અેકેય હોસ્પિટલમા હાથ ન પકડ્યો છેવટે આ ડોક્ટર દેવદૂત બનીને સાવ મફતમાં ઓપરેશન કર્યુ

on

|

views

and

comments

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ વાત ફરી એક વખત સાબિત થઇ છે. રસીલાબેન દેવળીયા કેશોદના રહેવાસી છે.જેઓ છેલ્લા બે વર્ષથી abdominal pain તથા વધારે માસિકની સમસ્યાથી પીડાતા હતા. તેઓ મિડલ ક્લાસ પરિવારથી હોવાને કારણે તેમને અસહ્ય પીડાની સારવાર પણ કરાવી શકતા ન હતા. એકવાર તેમને અસહ્ય દુખાવો પેટમાં ઉપડતા તેમણે સોનોગ્રાફી કરાવી અને ત્યારે તેમને uterus તથા ovariesમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું.

પરિસ્થિતિ સારીના હોવાના કારણે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બતાવ્યું હતું. ત્યાં તેમને એબ્ડોમીનલ હિસ્ટેરેક્ટોમી માટે ઓપેરશન ટેબલે ઉપર લીધા હતા અને spinal એનસ્થેસીયા પછી પેટ પર ચીરો મૂકીને ગર્ભાશય કાઢવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ગર્ભાશયના પાછળના ભાગે આંતરડા વધારે માત્રમાં ચોટેલા હોવાથી તેમણે સર્જનનો ઓપિનિયન લીધો હતો અને ઓપેરશન ટેબલે પર ઓપેરશન તાત્કાલિક બંધ કરીને અન્ય વોર્ડમાં શિફ્ટ કર્યા હતા.

જોકે તેમની સમસ્યાનું નિદાન ન થતા ત્યાર બાદ તેમણે રાજકોટમાં 2 હોસ્પિટલમાં બતાવ્યુ હતું. ત્યાં 3-4 દિવસ એડમિટ થયા હતા અને ત્યાં તેમને પૈસાની અગવડતાના કારણે તે ત્યાંથી પાછા આવી ગયા હતા. ત્યાર બાદ રાજકોટ સિવિલમાંથી પણ તેમને ઓપેરશન માટે યોગ્ય સહયોગ ન મળતા રસીલાબહેને ચાપરડા તથા વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં બતાવ્યુ હતું. ત્યાંથી તેમને અમદાવાદ સિવિલમાં આવવાની સલાહ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.

જોકે દર્દી રસીલાબેનના ભાભી 15 દિવસ પહેલા તેમને નરોડા હરીદર્શન ચોકડી ખાતે આવેલ અંકુર મેટરનિટી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. તેમણે ડોક્ટર મોહિલ પટેલને દર્દીની આર્થિક પરિસ્થિતિ અને બિમારીથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ મોહિલ પટેલ દ્વારા આખા કેસને પોતાના હાથ પર લેવામાં આવ્યો હતો. મોહિલ પટેલે રસીલાબેનને હોસ્પિટલમાં બોલાવી તેમનો MRI રિપોર્ટ કર્યો હતો. તેમાં તેમને એન્ડોમેટ્રિઓસિસ નામનો રોગ છે તેવું નિદાન થયું હતું.

એન્ડોમેટ્રિઓસિસ એક રોગ કે જે એક BENIGN કેન્સર કન્ડિશન છે. જેમાં માસિકનો ભરાવો પે ની અંદર થઈ જાય છે તેથી માસિક આવતી વખતે તેમને પીડા ખુબ રહે છે. આ રોગમાં માસિકનો ભરાવો ગર્ભાશયની આજુ બાજુ અંડકોષ તથા tubes તથા આંતરડામાં તેમજ મૂત્રાશયની નળી માં પણ થાય છે. જેથી તે બધીજ વસ્તુ ગર્ભાશય સાથે ચોંટી જાય છે. અંડકોષમાં તો ચોકોકલ સીસ્ટ પણ થઈ જાય છે. આ બધી જ વસ્તુ રસીલાબેનના કેસમાં હતી.

MRI રિપોર્ટ બાદ તેમના બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે બ્લડ ઓછું હોવાથી 3 બોટ્ટલ બ્લડ પણ નિઃશુલ્ક ચડાવવામાં આવ્યું હતું. એનસ્થેસીયા કે ઓપેરશન કે કોઈ પણ જાતનો ખર્ચો લીધા વગર ડોક્ટર મોહિલ પટેલે દૂરબીન(LAPAROSCOPY)થી ઓપેરશન કરી ગર્ભાશય કાઢી આપવામાં આવ્યું હતું. જો એન્ડોમેટ્રિઓસિસ આંતરડામાં હોય તો સંડાસ કરતી વખતે પીડા થાય છે. જો પેશાબની નળીમાં હોય તો પેશાબ જતી વખતે પણ પીડા થાય છે. સમગ્ર કેસમાં ડોક્ટર મોહિલ પટેલ રસીલાબેન માટે દેવદૂત બનીને આવ્યા હતા. તેમણે તમામ સારવાર મફતમાં કરી હતી અને રસીલા બેનને મોતના મુખમાંથી ઉગાર્યા હતા. સરકારી હોસ્પિટલોમાં તેમની સારવાર શક્ય બની ન હતી અને ખાનગી હોસ્પિટલમાં ત્રણથી ચાર લાખનો ખર્ચ થતો હોવાથી રસીલાબેન પોસાય તેમ ન હતું.

ડૉં. મોહીલ પટેલે કહ્યું હતું કે રસીલાબેનની આ પરિસ્થિતિને નજર અંદાજ કરાય એવી ન હતી. જો આવું કોઈ લક્ષણ કોઈપણ સ્ત્રી ને દેખાય તો તાત્કાલિક સારવાર માટે ગાયનૅકોલૉજિસ્ટનો સંપર્ક કરવો જરૂરી બને છે.. આ કેસ અમારા માટે પડકાર સમાન હતો. જોકે રસીલાબેનના આ પડકારને અમે ઝીલ્યો હતો અને તેમને નિઃશુલ્ક નિદાન તથા LAPAROSCOPY ઓપેરશન કરી પીડામુક્ત કર્યા છે.પીડામુક્ત કર્યા છે.

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here