વાવાઝોડા પહેલાની તૈયારી • રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો , અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો . • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો . • આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો , ચકાસી લો . • સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્નો કરો . • ઢોર – ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો . • માછીમારોને દરિયામાં જવું નહી , બોટ સલામત સ્થળે લાંગરવી . • અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું . • આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો . • સુકો નાસ્તો , પાણી , ધાબળા , કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો . • અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો . વાવાઝોડા દરમ્યાન • જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી . • રેડીયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો . • વાવાઝોડા સમયે બહાર નિકળવાનું સાહસ કરવું નહી . • વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી . • વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપવી . • દરિયા નજીક , ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઉભા રહેશો નહી . • વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી . • માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી . • મોબાઇલ ફોન અગાઉ ચાર્જ કરી લેવા. અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવો
• ખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો , આધારભૂત સૂચનાઓને અનુસરો . વાવાઝોડા બાદ બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ , પોલીસ , મ્યુનિસિપાલીટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી . અસરગ્રસ્તોની મદદ કરવી , બચાવ કરવો , સલામત સ્થળે લઈ જવા . • જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી . ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું . • અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી .
દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો એ ખુબજ સાવચેત રહેવા અને બધી તૈયારી પૂરી કરી લેવા નો સમય આવી ગયો છે..