કેન્સર પીડીતોને મફત ભોજન અને મફત દવા આપવાની સેવા કરે છે આ માણસ

on

|

views

and

comments

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો હશે અને હવે પોતાના સ્નેહીને કાયમ માટે ખોઇ દેવાના ભયથી આમ ગાંડાની જેમ ત્યાંથી પસાર થઇ રહેલા માણસોને જોઇ રહ્યો છે.

વાસ્તવિકતા કંઇક જુદી જ હતી. આ યુવાનના કોઇ સગા-સંબંધીને હોસ્પીટલમાં દાખલ કરેલા ન હતા. યુવાન તો માત્ર મૃત્યુના દરવાજા પર આવતા દર્દીઓ અને અને તેના સંબંધીઓના ચહેરાને વાંચી રહ્યો હતો. નાના નાના ગામડામાંથી સાવ સામાન્ય સ્થિતીના અનેક લોકો આ કેન્સર હોસ્પીટલમાં સારવાર કરાવવા માટે આવતા હતા. ક્યાં જવુ ?, ક્યાં રહેવુ?, શું ખાવુ?, દવા ક્યાંથી લાવવી? આવા ઢગલાબંધ પ્રશ્નો હતા આ બિચારા ગામડીયા લોકોના, પણ મદદ કરનાર કોઇ ન હતુ.

આ બધા લોકોને જોઇ રહેલા પેલા યુવાનને આ સામાન્ય લોકો માટે કંઇક કરવાની ઇચ્છા થઇ. આંખમાં આંસુ સાથે એ હોસ્પીટલ છોડીને ઘરે આવ્યો પણ એને નહોતુ ખાવુ ભાવતુ કે નહોતી ઉંઘ આવતી. આ લાચાર અવસ્થામાં કેન્સરની સારવાર કરાવવા આવતા લોકો માટે હું શું કરી શકુ? આ બધા મારા સગા ભાઇબહેન ભલે ન હોય પણ એક જ ભગવાનના સંતાન હોવાના નાતે તો મારા ભાઇબહેન જ છે. મારે આ બધા માટે કંઇક કરવુ છે.

આ યુવાને પોતાની હોટલ અને બીઝનેશ બીજાના હવાલે કર્યો અને એમાંથી જે કંઇપણ રકમ મળી તેમાંથી નાના પાયા પર એકલા હાથે ટાટા કેન્સર હોસ્પીટલની સામે જ પોતાની સેવાની પરબ ચાલુ કરી. દર્દી અને દર્દીના સગાને મફત ભોજન અને મફત દવા આપવાની શરુ કરી. આજથી 27 વર્ષ પહેલા એકલપંડે માત્ર થોડા લોકોને મદદ કરતો આ યુવાન આજે 57 વર્ષની ઉંમરે રોજના 700થી વધુ દર્દીઓ અને એના સંબંધીઓને મફત જમવાની તથા મફત દવાની સેવા પુરી પાડે છે.

એમણે જીવનજ્યોત ટ્રસ્ટની સ્થાપના કરી છે અને આ ટ્રસ્ટ માનવસેવાના 62 જેટલા વિવિધ પ્રોજેક્ટ ચલાવે છે. એમણે ‘દવાની બેંક’ શરુ કરી કે જ્યાં દવાઓ દાનમાં મળે અને એ દવાઓ જરુરીયાત વાળા લોકોને પહોંચે. આ કામગીરી માટે એમણે 3 ફાર્માસીસ્ટને પણ રાખેલા છે. એમણે એક ‘રમકડાની બેંક’ પણ સ્થાપી છે જ્યાં લોકો પોતાને ત્યાં વધારાના રમકડા હોય તો આ બેંકમાં જમા કરાવે અને આ રમકડા કેન્સરથી પીડાતા નાના-નાના બાળકોને આપવામાં આવે કે જેથી આ નાના ભૂલકાઓ યમરાજાથી ડરવાને બદલે રમકડાથી રમી શકે.

27 વર્ષથી માનવસેવાનો ભેખ ધારણ કરનાર આ ઓલિયાનું નામ છે હરખચંદ સાવલા. હરખચંદને કોઇ મોટા એવોર્ડસ કે સન્માન નથી મળ્યા અને છતાય આ માણસ ટાઢ, તાપ કે વરસાદને અવગણીને સતત કેન્સર પીડીતોની સેવા કરી રહ્યો છે.

આપણે નાનુ સેવાકાર્ય કરીને પણ ફળની અપેક્ષા રાખીએ છીએ અને આપણી એ સેવાની કોઇ નોંધ ન લે તો દુ:ખી થઇ જઇએ છીએ. હરખચંદ સાવલાના સેવા કાર્યની જેટલી લેવાવી જોઇએ એટલી નોંધ નથી લેવાઇ અને તો પણ એ મોજથી સેવા કરે છે.

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here