પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 15 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 15 | સુદેવને પુત્રપ્રાપ્તિ | ગૌસેવાની કથા

on

|

views

and

comments

આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા આધ્યાયા પંદર સુદેવને પુત્રપ્રાપ્તિ અધ્યાય પંદરમો – ગૌસેવાની કથા

સૂત પુરાણી બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી . પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માગવા કહ્યું . સુદેવે કહ્યું : “ હે પ્રભો , જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો . મારો સંસાર નીરસ થઈ ગયો છે , તેને નવપલ્લવિત કરો . ’ ’ ભગવાન વિષ્ણુએ કહ્યું : ‘ હે બ્રાહ્મણ , તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું નથી . સાત જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્રસુખ નથી . ’ ભગવાનનાં આવાં વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો . પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની બની .

તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી . તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું : ‘ વિધિના લેખ મિથ્યા હોતા નથી . પ્રભુ – ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે . છતાં ભાગ્ય પ્રબળ છે . વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી . માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ . ‘ ભગવાન વિષ્ણુ સાંભળી શાંત રહ્યા . પણ ગરુડજી શાંત ન રહી શક્યા . પોતાના સ્વામીની શક્તિની અવગણનાના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા . તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરીને જણાવ્યું : ‘ આપે આ બ્રાહ્મણને વરદાન માગવા કહ્યું હતું . તે જ્યારે વરદાન માગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો તે યોગ્ય નથી .

બ્રાહ્મણ ને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો . આપ દયાળુ છો . દીનબંધુ છો , દયાસિંધુ છો , ભક્તોનાં દુઃખ આપ સહન કરી શકતા નથી તો આજે આપ શાંત કેમ છો ? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મેણું રહી જશે . પછી આપની ઉપાસના કોણ કરશે ? આપની કોઈ પૂજા નહિ કરે . માટે હે પ્રભુ , આ બ્રાહ્મણને હરકોઈ પ્રકારે એક પુત્ર આપો . ’ ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું : ‘ જો તારી આવી ઇચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઇચ્છા પૂર્ણ કર . તું મારું વાહન છે , હું તને આશીર્વાદ આપું છું .

’ પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું : ‘ મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું . તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે . તે તમારા સંસારમાં સુખ – શાંતિ આપશે . ‘ આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી વૈકુંઠધામ લઈ ગયો .

‘ શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ સુદેવને પુત્રપ્રાપ્તિ ’ નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

ગોસેવાની કથા

એક નગરમાં સોનારણ રહે . તે વિધવા હતી . સંતાનમાં કંઈ હતું નહિ . તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી.

પારકાને ઘેર કામ કરીકે તે પોતાનું પેટ ભરતી હતી . નવરાશે વખતે તે ભગવાન ( ભજન કરે , ભક્તિ કરે , એક દવા નગરમાં કથા બેઠી . સોનારણ રોજ કથા સાંભળવા જાય . એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા . છેલ્લે કથાકાર બોલ્યા : ‘ ‘ જેની પાસે યજ્ઞ કરવા દળે ને હોય તે શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરી ફળ મેળવી શકે છે . ’ સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરવો . ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાયા મહુલી બાંધીને રહેતા હતા . તે સતત પ્રભુભક્તિમાં લીન રહેતા . તે મહાપવિત્ર અને ત્રિકાળજ્ઞાની જેવા લાગતા હતા . તેમનું લલાટ ઝગારા મારતું હતું . તેમના દર્શાનાર્થે નગરનાં સ્ત્રી – પુરુષો અવાર નવાર આવતા હતા . સોનારણ પણ તેમનાં દર્શન કરવા જતી .

સોનારણના મનમાં થયું કે શ્રમયજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવાયજ્ઞ ક ૨ વા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે . તે સૂર્યોદય પહેલાં મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટયું , પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી , પાણીનું માટલું ભરી , તે પોતાને ત્યાં ચાલી ગઈ . આ વખતે મહાત્મા મઢુલીમાં નહોતા . તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા . થોડીવારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈને અને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા . મઢુલીમાં દાખલ થતાં મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી , પાણીનું માટલું ભરેલું જોયું .

આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ . સોનારણ ચતુર હતી , તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફ ૨ વા ગયા હોય ત્યારે મઢુલીએ આવી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી , મહાત્મા જયારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઇને તેઓ અચંબામાં પડી જતા . મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા . મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે ? ’ એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા . સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું : ‘ ‘ બહેન તું કોણ છે ? શા હેતુથી મારી સેવા કરે છે ? ’ ’ સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી . ત્યારે મહાત્મા બોલ્યા : ‘ ‘ કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે . તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે , તને દ ૨ રોજ એક અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે . આમ તું આખો મહિનો ગાયમાતાની સેવા – પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને ત્રીસ અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે .

