પુરુષોત્તમ માસની કથા વારતા અને માહતમ્ય વાંચીને શેર કરજો

on

|

views

and

comments

પુરુષોત્તમ માસની કથા પહેલાના સમયની આ વાત છે . સીતાપુર નામે એક ગામમાં એક શેઠ અને એક શેઠાણી રહે છે . શેઠ – શેઠાણીને સર્વ વાતે સુખ છે પણ પુત્રનથી આખું જીવન વીતી ગયું . શેઠને પુત્ર સુખની પ્રાપ્તિ થઈ નહી . શેઠ – શેઠાણી ધાર્મિક ભાવનાવાળા છે . તેમને એક વાતનો ભરોસો છે કે ગમે તેમ પણ હજુય ભગવાન નારાયણની સેવા પૂજા મિથ્યા થશે નહીં કોઈક સમયે તો પ્રભુ કૃપા ક ૨ શે . આમ શ્રધ્ધા રાખીને વાર તહેવાર વ્રત – ઉપવાસ કરે છે . એવામાં અધિક માસ આવે છે શેઠ – શેઠણીએ પુરૂષોત્તમ માસનું વ્રત ક ૨ વાનું નક્કી કર્યું . અધિક માસના પહેલા દિવસથી જ વહેલા ઉઠી નદીએ નહાવા જાય . પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરીને કુંભનું પૂજન કરે , પછી કથા વાર્તા સાંભળે ને દેવ દર્શને જાય . આમ વ્રત નિયમ પાળીને પછી જ એક ટાણું જમે . રાત્રે ભજન કિર્તન કરે .

એવામાં શેઠાણીને વિચાર આવ્યો કે જો કોઈ કામ કરવાવાળું હોય તો ઘણી નવરાશ મળે . અને એટલી પ્રભુ ભક્તિ વધારે થાય . એમ વિચારી પેઢીએથી શેઠ જેવા ઘરે આવ્યા કે તેમને કહ્યું , ‘ ‘ આપણા ઘરમાં જો વહું હોય તો કામકાજમાં કેટલી શાંતિ થાય ! વળી એટલો સમય ભગવાનનું વધારે ભજન થાય . માટે ગમે તેમ મને હુ લાવી આપો . શેઠ કહે , ‘ ‘ ગાંડી રે ગાંડી ! દિકરા વગર કાંઈ વહું આવે ? ’ તેમ છતાં શેઠાણીએ જીદ લીધી . તમે વહુ લાવો તો જ હા નહી તો નહી કોઈની સાથે વાત ચીત કરો અને કહો કે અમારો દીકરો કાશીએ ભણવા ગયો છે . ભણીને એક માસમાં આવશે એટલે ચોથો ફેરો ફેરવીશું અત્યારે આની સાથે ત્રણ ફેરા ફેરવો . ’ ’ શેઠાણીની વાત સાંભળી શેઠ તો ખભે ખડીયો નાંખીને ઉપડ્યાં છે . એક ગામમાં પૂછ્યું . બીજે ગામે પૂછ્યું .એમ કરતાં કરતાં આગળ જાય છે . ત્યાં વળી એક નગર આવ્યું .

પુરુષોત્તમ માસ કથા | purushotam Mass varta | parsotam mahina | parsotam mahina ki Katha

શેઠતો નગરમાં ગયાં ત્યાં જઈને બે ચાર શેઠિયાઓને વાત કરી તો એમાના ત્રણે જણે કહ્યું . ‘ ‘ ઓ … હો … હો એમાં તે શું ! હું મારી કન્યા આપું છું . અને સોના મહોરની પેટી સાથે કન્યાના ત્રણ ફેરા ફેરવાઈ વિદાય લઈ શેઠ અને વહુ પોતાના ગામ સીતાપુર આવ્યા . શેઠાણીએ તો વહુનું મોઢું જોઈને દુઃખણાં લીધાં . આખું ઘર બતાવી ધરકામ સોંપ્યું . વહું તો આનંદથી રહેવા લાગી , ઉત્સાહ અને ઉમંગથી કામ કરેછે . અને વિચારે છે કે એક માસને જતા વાર કેટલી ? આમ વિચારતાં ઉમંગભેર સાસુ સસરાની સેવા કરે છે . એકવાર તેણીને સાંબેલાની જરૂર પડી . તેથી બાજુમાં રહેતાં પડોશીના ત્યાં ગઈ અને બોલી , ‘ ‘ ભાભીજી … ભાભીજી ! તમારૂં સાંબેલું આપોને ! થોડીવારમાં પાછું આપી જઈશ . ’ પેલી પડોશણ તાડુકો કરતાં બોલી , ‘ ‘ એય બાઈ ! તું કોને ભાભી કહેછે ? તું જેને તારા સાસુ – સસરા કહેછે એમને વળી દિકરો કેવો ને વાત કેવી ? તે તું મને ભાભીજી કહે છે . ’ ’ વહુને તો પાડોશણની વાત સાંભળી ઘણું જ દુ : ખ થયું .

