પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 1 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 1

on

|

views

and

comments

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 1 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ પ્રથમ આધ્યાય – 1 : નેમિષારણ્ય

સુદ ૧ આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા

અધ્યાય પહેલો નૈમિષારણ્યમાં યજ્ઞ અધ્યાય પહેલો •

કાંઠા ગોરમાની કથા |સંકીર્તન

નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઇચ્છાથી ભૃગુ , અગસ્ત્ય , કપિલ , કાત્યાયન , ગૌતમ , કૌશિક , અત્રિ , ગર્ગ , જમદગ્નિ , ભારદ્વાજ , શૌનક , જૈમિનિ , ઉદ્દીલક આદિ અનેક ઋષિ – મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા , તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા , તે સમયે શ્રીવ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા . તેમને જોતાં ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સંભળાવવા ઇચ્છા વ્યક્ત કરી .

ઋષિ – મુનિઓની કથા સાંભળવાની ઇચ્છા જાણી સૂત પુરાણીએ કહ્યું : ‘ ‘ હે મુનિશ્રેષ્ઠી ! આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે , જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે . હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થ નીકળેલ છું . હુંપુષ્કર , મથુરા , પ્રયાગ , કાશી , ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો , પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધાં તીર્થક્ષેત્રમાં ફરી બદરિકાશ્રમ ગો હતો . ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધક્ષેત્ર ( સિદ્ધપુર ) ગયો હતો . ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો .

ત્યાં મને ખબર મળી કે ‘ રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિશાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે . ત્યાં શ્રી વ્યાસજીના સોળ વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી શુકદેવજી કથા કહેવાના છે . ’ અહીં અનેક ઋષિ – મુનિઓ , તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા . હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો . એક ઊંચા આસન ઉપર શ્રી શુકદેવજી બિરાજમાન હતા .

આસપાસ અનેક ઋષિ – મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા . રાજા પરીક્ષિતે શ્રી શુકદેવજી સમક્ષ જીવનમુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી . આ વિનંતીને માન આપી શ્રી શુકદેવજીએ શ્રીમદ્ ભગવદ્ કથાનો આરંભ કર્યો . આ શ્રીમદ્ ભગવદ્ કથા સાત દિવસ ચાલેલ . સાતમે દિવસે પરીક્ષિત રાજાની જીવનમુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું હતું . ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણાર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ – મુનિઓ એકઠા થનાર છે . આપ બધાનાં દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું , હું આપનાં દર્શન કરીને કૃતકૃત્ય થયો છું .

‘ શ્રી બૃહશારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ નેમિપારણ્યમાં યજ્ઞ ’ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ ,

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

કાંઠા ગોરમાની કથા નદી કાંઠે એક રમણીય ગામ હતું . તેમાં એક ડોશી તેના બે ‘ દીકરા અને બે વહુઓ સાથે રહેતી હતી . ઘરમાં ક્લેશ થતાં બે દીકરાઓ અલગ થઈ ગયા . તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા , તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી . આમ ત્રણે જણા જુદા જુદા ઘરમાં રહેતાં હતાં . પણ વાર – તહેવારે ભેગાં મળી આનંદ માણતાં .

ડોશી ધાર્મિક વૃત્તિનાં હતાં . તે રોજ સવારે ઊઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતાં લેતાં નદીએ નાહવા જતાં . તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી . તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતાં . જ્યારે મોટા દીકરાની વહુ ઊઠતાં જ ઘરની ઝંઝટમાં લાગી જતી . દીકરા , દીકરી અને પતિને ‘ આ કરો , તે કરો ’ તેમ હુકમો છોડ્યા કરતી .

તે બે પૈસે સુખી હતી , તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું . સાથે કંઈક હતું , એથી તો તેના અભિમાનનો પારો ઓર ચઢ્યો હતો . તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી . ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી . દેરાણી ભોળી હતી . એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું : “ જેઠાણી , આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો . ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું , પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવા સ્મરણ કરતાં ઘેર આવી જઈશું . ’ ” ” જેઠાણી કહેવા લાગી : ‘ આ તો નવરાનાં કામ છે . નાહવાનું તો ફક્ત બહાનું છે , પણ ત્યાં બધાં ભેગાં મળી ગામની નિંદા કરતા હોય છે . આમાં આપણું કામ નહિ મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું . મારે ઘેર આવનારાં ઘણાં . મારા પતિ દુકાનેથી આવે , છોકરાઓ નિશાળથી આવે , પિયર ગયેલ વહુ આવે , સાસરે ગયેલી દીકરી આવે , સગાસંબંધીઓ આવે , સીમમાં ગયેલ ઢોર પણ આવે .

