કેવી રીતે નક્કી થાય છે વાવાઝોડાનું નામ હવે પછીના વાવાઝોડાનુ હશે આ નામ જાણો અને મિત્રો સાથે શેર કરો

on

|

views

and

comments

કેવી રીતે નક્કી થયું વાવાઝોડાનું નામ ‘વાયુ’,..?*

*હવે પછીના વાવાઝોડાનું નામ ‘હિક્કા’ રહેશે*

*8 દેશોએ વાવાઝોડાના 8-8 નામ આપ્યા છે*

*8 દેશોએ તૈયાર કરેલા નામના ટેબલની 7 લાઈન પૂર્ણ થઈ ગઈ છે હાલ 8મી લાઈનમાંથી બીજા ક્રમે રહેલું ‘વાયુ’ નામ લેવામાં આવ્યું છે*

*ઓડિશા સહિત દેશના ચાર રાજ્યોમાં બે દિવસ સુધી ‘ફોની’ વાવાઝોડું આવ્યા બાદ 12 જૂને ગુજરાતમાં ‘વાયુ’ નામનું વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. જો કે ‘વાયુ’ વાવાઝોડાનું નામ ‘ફોની’ વાવાઝોડાં સમયે જ નક્કી થઈ ચૂક્યું હતું.*

*આ વાવાઝોડાને ભારતે નામ આપ્યું છે*

*જ્યારે ‘ફોની’ને બાંગ્લાદેશે નામ આપ્યું હતું.*

*હવે પછી આવનારા વાવાઝોડાનું નામ ‘હિક્કા’ રહેશે જે માલદીવ્સ દ્વારા આપવામાં આવ્યું છે.*

આ પહેલાં બંગાળની ખાડીમાં 2014માં ‘હુદહુદ’, 2017માં ‘ઓખી,’ પછી ‘તિતલી’ અને 2018માં ‘ગાજા’ વાવાઝોડાંથી તારાજી થઈ હતી. સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે, વાવાઝોડાંનું નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. વિશ્વમાં જે પણ વાવાઝોડું આવે છે તેને એક નામ ચોક્કસ આપવામાં આવે છે.*

*2004થી નામકરણ કરવાની શરૂઆત થઈ*

*અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતા દરિયાઈ વાવાઝોડાંનું નામ રાખવાની પ્રથા 15 વર્ષ પહેલા એટલે કે 2004થી શરૂ થઈ હતી. તે માટે એક યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં આઠ દેશ સામેલ છે. આઠ દેશોના ક્રમાનુસાર આઠ નામ આપવાના છે. જ્યારે જે દેશનો નંબર આવે છે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાંનું નામકરણ કરવામાં આવે છે. ફાની નામ બાંગ્લાદેશે આપ્યું હતું. જ્યારે ‘વાયુ’ નામ ભારતે આપ્યું છે.*

8 દેશોએ 64 નામ આપ્યા*

➡ *8 દેશો દ્વારા વાવાઝોડાંના નામ આપવામાં આવ્યા છે*

(૧) બાંગ્લાદેશ

(૨) ભારત

(૩) માલદીવ

(૪) મ્યાનમાર

(૫) ઓમાન

(૬) પાકિસ્તાન

(૭) શ્રીલંકા

(૮) થાઈલેન્ડ સામેલ છે.

➡ *આમ વાવાઝોડાંના કુલ 64 નામ છે.*

*સૌથી પહેલાં ઓનિલ*

*2004માં જ્યારે વાવાઝોડાંના નામ આપવાની પરંપરા શરુ થઈ ત્યારે આલ્ફાબેટ પ્રમાણે આવતા દેશના નામ પ્રમાણે શરૂઆત બાંગ્લાદેશથી થઈ. તેઓએ સૌપ્રથમ વાવાઝોડાંનું નામ ઓનિલ આપ્યું. જે બાદ જે વાવાઝોડાં આવ્યાં તેના નામ આલ્ફાબેટ પ્રમાણે આવતાં દેશોએ નક્કી કર્યા. જેને લઈને 8 બાય 8નું એક ટેબલ પણ બનાવવામાં આવ્યું છે. જ્યારે આ નામ આપવાનું ક્રમાનુસાર પૂર્ણ થઈ જશે તો ફરી એકવખત તેને ઉપરથી શરૂ કરાશે.*

*અત્યાર સુધી આ ટેબલ મુજબ સાત લાઈન પૂર્ણ થઈ ગઈ છે. ફોની આઠમી કોલમમાં પહેલું નામ છે. હવે ગુજરાતમાં આવી રહેલા ‘વાયુ’ વાવાઝોડાનું નામ ભારતની કોલમમાંથી લેવામાં આવ્યું છે.*

*આ લિસ્ટમાં છેલ્લું નામ અમ્ફાન છે જે થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે.*

*નામકરણ કરવાથી તેની ઓળખ અને સતર્કતામાં સરળતા રહે છે*

*એક સવાલ સામાન્ય રીતે થાય જ કે વાવાઝોડાંને નામ શું કરવા આપવું જોઈએ? જોકે તેના અમુક કારણ માનવામાં આવે છે. વાવાઝોડાંને નામ આપવામાં આવ્યું હોવાથી મીડિયાને રિપોર્ટ કરવામાં સરળતા રહે છે. નામના કારણે લોકો ચેતવણીને વધારે ગંભીરતાથી લે છે અમે તેનાથી બચવા જે તૈયારી કરવામાં આવે છે તેમાં પણ સરળતા રહે છે. સામાન્ય જનતા પણ વાવાઝોડાંના નામનું સૂચન જે તે વિભાગોને આપી શકે છે.*

*જો કે તે માટે નિયમ છે. બે શરતો પ્રાથમિક છે. પહેલી શરત કે નામ નાનું હોય અને સરળ હોય. બીજી શરત કે જ્યારે તે વિશે માહિતી આપવામાં આવે ત્યારે લોકો તે સમજી શકે તેવું નામ હોવું જોઈએ. એક સૂચન એવું પણ છે કે, સાંસ્કૃતિક રીતે વાવાઝોડાંનું નામ સંવેદનશીલ ન હોવું જોઈએ અને તે દ્વીઅર્થી ન હોવું જોઈએ.*

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here