પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 14 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 14 | man vratni katha

on

|

views

and

comments

સુદ ૧૪ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ચૌદમો દેઢધન્વાના પૂર્વજન્મની કથા

અધ્યાય ચૌદમો : મૌનવ્રતની કથા

સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હૈ મુનિશ્રેષ્ઠો ! રાજા દેઢધન્વા ચિંતાતુર દશામાં હતો . તે અરસામાં ઋષિ વાલ્મીકિ તેમને ત્યાં પધાર્યા . આથી રાજા ઘણો હર્ષ પામ્યો . તેણે તેમને આવકાર્યા . 3 તેમનું પૂજન કરી પગ ધોઈને તે જળ મસ્તકે ચઢાવ્યું અને તેમના પગ ચાંપવા લાગ્યો . ઋષિ વાલ્મીકિએ તેની ઉદાસીનું કારણ પૂછતાં તેણે જંગલમાં બનેલી ઘટના કહી સંભળાવી . પોપટનો કહેવાનો અર્થ શું છે , પણ પૂછ્યું . ઉપરાંત તેમણે જણાવ્યું : ‘ મારી પાસે રાજ્ય છે . દેવો જેવા ચાર પુત્ર છે . સુલક્ષણા પત્ની છે . હાથી , ઘોડા , રથ આદિ અઢળક સમૃદ્ધિ છે .

આ બધું મને કથા પુણ્યના આધારે મળ્યું તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે . આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે . ’ હેઠંધૃવાની આવી વાણી સાંભળી ઋષિ વાલ્મીકિ ધ્યાનમગ્ન બન્યા . થોડીવાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા : ‘ દે રાજન , હું પૂર્ણ મમાં દ્રાવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો . તારું નામ સુદેવ હતું . તે વખતે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રીહરિને પ્રસન્ન કર્યાં હતા . તું ધાર્મિક વૃત્તિવાળો , વેદાધ્યયન કરનારો , સંતોષી અને વિષ્ણુપરાયણ હતો . તારી પત્નીનું નામ ગૌતમી હતું . તે પતિવ્રતા સ્ત્રી હતી . તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો . આ બાબત તે પત્નો સમક્ષ કરી હતી . : ગૌતમી જ્ઞાની હતી . તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું : “ તમે વિદ્વાન છો . સંતાનની લાલસા રાખી શા માટે દુ : ખી થાવ છો ?

જો સદ્ભાગ્યે પુત્ર હોય તો કુળને તારે છે , પરંતુ પુત્ર હોય તો જીવન વિષમય બનાવી દે છે , કુળને કલંક લાગે છે . માટે મારું કહેવું છે કે ચિંતા છોડી તમે શ્રીહરિનું ભક્તિપૂર્વક આરાધન કરો . તે તમારી ચિંતા દૂર કરશે . જેમ કર્દમ ઋષિની શ્રદ્ધા – ભક્તિથી ખુશ થઈ ભગવાને તેમને કપિલદેવ નામના પુત્રની ભેટ ધરી હતી , તેમ ભગવાન આપણી સામે પણ જોશે . ’ ગૌતમીનાં આવાં વચનો સાંભળી સુદેવ આનંદિત થયો . તે પોતાની પત્નીને સાથે લઈ તાવર્ણી નદીના કિનારે ગયો . ત્યાં તેણે તપ આદર્યું . તે પાંચમા દિવસે ફક્ત સૂકાં પાદડાં ને જળનો આહાર કરવા લાગ્યો . આમ તપ કરતા ચાર હજાર વર્ષ વીતી ગયાં . સુદેવના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસી તેમની પાસે આવ્યા ત્યારે સુદેવે આનંદિત થઈ હર્ષભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા . ’ ’ ‘ શ્રી બૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ દઢધન્વાના પૂર્વજન્મની કથા ‘ નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

મૌનવ્રતની કથા

અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો . તેનું નામ ધર્મદાસ હતું . ખરેખર તે હંમેશ ધર્મમય જીવન ગાળતો હતો . તેણે જીવનનાં ઘણાં વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી . વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને કૃશ થઈ ગયું હતું . તેની ઉંમર સિત્તેર વર્ષથી થઈ હતી . એવામાં પુરુષોત્તમ માસ આવ્યો . ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો , તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું . વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઊઠીને નદીએ સ્નાન કરવા ગયો .