આમાંથી હું આખો દિવસે નવરી પડું તો તમારી સાથે નાહવા આવ્યું છે ? તમતમારે વ્રત અને કરો , મને તો ઘર્મ કર્મ કરવાનો બેથ જ નથી ! ‘ જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું , છતાં તે કાંઇ બોલી નહિ , તે સાસુ પાસે ગઇ અને બધી વાત કરી . સાસુએ કહ્યું : ‘ ‘ જે કરે તે ભરે . ભગવાન માળને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે . મોટી વહ સમજે તો સારું , નહિતર એના ભાગ્ય પન્ન ફૂટેલા જ છે . કઠો ગોરમા રીઝે તો ધન – ધાન્યનો પાર ન રહે અને ખીએ તો કોઇનાથ નહિ . ‘ ” ” આમ દિવસો વીતી રહ્યા હતા . દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ – ધ્યાનમાં જતા હતા , જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા ,

તેની પાસે ધરમ કરવાનો વખત જ નથી , એતો સગાવહાલાને રીઝવવામાં પડી હતી . દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ – ધ્યાનમાં રત રહેતી , આથી કાંઠા ગોરમા દેરાણી ઉપર રીઝ્યા . એને ઘણી સુખ – સાહ્યબી દીધી . બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયાં . કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો . તેમણે જેઠાણીને શાપ આપ્યો : આથી પેઢીએથી પતિ ગાયબ થયો . નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ન આવ્યો . દીકરીના સાસરિયા કોપ્યા , તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી . પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી . કોઈ સગાવહાલા ન આવ્યા . સીમમાં ગયેલ ઢોર પણ પાછાં ન ફર્યાં . આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેબતાઈ ગઈ , તેના શોકનો પાર ન રહ્યો . તેને પોતાની ભૂલ સમજાઈ . તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાની દુઃખની વાત તેણે દેરાણીને કરી . દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ . સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યાં હતાં . ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતાં કહેવા લાગી :

‘ મા , હું તો લૂંટાઈ ગઈ . મારો તો પતિ ગયો , મારો પુત્ર ગયો , ઢોર ઢાંખર ગયાં . સવળા નાખું ત્યાં અવળા પડે છે , માટે કંઈક રસ્તો બતાવો . તમે કહેશો તેમ હું કરીશ . ’ ’ સાસુએ કહ્યું : ‘ ‘ મોટી વહુ ! તે જાણ્યે અજાણ્યે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે . આથી કાંઠા ગોરમા તારા ઉપર કોપાયમાન થયાં છે . તેથી તારાં બધાં કાર્યો અવળાં થાય છે , આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર , ધરમ – ધ્યાન કર , કાંઠા ગોરમાનું પૂજન કરી એમને વિનવણી કર . ભૂલની ક્ષમા માંગ , હવે મારી એક વાત સાંભળ . ધરમ થાય તો કરીએ , પણ ધરમનો અનાદર કદી ન કરીએ . ’ ’ ત્યારે જેઠાણી રડતાં રડતાં બોલી ઃ ‘ ‘ મા , હું સાવ આંધળી છું , અજ્ઞાન છું . ધરમની વાત જાણતી નથી . અજાણતા અનાદર થયો છે . હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી . મારે ત્યાં જઈને શું કરવાનું ? ’ ’ સાસુએ કહ્યું : “ એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી . તેમાં શ્રીફળ , પુષ્પ , ચોખા , સોપારી , કંકુ , અબીલ , ગુલાલ , ધૂપ , અગરબત્તી મૂકી , હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે – ગાજતે નદીએ જા . ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી , કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે . પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે : ‘ ‘ હે ગૌરી મા ! હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહિ . આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો . હવે મને મારી ભૂલ સમજાઈ છે . તમે મોટા મનવાળાં છો મા , મારા ઉપર પ્રસન્ન થાઓ , મને સુખ – શાંતિ આપો . મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો . ’ જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી . તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી . દેરાણી , જેઠાણી અને સાસુએ આડોશ – પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી , બધાને સાથે લઇને તે વાજતે ગાજતે નદીએ પહોંચી ત્યાં સ્નાન કરી , કાંઠા ગોરમાનું પૂજન કર્યું . કથા – વાર્તા સાંભળી , ક્ષમા માગી . કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો નહોતો .

કેમકે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો . દીકરો નિશાળેથી આવતો દેખાયો . થોડીવાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી . સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી . સીમમાં ગયેલ ઢોર આવવાં લાગ્યાં . સગાંવહાલાં પણ આવી પહોંચ્યા . : આમ , ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું ‘ હે ગૌરી મા ! તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે . હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ . દરરોજ સ્નાન કરવા જઈશ . કાંઠા ગોરમાને પૂજીશ . વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ .

અન્નદાન અને વસ્ત્રદાન આપીશ . નિંદા કરીશ નહિ , ખરાબ આચરણ નહિ કરું . મારા હુંપદનો ત્યાગ કરીશ . ’ ’ જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો . તે સવારે વહેલાં ઊઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ . તે કાંઠા ગોરમાનું પૂજન કરતી . કથા – વાર્તા સાંભળતી . PINIE કાંઠા ગોરમાએ ત્રણેને સદ્ગુદ્ધિ આપી . દેરાણી – જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયાં . ડોશીના બંને દીકરાઓને આથી આનંદ થયો . બધાંના આવવાથી ડોશીનું જૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું . હે પુરુષોત્તમ ભગવાન ! હે કાંઠા ગોરમા ! તમે જેમ સાસુ , જેઠાણી , દેરાણીને ફળ્યાં તેમ તમારું પૂજન કરનાર , કથા આપજો . સાંભળનાર , સ્નાન કરનાર , દરેક ભાવિકોને ફળજો અને સુખ – શાંતિ બોલો

પુરુષોત્તમ ભગવાનની જય

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here