પુરુષોત્તમ માસની કથા વારતા અને માહતમ્ય વાંચીને શેર કરજો

0
346

પુરુષોત્તમ માસની કથા પહેલાના સમયની આ વાત છે . સીતાપુર નામે એક ગામમાં એક શેઠ અને એક શેઠાણી રહે છે . શેઠ – શેઠાણીને સર્વ વાતે સુખ છે પણ પુત્રનથી આખું જીવન વીતી ગયું . શેઠને પુત્ર સુખની પ્રાપ્તિ થઈ નહી . શેઠ – શેઠાણી ધાર્મિક ભાવનાવાળા છે . તેમને એક વાતનો ભરોસો છે કે ગમે તેમ પણ હજુય ભગવાન નારાયણની સેવા પૂજા મિથ્યા થશે નહીં કોઈક સમયે તો પ્રભુ કૃપા ક ૨ શે . આમ શ્રધ્ધા રાખીને વાર તહેવાર વ્રત – ઉપવાસ કરે છે . એવામાં અધિક માસ આવે છે શેઠ – શેઠણીએ પુરૂષોત્તમ માસનું વ્રત ક ૨ વાનું નક્કી કર્યું . અધિક માસના પહેલા દિવસથી જ વહેલા ઉઠી નદીએ નહાવા જાય . પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરીને કુંભનું પૂજન કરે , પછી કથા વાર્તા સાંભળે ને દેવ દર્શને જાય . આમ વ્રત નિયમ પાળીને પછી જ એક ટાણું જમે . રાત્રે ભજન કિર્તન કરે .

એવામાં શેઠાણીને વિચાર આવ્યો કે જો કોઈ કામ કરવાવાળું હોય તો ઘણી નવરાશ મળે . અને એટલી પ્રભુ ભક્તિ વધારે થાય . એમ વિચારી પેઢીએથી શેઠ જેવા ઘરે આવ્યા કે તેમને કહ્યું , ‘ ‘ આપણા ઘરમાં જો વહું હોય તો કામકાજમાં કેટલી શાંતિ થાય ! વળી એટલો સમય ભગવાનનું વધારે ભજન થાય . માટે ગમે તેમ મને હુ લાવી આપો . શેઠ કહે , ‘ ‘ ગાંડી રે ગાંડી ! દિકરા વગર કાંઈ વહું આવે ? ’ તેમ છતાં શેઠાણીએ જીદ લીધી . તમે વહુ લાવો તો જ હા નહી તો નહી કોઈની સાથે વાત ચીત કરો અને કહો કે અમારો દીકરો કાશીએ ભણવા ગયો છે . ભણીને એક માસમાં આવશે એટલે ચોથો ફેરો ફેરવીશું અત્યારે આની સાથે ત્રણ ફેરા ફેરવો . ’ ’ શેઠાણીની વાત સાંભળી શેઠ તો ખભે ખડીયો નાંખીને ઉપડ્યાં છે . એક ગામમાં પૂછ્યું . બીજે ગામે પૂછ્યું .એમ કરતાં કરતાં આગળ જાય છે . ત્યાં વળી એક નગર આવ્યું .

પુરુષોત્તમ માસ કથા | purushotam Mass varta | parsotam mahina | parsotam mahina ki Katha

શેઠતો નગરમાં ગયાં ત્યાં જઈને બે ચાર શેઠિયાઓને વાત કરી તો એમાના ત્રણે જણે કહ્યું . ‘ ‘ ઓ … હો … હો એમાં તે શું ! હું મારી કન્યા આપું છું . અને સોના મહોરની પેટી સાથે કન્યાના ત્રણ ફેરા ફેરવાઈ વિદાય લઈ શેઠ અને વહુ પોતાના ગામ સીતાપુર આવ્યા . શેઠાણીએ તો વહુનું મોઢું જોઈને દુઃખણાં લીધાં . આખું ઘર બતાવી ધરકામ સોંપ્યું . વહું તો આનંદથી રહેવા લાગી , ઉત્સાહ અને ઉમંગથી કામ કરેછે . અને વિચારે છે કે એક માસને જતા વાર કેટલી ? આમ વિચારતાં ઉમંગભેર સાસુ સસરાની સેવા કરે છે . એકવાર તેણીને સાંબેલાની જરૂર પડી . તેથી બાજુમાં રહેતાં પડોશીના ત્યાં ગઈ અને બોલી , ‘ ‘ ભાભીજી … ભાભીજી ! તમારૂં સાંબેલું આપોને ! થોડીવારમાં પાછું આપી જઈશ . ’ પેલી પડોશણ તાડુકો કરતાં બોલી , ‘ ‘ એય બાઈ ! તું કોને ભાભી કહેછે ? તું જેને તારા સાસુ – સસરા કહેછે એમને વળી દિકરો કેવો ને વાત કેવી ? તે તું મને ભાભીજી કહે છે . ’ ’ વહુને તો પાડોશણની વાત સાંભળી ઘણું જ દુ : ખ થયું .

