જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં,આ રીતે ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો

on

|

views

and

comments

જાણકારી / જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં, કસ્ટમર કેરમાં ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો

ATM કાર્ડ આપણી રોજિંદી જરૂરિયાતોમાંનું એક છે. પરંતુ જો તે ક્યાંક ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ચિંતામાં આવી જવાય છે અને એ પરિસ્થિતિમાં આગળ શું કરવું એ વિશે ઘણા લોકો અજાણ હોય છે. એટીએમ અથવા ડેબિટ કાર્ડ ચોરાઈ જાય કે ખઓવાઈ જાય તો તે કોઈ ખોટા હાથમાં આવી ન જાય તે અંગે સૌથી વધારે ચિંતા રહે છે કારણ કે, કોઈ ખોટી વ્યક્તિના હાથમાં આ કાર્ડ આવી જાય તો એક જ ક્લિકમાં બધા પૈસા ખોટી જગ્યાએ જતા રહેવાનો ભય રહે છે.

ATM કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ગભરાઓ નહીં. પરંતુ સૌપ્રથમ કસ્ટમર કેર પર ફોન કરવો જોઇએ. કસ્ટમર કેરમાં ફોન કરીને ખોવાયેલા કાર્ડની ડિટેલ્સ આપવાની રહેશે. ત્યારબાદ આ કાર્ડ બ્લોક કરવાનું સૂચિત કરવું પડશે. કાર્ડ બ્લોક થતાં જ તમારા મોબાઇલમાં એ સંબંધિત મેસેજ આવી જશે.

કાર્ડ બ્લોક થયા બાદ તમે બીજા કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. આ માટે તમે ઓનલાઇન અથવા ઓફલાઇન બંને રીતનો ઉપયોગ કરી શકશો. અપ્લાય કર્યા બાદ કાર્ડ તમારાં અડ્રેસ પર આવી જશે અને કેટલીક બેંકો તમને તરત જ કાર્ડ આપી દેશે.

કાર્ડ બ્લોક કરવાની અન્ય રીત ઇન્ટરનેટ બેંકિંગ પોર્ટલથી કાર્ડ હોટ લિસ્ટ કરીને અથવા બ્રાંચ જઇને ડાયરેક્ટ કાર્ડ બ્લોક કરી શકીએ છીએ. આજકાલ બેંક નવી સુવિધા આપી રહ્યું છે. તેમાંની એક છે મોબાઇલ બેંકિંગ એપ, જેની મદદથી કસ્ટરમ જાતે જ જરૂરિયાત મુજબ કાર્ડ બ્લોક અથવા અનબ્લોક કરી શકે છે.

કાર્ડ ખોવાઈ જાય તો તરત જ પોલિસમાં રિપોર્ટ કરો. તમારાં ડેબિટ કાર્ડનો કોઈ દુરુપયોગ ન કરી શકે એ માટે નવું કાર્ડ જારી થયા બાદ બેંક પાસેથી કન્ફર્મ કરી લો કે તમારું જૂનું કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે. કેટલીક પ્રાઇવેટ બેંકોએ એવાં ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવાનાં શરૂ કરી દીધા છે જેમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડના પિનની જરૂર નથી રહેતી. કાર્ડ ફક્ત સ્વાઇપ કરીને પૈસા ઉપાડી શકાય છે. પરંતુ આ સુવિધા માટે એક લિમિટ નક્કી કરવામાં આવી હોય છે. એકવારમાં 20,000 રૂપિયા અથવા 50,000 રૂપિયા જ ઉપાડી શકાય છે.

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here