66 લાખ કાર્ડધારકોને રૂા 1000ની સહાય લોકોના ખાતામાં સીધા જમા કરશે

on

|

views

and

comments

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી.

  • 66 લાખ કાર્ડધારકોને રૂા 1000ની સહાય
  • દરેકના ખાતામાં થશે રૂપિયા જમા
  • 63 માર્કેટિંગ યાર્ડમાં કામ શરૂ કરી દેવાયુ

CMO સચિવ અશ્વિનીકુમારે આજે રાજ્ય સરકાર તરફથી મહત્વની જાહેરાત કરી હતી. દેશભરમાં કોરોના સંકટ છે ત્યારે 3 મે સુધી લૉકડાઉન છે. આવામાં ગુજરાતમા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં 66 લાખ કાર્ડધારકો માટે મોટી જાહેરાત કરાઈ છે. નેશનલ સિક્યોરિટિ ફૂડ એક્ટ હેઠળ જે લોકો આવે છે તેમને આ લાભ મળશે. 

આ સહાયથી સરકાર પર 660 કરોડનો વધારાનો બોજો

આજે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 66 લાખ કાર્ડધારકોને 1000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે છે. જે સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે અને આ માટે કોઈ પણ ફોર્મ ભરવાનું રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે આ સહાયથી સરકાર પર 660 કરોડનો વધારાનો બોજો વધશે. 

કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં

અશ્વિનીકુમારે કહ્યું હતું કે આ સહાય તાત્કાલિક ધોરણેથી આપવામાં આવશે અને સોમવારથી લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવાના શરૂ થઈ જશે. આ રકમ મેળવવા માટે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં. 

અનાજ વિતરણ ચાલુ રહેશે

જ્યારે તેમણે APL 1 કાર્ડધારકો માટે શરૂ કરાયેલી અનાજ વિતરણ વ્યવસ્થા વિશે માહિતી આપતા કહ્યું હતું કે સંતોષકારક રીતે આ યોજનાનો લાભ લોકોએ મેળવ્યો છે. જ્યારે કેટલાંક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનો હક છોડ્યો હતો જેનાથી વધુને વધુ લોકોને લાભ મળે. કેટલાંક લાભાર્થીઓ અનાજ લેવા માટે બાકી રહ્યાં છે તો તેમને પણ હજુ અનાજ મળશે. એટલે કે જેનો અર્થ એ છે કે હજુ અનાજ વિતરણ બંધ કરાયું નથી અને આગામી દિવસોમાં પણ અનાજ અપાશે.

ઓઈલ મીલ ચાલુ કરાશે

સીએમઓ સચિવ અશ્વિની કુમારે કહ્યું કે સિંગતેલ મુદ્દે સીએમ રૂપાણીએ ઓઇલ મિલના માલિકો અને કલેક્ટર સાથે  બંધ મિલ ચાલુ કરવા માટે ચર્ચા કરી છે. આ ઉપરાંત અમદાવાદ કમિશનર સાથે CMએ વીડિયો કોન્ફરસથી ચર્ચા કરી છે. ગુજરાત સરકારે રાજકોટ વેન્ટીલેટર મોકલ્યા છે.

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here