પોતાન ઘરે આવી રડવા લાગી થોડીવારે સાસુ – સસરા દેવદર્શનથી પાછા આવન્યા અને જોયું તો ઘરકામ એમને એમે પડ્યું છે . નક્કી કાંઈક બન્યું છે . નહી તો આમ થાય નહી , સાસુ બોલ્યા અને વહુને પાસે બોલાવી તેના મનને આનંદ થાય તેમ વિચારી સાસુએ પોતાના ઘરના કોઠારોની ચાવી વહુનવે આપી અને બોલ્યા , ‘ ‘ વહુ બેટા ! લો આ કોઠારોની વી . સાત કોઠાર છે એમાંછ કોઠારમાં સોના , ચાંદી હીરા , ઝવેરાત અનાજ તથા સુકામેવા છે . છ કોઠાર ખોલજા પણ સાતમો કોઠાર ખોલશોનહીં.’છેલ્લા કોઠારમાં પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરી હતી તે કોઠાર ખોલવાની ના કહી હતી . વહુએ તો એક પછી એક એમ છ કોઠાર ખોલીને જોયું તો સાસુ સસરા વાત સાચી હતી . પુષ્કળ જર – ઝવેરાતથી ભરચક કોઠારો ભરેલાં હતાં . પછી સાતમાં કોઠાર પાસે આવી મનમાં વિચાર કર્યો કે , એવું તે શું આ કોઠારમાં સાસુજીએ સંતાડ્યું હશેતે ખોલવાની ના કહી . લાવને ખોલીને જોઉં તો ખરી કે છે શું ? આમ વિચારી વહુએ તો સાતમો કોઠાર ખોલ્યો .

ત્યાં તો તેણીને તેમાં અસંખ્ય પારસમણી જાણે ઝગારા મારી રહ્યા હોય તેવો પ્રકાશ દેખાયો . જરા વધારે અંદર વાંકા વળીને જોયું તો એક દિવ્ય પુરૂષ આસન જમાવીને બેઠો છે , સામે ભગવાનની સ્થાપના કરી છે . હાથમાં પોથીછે . સામે ઘીનો દીવો પ્રગટેછે . વહુ તો આવું દશ્ય જોઈને મૂંઢની જેમઉભી રહી . ત્યાં તો પેલા દિવ્ય પુરૂષે કહ્યું , ‘ ‘ તમને મારા માતા – પિતાએ કોઠાર ઉઘાડવાની ના કહી હતી છતાંય તમે ખોલ્યો કેમ ? મારા અભ્યાસમાં ખલેલ પહોચાડી . વહેએ પોતાની નજર સમક્ષ બેઠેલાં દિવ્ય પુરૂષની માફી માંગતા કહ્યું . ‘ ‘ મારી ભૂલ થઈ છે માટે મને માફ કરો . આ કોઠારમાં એવું તે શું છે કે મને કોઠાર ખોલવાની ના કહી મેં કુતુહલ વશ થઈને કોઠાર ખોલ્યો .

’ પેલા દિવ્ય પુરૂષ કહ્યું , ‘ ‘ ઠીક પણ હવે તમે કોઠાર બંધ કરો હજુ મારો અભ્યાસ પૂર્ણ થવાને એક માસની વાર છે . મારા માતા – પિતાનું વ્રત પૂર્ણ થાય અને તેઓ વ્રતનું ઉજવણું કરે ત્યારે મને ખબર કરજો . જેથી હું ત્યારે તમારી સાથે લગ્ન કરીશ . ’ ’ આ સાંભળવા વહુ તો આનંદ વિભોર થઈ ગઈ . ૧૩૩ પછી તો પુરૂષોત્તમ માસ પૂરો થયો છે . સાસુ – સસરા વ્રતનું ઉજવણું કરવાની તૈયારી કરવા લાગ્યાં અને વહુ આખા ગામમાં નોતરૂ દઈ આવી કે તમારે બધાએ અમારે ત્યાં જમવા આવવાનું છે .

વ્રતના ઉજવણા નિમિત્તે અને મારા લગ્ન નિમિત્તે . વહુની વાત સાંભળી ગામના લોકોને દયા આવી કે બિચ્ચારીનું ચિત્ત ભ્રમ થઈ ગયું લાગે છે . છતાંય ચાલો તો ખરા શું થાય છે તે જોઈએ અને ગામના બધા લોકો વહુને ઘેર આવ્યાં વહુએ તો પોતાના લગ્ન માટે ચોરી બંધાવી અને સાસુ – સસરાને કહ્યું કે , ‘ ‘ ગોર મહારાજને બોલાવો . તમારા દિકરાને બોલાવો અને મારા અધુરા લગ્ન ચોથા ફેરા ફેરવી પૂર્ણ કરાવો . ’ ’ વહુની વાત સાંભળી સાસુ – સસરાને ચિંતા થવા લાગી કે હવે શું થશે ? દિકરો તોછે નહી ..વહુને શો જવાબ દેવો ? આમ વિચાર કરે છેત્યાં તો વહુ બોલી , ‘ સાસુમા ! લાવો હુજતમારા દિકરાને બોલાવી લાવું છું . ’

’ એમ કહી વહુ તો સાતમા કોઠારે આવી ક્રોઠાર ઉઘાડી પુરૂષોત્તમ ભગવાનને બોલાવી ગઈ . વહુને તો એમ જ હતું કે આજ મારા સાસુ – સસરાનો દિકરો અને મારો પતિ છે પણ એ તો દિવ્ય પુરૂષ ભગવાન પુરૂષોત્તમ પોતાના ભોળા ભક્તોની લાજ રાખવા આવ્યાં હતાં . આ બાજુ સાસુ – સસરાએ આદિવ્ય પુરૂષને જોયાં કે સમજી ગયા ભગવાને લાજ રાખી . પોતે સ્વયં પુત્ર બનીને આવ્યાં . દિકરોને વહુ ચોરીમાં બેઠાં ચોથો ફેરો ફરીને ઉઠ્યાં અને માતા પિતાને પગે લાગ્યાં . . આમ હે પુરૂષોત્તમ ભગવાન ! આપ જેવા શેઠ – શેઠાણી તે ફળ્યાં તેવાં સહુને ફળજો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here