કોચીંગ કલાસમાં જોડાયા વગર પ્રથમ પ્રયાસમાં ભારતની અઘરી પરીક્ષા પાસ કરી આ દીકરીએ

0
205

સ્નેહા હરિયાણાની છે . પહેલેથી જ હોંશીયાર PMT , માં પણ તે ટોપટ હતી .  UPsc ૨૦૧૨ ના ટોપરની વાત .  હરિયાણાની ડોકટર સ્નેહા અગ્રવાલ. ડોકટર હા અગ્રવાલ તબીબ પિતાની પુત્રી છે . તેના પિતા ર્ડો.સી.કે.અગ્રવાલ યમુનાનગરમાં ડેન્ટીસ છે. ૨૫ વર્ષની સ્નેહા હરિયાણાના થમુનાનગરની છે , તેણે ધો .૧૦ ( એસ.એસ.સી. ) માં ૯૫ ટકા માર્કસ મેળવ્યા હતા , જયારે ધો .૧૨ ( સાયન્સ ) માં ૯૨ ટકા માર્કસ મેળવ્યા હતા. સ્નેહા -૨૦૧૨ માં સમગ્ર ભારતમાં પ્રથમ હતી , તેણે આગલે વર્ષે ૨૦૧૦-૧૧માં પણ UPSC ની પરીક્ષા આપેલી તેમાં તેનો rank ૩૦૫ મો હતો . જયારે ૨૦૧૧-૧૨ ની પરીક્ષામાં ભારતમાં તેનો ક્રમ પ્રથમ આવ્યો છે. આમ , પહેલેથી જ ટોપર રહેવા ટેવાયેલી સ્નેહાએ ભારતના કેટલા ઉમેદવારોમાંથી આ પ્રથમ ક્રમ મેળવ્યો એ જાણવુ પણ રસપ્રદ છે . આ સિવિલ સર્વસિઝ પ્રિલીમરી એકઝામ – ૨૦૧૧ જૂન ૨૦૧૦ માં લેવાઈ હતી. આ પરીક્ષા ભારતભરમાંથી ૨ , ૪૩ , ૦૦૩ ઉમેદવારોએ આપી હતી.આટલા ઉમેદવારોમાંથી મેઈન્સ એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા માટે ક્વોલીફાઈડ થયા , માત્ર ૧૧,૯૮૪ ઉમેદવારો જે ઓક્ટોબર – નવેમ્બર ૨૦૧૧ માં લેવાઈ હતી . આ મેઈનસ્માંથી પણ માત્ર ૨,૧૮૭ ઉમેદવારો માર્ચ – એપ્રિલ -૨૦૧૨ માં લેવાયેલા પર્સનાલીટી ટેસ્ટ ( પર્સનંલ ઈન્ટરવ્યુ ) માટે પસંદ થયા હતા.તેમાથી ૭૧૫ પુરુષ અને ૧૯૫ મહિલા મળીને કુલ ૯૧૦ ઉમેદવારો જુદી જુદી કેન્દ્રીય સેવાઓ જેવી કે IAS , IPS , IRS વગેરે માટે પસંદ થયા  છે . આ હતી સ્નેહા ( અગ્રવાલે આપેલી પરીક્ષામાં મેળવેલી જવલંત | સફળતાની વિગત .

હવે સ્નેહાની વાત કરીએ તો , એ બે ભાઈ – બહેનમાં મોટી છે . તેનો ભાઈ BITS , પીલાનીમાથી B.Tech કરે છે . હરિયાણાના રોહતકમાં જન્મેલી સ્નેહા એ તેનું પ્રાથમિક શિક્ષણ પંજાબના ભટીંડામા લીધું હતું . ઓલ ઈન્ડીયા ઈન્ટિટટયુટ ઓફ મેડિકલ સાયસન્સીઝ ( AIMS ) , નવી દિલ્હી માંથી ( બેચલર ઈન સર્જરી ) થયેલી ર્ડો . સ્નેહાએ જાન્યુઆરી -૨૦૧૦ માં AIMs માથી ઈન્ટનશીપ પુરી કર્યા પછી આ સિવિલ સર્વિસિઝ પરીક્ષાની તૈયારી કરી હતી . મેડીકલ સાયન્સ અને સાયકોલોજી તેના વિષયો હતાં , પરંતુ ન્યુ દિલ્હીમાં એક ટેસ્ટ સિરીઝમાં જોઈન્ટ થઈ હતી . “ મેડીકલ જેવો વ્યવસાય છોડીને તેમને સિવિલ સર્વિસીઝમાં જવાનું મન કેમ થયું ? એવું પુછતા . સ્નેહાએ કહ્યું હતું કે , એક ર્ડોકટર તરીકે હું આપણા દેશના લોકો જે આરોગ્ય સમસ્યા ભોગવે છે . તેની પ્રત્યે સજાગ હતી.પરંતુ આપણા દેશના અસંખ્ય લોકો મૂળભુત સુવિધાઓ અને આરોગ્યની પૂરતી જાળવણી કરતા નથી , “ તેમણે એમ ઉમેર્યું કે , ” હું સરકારી અધિકારી તરીકે ફરજ પર જોડાઈશ ત્યારે શિક્ષણ , આરોગ્ય , સેનિટેશન સહિતની મૂળભૂત જરૂરીયાતો પૂરી પાડવા પ્રત્યે વધુ ધ્યાન આપીશું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here