પોતાન ઘરે આવી રડવા લાગી થોડીવારે સાસુ – સસરા દેવદર્શનથી પાછા આવન્યા અને જોયું તો ઘરકામ એમને એમે પડ્યું છે . નક્કી કાંઈક બન્યું છે . નહી તો આમ થાય નહી , સાસુ બોલ્યા અને વહુને પાસે બોલાવી તેના મનને આનંદ થાય તેમ વિચારી સાસુએ પોતાના ઘરના કોઠારોની ચાવી વહુનવે આપી અને બોલ્યા , ‘ ‘ વહુ બેટા ! લો આ કોઠારોની વી . સાત કોઠાર છે એમાંછ કોઠારમાં સોના , ચાંદી હીરા , ઝવેરાત અનાજ તથા સુકામેવા છે . છ કોઠાર ખોલજા પણ સાતમો કોઠાર ખોલશોનહીં.’છેલ્લા કોઠારમાં પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરી હતી તે કોઠાર ખોલવાની ના કહી હતી . વહુએ તો એક પછી એક એમ છ કોઠાર ખોલીને જોયું તો સાસુ સસરા વાત સાચી હતી . પુષ્કળ જર – ઝવેરાતથી ભરચક કોઠારો ભરેલાં હતાં . પછી સાતમાં કોઠાર પાસે આવી મનમાં વિચાર કર્યો કે , એવું તે શું આ કોઠારમાં સાસુજીએ સંતાડ્યું હશેતે ખોલવાની ના કહી . લાવને ખોલીને જોઉં તો ખરી કે છે શું ? આમ વિચારી વહુએ તો સાતમો કોઠાર ખોલ્યો .

ત્યાં તો તેણીને તેમાં અસંખ્ય પારસમણી જાણે ઝગારા મારી રહ્યા હોય તેવો પ્રકાશ દેખાયો . જરા વધારે અંદર વાંકા વળીને જોયું તો એક દિવ્ય પુરૂષ આસન જમાવીને બેઠો છે , સામે ભગવાનની સ્થાપના કરી છે . હાથમાં પોથીછે . સામે ઘીનો દીવો પ્રગટેછે . વહુ તો આવું દશ્ય જોઈને મૂંઢની જેમઉભી રહી . ત્યાં તો પેલા દિવ્ય પુરૂષે કહ્યું , ‘ ‘ તમને મારા માતા – પિતાએ કોઠાર ઉઘાડવાની ના કહી હતી છતાંય તમે ખોલ્યો કેમ ? મારા અભ્યાસમાં ખલેલ પહોચાડી . વહેએ પોતાની નજર સમક્ષ બેઠેલાં દિવ્ય પુરૂષની માફી માંગતા કહ્યું . ‘ ‘ મારી ભૂલ થઈ છે માટે મને માફ કરો . આ કોઠારમાં એવું તે શું છે કે મને કોઠાર ખોલવાની ના કહી મેં કુતુહલ વશ થઈને કોઠાર ખોલ્યો .

’ પેલા દિવ્ય પુરૂષ કહ્યું , ‘ ‘ ઠીક પણ હવે તમે કોઠાર બંધ કરો હજુ મારો અભ્યાસ પૂર્ણ થવાને એક માસની વાર છે . મારા માતા – પિતાનું વ્રત પૂર્ણ થાય અને તેઓ વ્રતનું ઉજવણું કરે ત્યારે મને ખબર કરજો . જેથી હું ત્યારે તમારી સાથે લગ્ન કરીશ . ’ ’ આ સાંભળવા વહુ તો આનંદ વિભોર થઈ ગઈ . ૧૩૩ પછી તો પુરૂષોત્તમ માસ પૂરો થયો છે . સાસુ – સસરા વ્રતનું ઉજવણું કરવાની તૈયારી કરવા લાગ્યાં અને વહુ આખા ગામમાં નોતરૂ દઈ આવી કે તમારે બધાએ અમારે ત્યાં જમવા આવવાનું છે .

વ્રતના ઉજવણા નિમિત્તે અને મારા લગ્ન નિમિત્તે . વહુની વાત સાંભળી ગામના લોકોને દયા આવી કે બિચ્ચારીનું ચિત્ત ભ્રમ થઈ ગયું લાગે છે . છતાંય ચાલો તો ખરા શું થાય છે તે જોઈએ અને ગામના બધા લોકો વહુને ઘેર આવ્યાં વહુએ તો પોતાના લગ્ન માટે ચોરી બંધાવી અને સાસુ – સસરાને કહ્યું કે , ‘ ‘ ગોર મહારાજને બોલાવો . તમારા દિકરાને બોલાવો અને મારા અધુરા લગ્ન ચોથા ફેરા ફેરવી પૂર્ણ કરાવો . ’ ’ વહુની વાત સાંભળી સાસુ – સસરાને ચિંતા થવા લાગી કે હવે શું થશે ? દિકરો તોછે નહી ..વહુને શો જવાબ દેવો ? આમ વિચાર કરે છેત્યાં તો વહુ બોલી , ‘ સાસુમા ! લાવો હુજતમારા દિકરાને બોલાવી લાવું છું . ’

’ એમ કહી વહુ તો સાતમા કોઠારે આવી ક્રોઠાર ઉઘાડી પુરૂષોત્તમ ભગવાનને બોલાવી ગઈ . વહુને તો એમ જ હતું કે આજ મારા સાસુ – સસરાનો દિકરો અને મારો પતિ છે પણ એ તો દિવ્ય પુરૂષ ભગવાન પુરૂષોત્તમ પોતાના ભોળા ભક્તોની લાજ રાખવા આવ્યાં હતાં . આ બાજુ સાસુ – સસરાએ આદિવ્ય પુરૂષને જોયાં કે સમજી ગયા ભગવાને લાજ રાખી . પોતે સ્વયં પુત્ર બનીને આવ્યાં . દિકરોને વહુ ચોરીમાં બેઠાં ચોથો ફેરો ફરીને ઉઠ્યાં અને માતા પિતાને પગે લાગ્યાં . . આમ હે પુરૂષોત્તમ ભગવાન ! આપ જેવા શેઠ – શેઠાણી તે ફળ્યાં તેવાં સહુને ફળજો .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here