દેવશયની અેકાદસી વ્રત કથા મહીમા અને વાર્તા

0
251

શયની એકાદશી આષાઢ સુદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : “ હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢ માસનાશુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે ? ‘ કૃપાનિધિ બોલ્યા : ‘ રાજન્ ! અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ ‘ દેવશયની ’ અથવા ‘ દેવપોઢી એકાદશી છે . હું તેનું વર્ણન . એને દરરોજ એક | વંદન પ્રભુને પણ બંધનમાં રાખે છે . કરું છું . એ મહાન પુણ્યમયી , સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી , બધા પાપોને હરનારી તથા ઉત્તમદ્રત છે . અષાઢ શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે ,

devshayni ekadasi | દેવશયની અેકાદસી । અષાઢ સુદ અગિયારસ

એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે . દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજાબલીને ત્યાં છે અને બીજું સ્વરૂપ ક્ષીર સાગરમાં શેષનાગની શૈય્યા પર ત્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશીન આવે . આથી અષાઢ શુક્લ એકાદશીથી માંડીને કારતક શુક્લા એકાદશી સુધી મનુષ્ય વિશેષરૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ . જે મનુષ્ય આવ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે . આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ . એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ . એમ કરનારા પુરુષનાપુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે . જે લોકો વિધિપૂર્વક આવ્રત કરે છે એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાંસદાયમારું પ્રિયકરનારો છે .

જે મનુષ્યદીપદાન , ખાખરાના પાન પરભોજન , તથાવત કરતાં ચોમાસુ વ્યતિત કરે છે તેઓ મારા પ્રિય છે . એ માસમાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં શયન કરે છે . આથી મનુષ્યભૂમિ પરશયનકરવું જોઈએ . શ્રાવણમાંશાક અને દૂધ , ભાદરવામાં દહીં અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ . અથવા એ માસમાંજે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમગતિને પ્રાપ્ત થાય છે . રાજન્ ! એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે . આથી સદા એનું વ્રત કરવું જોઈએ . દેવપોઢી અને ( કાર્તિક શુક્લા ) દેવ ઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે , ગૃષ્ઠસ્થ માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે . બીજા મહિનાઓની કૃષ્ણપક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી . શુક્લ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું જોઈએ . ’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here