઉપરાંત ચક્રવર્તી પણ હતા તેઓના જ્યાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક થયા છે અને પ્રભુ આદિનાથના જ્યાં વર્ષીતપના પારણાં થયા તે પાવન ભૂમિ.

એક સમયે આદિનાથ પ્રભુનો આત્મા જયારે સંસારી અવસ્થામાં હતો ત્યારે પણ તે કરૂણાથી ભરેલો હતો. આદિનાથ પ્રભુ આ કાળના પ્રથમ રાજા હતા જેમણે પ્રજાને ખેતી કરતાં શીખવાડ્યું. તે પગપાળા ચાલીને જાતે જઇને ખેતી શીખવાડતા. એક દિવસની વાત છે, પ્રભુ ખેતરમાં ફરતા હતા અને તેમણે એક ખેડૂતને બળદને દોરડા વડે મારતા જોયો. આ જોઇને કરૂણાથી ભરેલા શ્રી ઋષભ દેવને મૂંગા બળદો પર દયા આવી અને તે ખેડૂતને પૂછ્યું કે “ભાઈ તું આમ કેમ બળદને મારે છે?” તો પેલા ખેડૂતે જવાબ આપ્યો કે “પ્રભુ આ બળદ જે ખાય છે તેના કરતાં વધુ બગાડે છે.” આથી શ્રી ઋષભ દેવે તે ખેડૂતને બળદના મોઢે “મોસળિયું” બાંધવા કહ્યું. તેમ કરતા ખેડૂતનો પ્રશ્ન હલ થઇ ગયો અને ખેડૂત ખુશ થઇ ગયો. હવે જયારે પ્રભુ પોતે જયારે જમવા બેસે છે ત્યારે તેમને પેલા બળદની યાદ આવી અને તેમણે પોતાના સેવકને દોડાવી તરત જ પેલા ખેડૂતને હાજર કરવા કહ્યું. ખેડૂતના આવતાં જ પ્રભુ તેને પૂછે છે કે કામ પતી ગયા પછી તેણે બળદોને ખાવાનું આપ્યું કે નહિ? ખેડૂત તે બળદોને ચારો નાખવાનું ભૂલી ગયો હતો અને આમ 13 કલાક બળદો ભૂખ્યા રહ્યા. તે વખતે શ્રી ઋષભદેવને લાભાંતરાય કર્મ બંધાયું અને દીક્ષા લીધા પછી તે ઉદયમાં આવ્યું અને 13 મહિનાના ઉપવાસ કરવા પડ્યા. જયારે પભુ દીક્ષા લીધા પછી વિચરતા-વિચરતા હસ્તિનાપુર આવે છે ત્યારે શ્રેયાંસકુમારના હાથે ઇક્ષુ રસથી પારણાં થાય છે. એ મહાન દિવસ હતો વૈશાખ સુદ ત્રીજ(અખા ત્રીજ) જે અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આથી દર વર્ષે તપસ્વીઓ વર્ષીતપના પારણાં કરવા અહી આવે છે.

આ નગરી ત્રણ ચક્રવર્તી રાજાઓ સનત, સુભુમ અને મહાપદ્મની રાજધાની હતી. પ્રભુ ઋષભદેવના એકવીસમાં પુત્ર ‘શ્રી હસ્તિકુમાર’ના નામ પરથી આ નગરીનું નામ પડેલું છે. અહી શ્રી શાંતિનાથ પ્રભુનું ભવ્ય અને ગગનચુંબી શિખરવાળું જિનાલય આવેલું છે. તદુપરાંત અષ્ટાપદજી તીર્થનું બેનમુન જિનાલય આવેલું છે તથા જંબૂદ્વીપની રચના પણ અદભૂત છે.

પ્રભાવના :- એક નાનું પણ બાંધેલું કર્મ કેવા મોટા ફળ આપે છે? એ શ્રી ઋષભદેવના આ દ્રષ્ટાંત ઉપરથી સમજાય છે!!!

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here