એક ખેડૂતની વ્યથા દીકરો પણ છીનવી લીધો અને રોજીરોટી એટલે ગાય મફતમાં આપી દીધી

on

|

views

and

comments

છોકરાની જેમ વૃક્ષોનો ઉછેર કર્યો હતો, તેની સ્થિતિ જોઈ દુ:ખ થયું: પરિવારનો વલોપાતઉના  તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ અનેક પરિવારોની હાલત દયનીય બની છે. તાલુકાના નાનાએવા સુલ્તાનપુર ગામના પટેલ  ખેડૂત પરિવાર પર કુદરતી થપાટમાં આભ તૂટી પડ્યું છે. આ પરિવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. 1મહીના બાદ તાઉ-તે વાવાઝોડાએ બાગાયતી પાક  છીનવી લીધો છે. નીરણની તંગી સર્જાતા ગાય પણ મફતમાં આપી દીધી.

આ પરિવારના બે સભ્યને કોરોના પોઝિટિવ આવતાં તેમની સારવાર માટે રૂ. 70 હજારના  7 રેમડેસિવિર ઇન્જેક્શન કાળાં બજારમાં ખરીદવા પડ્યાં હતાં છતાં પણ એક સભ્યે તો જિંદગી ગુમાવી જ હતી

વાત સુલ્તાનપુર ગામમાં બાગાયતી ખેતી  ધરાવતા પટેલ પરિવારના બાબુભાઇ લવાભાઇ અપાણીની છે. બાબુભાઈ અને તેમના યુવાન પુત્ર કનુભાઇ અપાણીને કોરોના પોઝિટિવ આવતાં ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. દરમિયાન તા. 17 એપ્રિલે કનુભાઇનું મોત થતાં પરિવાર ભાંગી પડ્યો હતો.

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે  પિતાની તબિયત સારી થઇ ગઇ, પણ પોતાનો ભાઇ ગુમાવ્યાનું દુઃખ હતું. એ વખતે લોકો કહેતા કે કોરોનામાં નાળિયેર રૂ. 100માં વેચાઇ રહ્યા છે. આ વાતથી ઊકળી ઊઠેલા ઘનશ્યામભાઇએ નક્કી કર્યું તેમની વાડીમાં 175 નાળિયેરી છે. એમાંથી જરૂરિયાતમંદને નાળિયેર મફત આપવા. આ રીતે તેમણે રૂ. 25 હજારથી  વધુનાં નાળિયેર કોરોના દર્દીઓને મફત આપ્યા હતા. ત્યાર બાદ તા. 17 મેના રોજ તાઉ-તે વાવાઝોડું આવ્યું અને તેમના 11 વીઘામાં વર્ષોથી માવજત કરેલાં  નાળિયેરનાં 175 ઝાડ અને આંબાના ઝાડ જડમૂળમાંથી ઊખડી ગયાં. ઘનશ્યામભાઇ અને તેમનાં પત્ની દયાબેન પોતાની વાડીની હાલત અને પાક જોઇને રડવા લાગ્યાં.

આ વાત કરતાં દયાબેનની આંખમાં પાણી આવી ગયાં. તેમણે કહ્યું, અમે હેલ ભરીને પાણી પીવડાવી વૃક્ષો ઉછેર્યા હતા. હવે અમારી પાસે પૂરતા પૈસા પણ નથી. ખેતરને સાફ કેમ કરીશું. બીજી તરફ  15 દિવસથી વાવાઝોડાને લીધે લાઇટ પણ ન હોવાથી મૂંગાં  પશુની હાલત પણ દયાજનક બની ગઇ છે. ઘનશ્યામભાઇએ પોતાની ગીર ઓલાદની ગાય માટે નીરણ કે પાણી ન મળતાં બહારગામ રહેતા  પોતાના સંબંધીને મફતમાં આપી દીધી. તેઓ કહે છે, આ વાવાઝોડાની થપાટ કારમી લાગી છે. ભગવાન પણ બધી બાજુથી એકસાથે કસોટી લઇ રહ્યા છે.

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here