સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીની મફત સારવાર થશે એક રૂપિયોય લઈ શકાશે નહીં

on

|

views

and

comments

ખાનગી હોસ્પિટલોના દર નક્કી કર્યા , ચુકવણી દર્દીઓએ નહીં સરકાર કરશે સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર દર્દી પાસેથી એક રૂપિયોય લઈ શકાશે નહીં , દર્દી પાસે મા કાર્ડ , મા વાત્સલ્ય કાર્ડ કે આયુષમાન કાર્ડ નહીં હોય છતાં સારવાર થશે

કોરોના વાઈરસના વધતા જતા કેસના કારણે રાજ્ય સરકારે લાખો લોકોને રાહત આપતો અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે . કોરોના વાઈરસથી થતી કોવિડ – ૧૯ બીમારીની સારવાર માટે સરકારે દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા આપી છે . આવી સરકારે માન્યતા આપી હોય તેવી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દદીની તદ્દન ફી સારવાર કરવામાં આવશે . દર્દી પાસેથી હોસ્પિટલ એક રૂપિયો પણ લઈ શકશે નહીં . દર્દી પાસે મા કાર્ડ , મા વાત્સલ્ય કાર્ડ કે આયુષમાન ભારત એવા કોઈ કાર્ડ નહીં હોય તેમ છતાં પણ તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવશે . આ દર્દીની સારવાર પેટે થનારો ખર્ચ સરકાર ભોગવશે . સરકાર દર્દી દીઠ ઓપીડી અને ઈન્ડોર કેટલા રૂપિયા ચુકવશે તેનાદર આજે આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે . સારવા કર્યા બાદ હોસ્પિટલે બીલ મુકીને સરકાર પાસેથી પૈસા લેવાના રહેશે . ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોઈપણ કોવિડ – ૧૯નો દર્દી જાય તો તેની ઓપીડી પેટે સરકાર આ હોસ્પિટલને રૂ . ૨૦૦ ચુકવશે .

જેમાં દવા પણ હોસ્પિટલે આપવાની રહેશે . એક્સ – રે , લોહીની તપાસ પેટે હોસ્પિટલને રૂ . ૨૦૦જ ચુકવાશે . કલેક્ટરે હોસ્પિટલ ડેઝિગ્નેટેડ કરવાની રહેશે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ હોસ્પિટલ સાથે ઓછામાં ઓછો બે માસનો કરાર કરવાનો રહેશે . પાંચ દિવસની સારવાર બાદ આવનાર દર્દીને નવા દર્દી તરીકે ગણવાનો રહેશે . સરકાર આવી હોસ્પિટલોને ૧૫ લાખ , માસ્ક , હાઈડ્રોક્સિક્લોરોક્વિન પણ આપશે .

ઓપીડી માટેના ચાર્જ ઓપીડી કન્સલ્ટેશન અને દવા એમડી દ્વારા દર્દી દીઠ દર રૂ . 200 દર્દી દીઠ એક્સ – રે , લોહીની તપાસ વગેરે માટે દર્દી દીઠ દર રૂ . 200 હોસ્પિટલને ચૂકવાતાર ખર્ચતું વિવરણ ) ડેઝિગ્નેટેડ હોસ્પિટલ સાથે એમઓયુમાં આઈસોલેશન , એચડીયુ અને આઈસીયુની પથારીની સંખ્યા દર્શાવવાની રહેશે . આ દરોમાં બેડચાર્જ , ડોક્ટર વિઝિટ , નર્સિંગ ચાર્જ , દવાઓ , લેબોરેટરી તેમજ રેડિયોલોજી તપાસ , અનુવર્તી સારવાર , દર્દીના ચા – નાસ્તો , બે ટાઈમ ભોજન , રજા આપ્યા બાદની પાંચ દિવસ સુધીની દવાનો ખર્ચ વગેરે તમામ ચાર્જીસનો સમાવેશ થાય છે . આ હોસ્પિટલોમાં શંકાસ્પદ દર્દીઓની કોવિડ ૧૯ત્ની તપાસ સરકાર દ્વારા નિયત કરેલા પ્રોટોકોલ મુજબ નક્કી કરેલી લેબોરેટરીમાં કરાવવાની રહેશે . દર્દીના સેમ્પલનું કલેક્શન , નિયત કરેલી લેબોરેટરી સુધી પહોંચાડવાની જવાબદારી જે તે હોસ્પિટલની રહેશે . આ ટેસ્ટ માટે થનાર ખર્ચ સરકાર દ્વારા ચુકવાશે .

કોવિડ – ૧૯ના દર્દીઓને આપવામાં આવેલા ઓપીડી , ઈન્ડોરની સારવાર તેમજ કરેલા ટેસ્ટના બીલો સંબંધિત જિલ્લના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને નિયત કરેલા પત્રકમાં દર્દીને રજા આપ્યા ૧૫ દિવસમાં જમા કરાવવાના રહેશે , કોવિડ – ૧૯ અંતર્ગત કોઈપણ એનએબીએચ એક્રેડિટેશન ધરાવતી હોસ્પિટલને નક્કી થયેલ મળવાપાત્ર દરોથી કોઈ વધારાના પ્રોત્સાહન રકમ ચુકવવાની રહેશે નહીં . ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને કોવિડ – ૧૯ અંતર્ગત નિયત થયેલા પેકેજમાં ખાલી પથારીના દર અને ભરેલી પથારીના દરમુજબ જ હોસ્પિટલને ચુકવણું કરવાનું રહેશે . હોસ્પિટલના સ્ટાફનો પગારખર્ચ , વીજળી બીલ જેવા અન્ય કોઈ ખર્ચ ચુકવવાના રહેશે નહીં . આ સમય દરમ્યાન સરકારની કોઈપણ સહાયમેળવતી સંસ્થાઓને સરકારી સહાય મળવાપાત્ર થશે નહીં .

દર્દીઓની સારવાર માટે સરકાર દ્વારા પીપીઈ કિટ , એન – ૯૫ , ટ્રીપલ લેયર માસ્ક , હાઈડ્રોસિક્લોરોક્વિન ગોળીઓ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી દ્વારા પુરી પાડવામાં આવશે . ડેઝિગ્નેટેડ હોસ્પિટલને રૂ . ૧૫ લાખ એડવાન્સ પેટે આપવાના રહેશે . જે તેમના દ્વારા આપવામાં આવેલ સારવારના ખર્ચની સામે સરભર કરવાના રહેશે . ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના તમામ સ્ટાફને સેવાના ભાગરૂપે બજાવેલ ફરજ દરમિયાન કોવિડ – ૧૯ સંક્રમિત થઈ અવસાન પામે તેવા કિસ્સામાં તેમના આશ્રિત કુટુંબને સરકારના નિયમોનુસાર સહાય ચુકવવામાં આવશે . ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં સરકાર સાથે સંકલન તેમજ રોજિંદા રિપોર્ટીગ માટે હોસ્પિટલે કો – ઓર્ડિનેટર નિમવાનો રહેશે . સારવાર માટે આવેલ દરેક ઓપીડી તેમજ ઈન્ડોર દર્દીનું રજિસ્ટર નિભાવવાનું રહેશે .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here