’ ’ અધિક માસ શરૂ થતાં સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું . તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય , કાંઠા ગોરમાનું પૂજન કરે , કથા – વાર્તા સાંભળે , ગાયને નવરાવે , તેને કપાળે ચાંદલો કરે , તેને લીલું ઘાસ નાખે , એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન – દક્ષિણા આપે . આમ , પુરુષોત્તમ માસ પૂરો થયો . તેણે વ્રતનું ઉજવણું કર્યું , પછી વિચાર કરવા લાગી કે ‘ મને ત્રીસ અશ્વમેધનું ફળ મળ્યું હશે પણ એની ખાતરી શું ? ’ કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો . આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો , પરંતુ આખા શરીરમાં દાહ ઊઠે એવી બળતરા થાય , તેનાથી તેને ઘડીભર ચેન પડે નહિ . રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા . જાણીતા હકીમોને બોલાવ્યા . જોગી – જતીને આમંત્ર્યા , ભુવાભરાડીને બોલાવી દોરા – ધાગા કરાવ્યા . પીર – ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા . ઘણાય

અખતરા કર્યો , પણ કુંવા શરીરનો દાહ ઘટતો નથી , બળત સતત ચાલુ જ હતી . એવામાં કોઇ સિંહપુરૂષ રાજાના મહેલે આવ્યા . રાજાએ પોતાના કુંવરને બતાવ્યા . સિદ્ધપુર્ણ કુંવરના કપાળની રેખાઓ ” રાજવી , તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહિ , મંત્રતંત્રથી સારો થશે નહિ , પરંતુ કોઇ વ્યક્તિ તેને પાંચ અશ્વમેધ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે , કેમકે તમારી કુંવર પૂર્વભવના શાપને કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે . ’ સિદ્ધપુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા . રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું : “ આખા નગરમાં ઢંઢેરો પિટાવો કે કોઈ પાંચ અશ્વમેધ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે , જે કોઈ આ કાર્ય પાર પાડશે , તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે .

’ ’ બે દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો , છતાં કોઈ રાજા પાસે આવતું નથી . રાજા – રાણી નિરાશામાં ડૂબી ગયાં હતાં . તેમને કોઈ રસ્તો સૂઝતો નથી . ઊડતી ઊડતી આ વાત સોનારણને કાને પહોંચી . તેણે સાંભળ્યું : જે કોઈ પાંચ અશ્વમેધ યજ્ઞનું ફળ કુંવરને આપે તો એનો દાહ સમે . ’ આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર છે . સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને અશ્વમેધ યજ્ઞનું ફળ હું આપું . ‘ કહેવા લાગી : ‘ મહારાજ , આપ કહેતા હોય તો કુંવરને પાંચ રાજા તો સૌનારણની વાત સાંભળી તેની સામે તાકી રહ્યો . સોનારણના દેખાવ ઉપરથી તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી . રાજા નવાઈ પામ્યો , કારણ કે અશ્વમેધ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ નથી , વિશ્વાસ ન આવ્યો , તોય ‘ આટલા ઉપાય કર્યા તો એક વધારે ‘ એમ વિચારી રાજાએ હા પાડી .

રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશિયો ભરીને પાણી મંગાવ્યું . તેમાંથી અંજલિ ભરીને ચારે દિશામાં છાંટવું . પછી તે પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું : હૈ પુરુષોત્તમ ભગવાન ! તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને ત્રીસ અશ્વમેધ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું પાંચ અશ્વમેધ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું . તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો . ‘ આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું . એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી , અને થોડીવારમાં તેના શરીરનો દાહ સમી ગયો . કુંવરને શરીરનો દાહ સમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોનારણના પગમાં પડી ગયો . તેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં . રાજા આ જોઈ અચંબો પામી ગયો . હજુ હમણાં કુંવર રડતો હતો , તરફડતો હતો , કણસતો હતો . એ અત્યારે આનંદમાં અને ખુશીમાં હતો . રાજા પણ સોનારણના પગમાં પડ્યો . પછી રાણી પણ તેના પગમાં પડી અને બોલી :

“ હે બહેન ! તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે . તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું , તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલીએ . હવે તમને જે ઇચ્છા હોય તે માંગો . તમે જે માગશો તે અમો તમને અવશ્ય આપીશું . ’ 590 સોનારણ કહે : “ હે રાજન ! હે રાણીબા ! પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે . ભગવાને જે કંઈ આપ્યું એનાથી મને સંતોષ છે . મારે કંઈ જોઈતું નથી . મારી ઇચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દેઢ સંકલ્પ કરો અને ગોસેવા કરો . એમાં જ બધાંનું કલ્યાણ છે . ’ ’ તે જ ક્ષણે રાજા – રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું અને ગોસેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો . બોલો પુરુષોત્તમ ભગવાનની જય

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here