21દિવસ સુધી 3.5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખાંડ ફ્રીમાં આપવામાં આવશે તેમજ ખેડૂતોને ધિરાણ પરત ચૂકવવામાં 3 મહિનાની રાહત આ માહિતી દરેક ઘર સુધી પહોંચાડવા વિનંતી

0
263

21દિવસ સુધી રૂ . 5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખૉડ ફ્રીમાં આપવામાં આવશે

કોરોના વાઈરસના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે ત્યારે ગુજરાતમાં લૉકડાઉનના કારણે ગરીબો , શ્રમજીવીઓ અને કામદાર વર્ગના પરિવારોને જીવન જરૂરિયાત માટે એક મહિનાનું રાશન વિનામૂલ્ય આપવાનો

નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે .60 લાખ પરિવારના 3 .25 કરોડ લોકોને એક મહિનાનું રાશન વિનામૂલ્ય આપવામાં આવશે .મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે અંત્યોદય અને અગ્રતા ધરાવતા કાર્ડધારકોને એક એપ્રિલથી એક મહિના માટે રાજ્યની સસ્તા અનાજની દુકાનો પરથી વ્યક્તિદીઠ

3 . 50 કિલો ઘઉં , 1 . 50 કિલો ચોખા , કુટુંબ દીઠ 1 કિલો ખાંડ , 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્ય અપાશે . પુરવઠા નિગમના એમડી મહંમદ શાહીદે કહ્યું કે સસ્તા અનાજની 15 હજાર દુકાનોમાંથી અનાજ વિતરણની કામગીરી થશે . ઇન્ટર સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રીક્ટ કાર્ડધારકોનો ડેટા પણ શેર કરાયો છે જેથી જે લોકો

જ્યા છે ત્યાની દુકાન પરથી કાર્ડ બતાવીને અનાજ લઇ શકશે . અશ્વિની કુમારે જણાવ્યું કે આ સિવાય રાજ્યમાં દૂધ અને શાકભાજીનો પુરવઠો નિરંતર મળતો રહે તે પણ સુનિશ્ચિત કરાયું છે . રાજ્યમાં આજે 3 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થયું છે જે પૈકી so લાખ લીટરનું વિતરણ કરાયું છે .

ખેડૂતોને ધિરાણ પરત ચૂકવવામાં3 મહિનાની રાહત અશ્વિનીકુમારે કહ્યું કે ખેડૂતોએ પોતાના પાક માટે લીધેલું ટૂંકી મુદતનું ધિરાણ 31 માર્ચ સુધીમાં પરત ચૂકવવાનું હોય છે પરંતુ વર્તમાન સ્થિતિને કારણે આ પરત ચૂકવણીની સમયમર્યાદા બેથી ત્રણ મહિના લંબાવવા માટે રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને રજૂઆત કરાઇ છે . આ વધારાના સમયગાળા માટેની વ્યાજ રાહત પણ રાજ્ય સરકાર ખેડૂતોને આપશે .

1 9 : : : દૂધના સ્ટોક અને વિતરણમાં નિયમિતતા જળવાઇ રહે તે માટે રાજ્યના 18 મોટા દુધ સંઘો કરીઓ પર સરકારી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે . આ ઉપરાંત શાકભાજી – અનાજ વગેરેનો સપ્લાય પુરતો મળી રહે તે નાટે 75 એપીએમસી ઉપર સહકાર સચિવ મનીષ ભારદ્વાજ મોનીટરીંગ કરશે . રાજ્યમાં આજે 53 હજાર ક્વીન્ટલ શાકભાજી આવ્યા હતા . જેનું વિતરણ ચાલી રહ્યું છે . જે વકી 22 , 500 ક્વીન્ટલ લીલા =ાકભાજી , 17 હજાર ક્વીન્ટલ નટાકા , 4 હજાર ક્વીન્ટલ જેટલી ગળી અને 8 હજાર ક્વીન્ટલ જેટલા ટામેટાનો સમાવેશ થાય છે . ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હોવાથી મુખ્યમંત્રીએ બટાટા અને ફળોના પુરવઠાની પુરતી વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપી છે .

નાગરિકોને શાકભાજી , ફળ – ફળાદિની અવિરત ઉપલબ્ધિ માટે o૫ APMCમાં સહકાર સચિવની આગેવાનીમાં દેખરેખ રખાશે આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતા પ્રમાણમાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહીં તેવો કોઈએ ડર રાખવાની જરૂર નથી – શ્રી નીતિનભાઈ પટેલ , નાયબ મુખ્યમંત્રી , ગુજરાતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here