અમદાવાદ સિવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર માત્ર રૂા . ૨૦ / – રૂા . માં પ્રતિ એક વ્યક્તિને જમવાનું મળશે

0
251

અમદાવાદ સિવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર … કોઈપણ કારણસર કોઈપણ વ્યક્તિને અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં અથવા આજુબાજુની કોઈપણ હોસ્પિટલમાં જવું પડે તેમ હોય અને હોસ્પિટલના કામથી ત્યાં રોકાવું પડે તેમ હોય તો આપને બિલકુલ નજીવા દર ( ભાવ ) થી એક સંસ્થા રહેવા તેમજ જમવાની સેવા આપી રહી છે તો આ સેવાનો લાભ આપ દરેક જરૂરીયાતમંદ અવશ્ય લી શકો છો . માત્ર રૂા . ૨૦ / – રૂા . માં પ્રતિ એક વ્યક્તિને જમવાનું મળશે અને માત્ર રૂા . ૨૦ / – માં પ્રતિ બે વ્યક્તિને રહેવા માટે એક રૂમ મળશે અને કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ ( એડમીટ ) થયું હોય તો પણ માત્ર રૂા . ૨૦ / માં ટીફીન સેવા પણ મળશે . આ તમામ સેવાઓ નીચે જણાવેલ સરનામા પર મળશે . . E અન્નપુર્ણા ભવન , દિગ્વિજય લાયંસ ફાઉન્ડેશન , સિવિલ હોસ્પિટલ ગેટ નં . ૩ ની સામે , અસારવા , અમદાવાદ . દરેક મિત્રો તથા સગાં વ્હાલાને આની જાણ કરવા વિનંતી … આ સમાચાર થી કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને તમારા કારણે આ સેવાનો લાભ લઈ શકે અને એ સેવાનો લાભ તમને મળે એટલે તેમના અંતરના આશિર્વાદ પણ તમને મળી જાય … વિકીભાઈ ત્રિવેદી ( બોર્ડ મેમ્બર ) , અન્નપુર્ણા ભવન , મો . : ૯૧૭૩૭૧૮૧૭૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here