વ્રત – નિયમ મુજબ તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું . કથા – વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી પોતાના મુકામે આવી પહોંચ્યો . ૧૨ ૧ સિત્તેર વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયો હતો . ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ આવી પ્ર ગઈ હતી . બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો . ગઈકાલ કરતાં આજે તેની તકલીફ વધી પડી . બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો . તેનો જીવ ગભરાવા લાગ્યો . તે વિચારવા લાગ્યો . ‘ બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે , તે આખો મહિનો કેમ ખેંચાશે ? ’ પણ સંકલ્પ કરેલો , તેથી નિયમભંગ કરે તો દોષમાં પડે . એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું , પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી . એ શરીરથી ભલે ભાંગી પડ્યો હતો , પણ મન ઘણું મજબૂત હતું . દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો , અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો . મોડી રાતે તેને ઊંઘ આવી . સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનનાં દર્શન થયાં . તે બોલ્યા : ‘ ‘ હૈ ભક્ત ! તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે . બે દિવસના ઉપવાસથી તારા હોશકોશ ઊડી ગયા છે .

આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે . વ્રતસંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે . તારો મજબૂત સંકલ્પ જોઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા આવ્યો છું . આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે , તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે , માટે તું મૌનવ્રત લે , આખો દિવસ મૌનવ્રત રાખ . ‘ ‘ આમ , ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન અંતર્ધાન થઈ ગયા . સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો . તેણે તે જ પળે મૌનવ્રત ધારણ કરી લીધું . ત્રીજે દિવસે તે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરી આવ્યો . ઘેર આવ્યા પછી ભોજન લીધું . ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો . તેણે આખો દિવસ મૌનવ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું . શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દેઢ થયું . આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું .

તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું . ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા : “ હે વિપ્ર ! તારી ઇચ્છા હોય તે માગી લે . હું તારા ઉપર પ્રસન્ન થયો છું . ’ ,, ધર્મદાસ કહે : “ હે પુરુષોત્તમ ભગવાન ! તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યાં છે . મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી . પણ મારા હાથે દુઃખી મણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો . મને એટલું બળ આપો કે હું તન – મન – ધનથી દરેક જીવની સેવા કરી શકું . છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેમ કરો . ’ ’ ‘ તથાસ્તુ ’ કહી પુરુષોત્તમ ભગવાન અદશ્ય થઈ ગયા . ધર્મદાસ મૌનવ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો હતો . તેને મૌનવ્રતનું મહત્ત્વ સમજાયું હતું . હવે તેણે પોતાની કથાઓમાં મૌનવ્રતનો મહિમા સમજાવવા માંડ્યો . તે કહેતો : ‘ ‘ હે ભાઈઓ ! દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ .

તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ . તે પણ ન બની શકે તો અઠવાડિયામાં એક દિવસ નક્કી કરી મૌન પાળો . આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું મૌન પાળો . તે ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો . આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે . ૧૨ વર્ષ સુધી જે મોન પાળે છે , તેને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે . મૌનવ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે . દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ . સિત્તેર વર્ષની ઉમરે પણ તેણે ધર્મનાં ઝરણાં વહેતાં મૂકી દીધાં . ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યાં . ગૌશાળા અને ધર્મશાળાઓ બાંધી , અન્નદાન – વસ્રદાન કર્યા .

તે રાત – દિવસ ધર્મકાર્યમાં ડૂબેલો રહેતો હતો . આમ , મૌનવ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા – ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠ પામ્યો . ન બોલ્યામાં નવ ગુણ , બોલ્વે બીગડી જાય મૌન તણો મહિમા ઘણો , પ્રભુ પ્રસન્ન થાય .

બોલો પુરુષોત્તમ ભગવાનની જય

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here