માતા પિતા વગરની દીકરીઓનો સમૂહ લગ્ન યોજાશે તમારા આશીર્વાદ જરૂર આપશો

0
234

માતા – પિતાવિહોણી સર્વ સમાજની  ૧૬ દિકરીઓના સમૂહ લગ્નો યોજાશે  જુનાગઢથી શેરનાથ બાપુ સહિતના મહંતો, મહાનુભાવો હાજરી આપશે જામનગરમાં તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આગામી તા .૧૭ ની સાંજે માતા – પિતા અથવા પિતા વિહોણી ૧૬ દિકરીઓના સમુહ લગ્નો ખુબ ધામધુમથી યોજાયા છે. સંસ્થા દ્વારા સહયોગીઓની મદદથી દિકરીઓને જંગી કરીયાવર તો દિકરી પુજન નામનું વિશિષ્ટ પુજન યોજાયું છે. આજે તપોવન મંડપમાં જતા પહેલા તમામ કન્યાઓ માટે છે . પરંતુ લગ્નના ફાઉન્ડેશનના સ્થાપક રાજનભાઈ જાની , ટ્રસ્ટીઓ , પુર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી , પરેશભાઈ જાની તેમજ સમસ્ત સૌરાષ્ટ્ર – કચ્છ બહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદીએ અનોખા સમુહ લગ્નોત્સવના આયોજનની માહિતી આપતા જણાવ્યું હતું કે , જામનગરમાં સર્વ જ્ઞાતિય ધોરણે થઈ રહેલા આ પ્રથમ આયોજનમાં માતા – પિતા અથવા પિતા વગરની દિકરીઓના સંસ્થા દ્વારા સમુહ લગ્ન કરાયા છે

ઉપસ્થિતિ સંસ્થા દ્વારા સમુહ લગ્ન કરાયા છે. જેમાં બે વિશેષતા છે. એક તો આવી તમામ દિકરીઓને કન્યા દાન જે લોકોને પુત્રી નથી તે લોકો દ્વારા કરવામાં આવશે. ઉપરાંત મંડપમાં લગ્નવિધિની શરૂઆત પહેલા વિવિધ દંપતિઓ દ્વારા દરેક દિકરીઓનું પુજન થશે. રણજીતનગર પાછળના પ્રણામી સંપ્રદાયની જગ્યામાં જનતા ફાટક પાસેથી ૧૬ વરરાજાનો ૪ બગીઓમાં વરઘોડો ઉભા કરાયેલા લગ્ન સ્થળ સુધી પહોંચશે . આ ભગીરથ કાર્ય પાર પાડવા ૧૮૦ કાર્યકરોની ટીમ ૨૫ કમિટીમાં વહેંચાઈને કામ કરી રહી છે.આ પ્રસંગમાં આર્શિવાદ આપવા જુનાગઢના ભવનાથ ખાતેના ગોરક્ષસનાથ આશ્રમના શેરનાથબાપુ , દેવપ્રસાદ મહારાજ , કૃષ્ણમણિ મહારાજ તેમજ વિધાનસભાના સ્પીકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here