ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન મેળવવા વધુમાં માહિતી જાણો અને શેર કરો

0
251

શૈક્ષણિક લોન યોજના (ન્યુન આકાંક્ષા યોજના)

હેતુ

  • પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો વ્યવસાય અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.

લોન મેળવવાની પાત્રતા

  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
  • આવરી લેવામાં આવેલ અભ્યામસ ક્રમ
  • એમ.બી.એ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
  • એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્‍૫યુટર એ૫લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
  • આઇ.ટી.આઇ / અન્ય‍ સંસ્થા.ઓ દ્રારા યોજવામાં આવેલ સ્ના્તક કક્ષાના ઇજનેરી અભ્યા.સક્રમ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
  • મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજ દ્રારા યોજવામાં આવેલા તબીબી શિક્ષણ સંબંધી ( આર્યુવૈદિક, હોમીયોપેથીક, યુનાની સહિત ) અભ્યાસક્રમ
  • નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્રારા માન્ય કરવામાં આવેલ હોય તેવા હોસ્પી્ટાલીટી મેનેજમેન્ટના ડિપ્લોમા અભ્યાસક્રમ.

લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે.

  • ટયુશન ફિ
  • રહેવા – જમવાનો ખર્ચ

યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ

  • આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ.૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વિદ્યાર્થી માટે વાર્ષીક ૪ ટકા અને વિદ્યાર્થીની માટે વાર્ષીક ૩.૫ ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૦ ટકા લોન આપવામાં આવશે જયારે ૯૦ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર અને ૫ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here