પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 2 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 2 | પવિત્ર પશ્ન

on

|

views

and

comments

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 2 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ પ્રથમ આધ્યાય – 2 : પવિત્ર પશ્ન | નારદજીનો પ્રશ્ન

સુદ ૨ | આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા

અધ્યાય બીજો નારદજીનો પ્રશ્ન

અધ્યાય બીજો ૭ વર વગરની વહુની કથા

સૂત પુરાણીનાં આ વચનો સાંભળી બધા તેમને ધન્યવાદ આપવા લાગ્યા . કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા .

એ મુનિઓ શૌનક મુનિ બોલ્યા : ‘ ‘ શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો . તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હિરકથા અમને કહો , જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને . ’ . આથી સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે મુનિશ્રેષ્ઠો ! તમે ઉત્તમ હોવા છતાં મને ભગવદ્ કથા કહેવાનું કહો છો , તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે , તે મુજબ હું તમને કહું છું . ’ તેમણે કથાનો આરંભ કરતાં કહ્યું : “ બ્રહ્માજીના પુત્ર નારદજી એક વાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદિરનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા :

‘ આપ સત્યસ્વરૂપ અને કૃપાનિધિ છો . આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલનપોષણ કરી રહ્યા છો . આપ સાક્ષાત્ નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો . પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી . હું મૃત્યુલોકથી આવું છું . ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે . તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોક ( મનુષ્યલોક ) ના સર્વ માનવાનું કલ્યાણ થાય . ’

નારદજીનાં આવાં વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા : ‘ નારદ , વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માનાં બધાં દુઃખો કષ્ટો દૂર થાય છે . હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું , તે તું સાંભળ . આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ , દારિત્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે .

’ આથી નારદે તેમને પૂછ્યું : ‘ હે પ્રભુ ! આ પુરુષોત્તમ માસ કયો માસ છે , તેનું માહાત્મ્ય શું છે , તેના અધિષ્ઠાતા દેવ કોણ છે , આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો . ’ સૂત પુરાણીએ આગળ કહ્યું : “ હે મુનિશ્રેષ્ઠો ! નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું : હે નારદ ! પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે .

તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ શ્રી પુરુષોત્તમ માસ પડ્યું છે . આ માસમાં વ્રત , તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે . ’ નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું ‘ કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે ? આ માસમાં વ્રત , તપ અને ઉપવાસ કેવી રીતે કરવાં ? આ વ્રત કરનારને શું ફળ મળે ? જગતમાં દુઃખોનો પાર નથી . હું તેમાંથી તેઓને શાંતિ ને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું .

’ સૂત પુરાણી આગળ બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના માહાત્મ્યની કથા કહેવી શરૂ કરી , તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ . ’ ’ ‘

શ્રીબૃહશારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ શ્રી નારદજીનો પ્રશ્ન ’ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

વર વગરની વહુની કથા

એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતાં હતાં . તેઓ પૈસે ટકે સુખી હતાં . પ્રૌઢ ઉંમરે પહોંચ્યાં હતાં . બધી વાતનું તેઓને સુખ હતું , પણ એક વાતથી તેઓ દુ : ખી રહેતાં હતાં . તે દુ : ખ હતું નિઃસંતાનપણું . તેઓ પરણ્યાં ત્યારથી સંતાન માટે વલખાં મારી રહ્યાં હતાં , પણ ઈશ્વર તેમની સામે જોતો નહોતો .

હવે ઉંમરે પહોંચ્યાં પછી તેમણે સંતાનની આશા છોડી દીધી હતી . હવે તો તેઓ પ્રભુ – પરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતાં હતાં . એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો . આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ – ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો . પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું . સવારે વહેલા ઊઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતાં .

આખો દિવસ નામ જપ કરતા અને રાતે ભૂમિ ઉપર પથારી કરી સૂઈ જતાં . બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતાં . વળી ઘરમાં કામ કરનાર કોઇ હતું નહિ , તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું , તેઓ થાકી જતાં , ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો , તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું . એક દિવસ તેને વિચાર આવ્યો કે , જો અમારે દીકરી હોત તો વહુ આવત તે ઘરનું કામ કરત અને પ્રભુનું ભજન કરતાં . ’ આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મુક્યો : ‘ ‘ જુઓને , આ તો ધરમ – ધ્યાનનો મહિમા છે અને મારો તો બધો વખત ઘરકામમાં જાય છે .

ઘરમાં વધુ હોય તો કેવું સારું ! એ રાંધે , ઘરકામ કરે અને આપણે નિરાંતે ભગવાનનું ભજન કરીએ . ’ ’ બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો . તે બોલ્યો : ‘ ‘ તું જાણે છે કે આપણને દીકરો નથી , પછી વહુ ક્યાંથી આવે ? ’ ’ બ્રાહ્મણીએ કહ્યું : “ હા , હું જાણું છું કે આપણને દીકરો નથી . દીકરો હોય તો વધુ આવવાની જ છે , પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઇક કરો , વગર દીકરે વહુ લાવો તો ખરા . ” ” બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાય ગયો . તેને કંઈ સૂઝતું નહોતું . આથી બ્રાહ્મણી બોલી : ‘ હું તમને એક માર્ગ દેખાડું , તમે બહારગામ ઊપડો અને કન્યા શોધી કાઢો . કન્યાનાં મા – બાપ પૂછે તો કહી દેવાનું કે , દીકરો કાશી ભણવા ગયો છે . સાથે વેદપાઠ લેતા જાવ અને કોઇ કન્યા આપવા તૈયાર હોય તો આ વેદપાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી , તમારી સાથે લેતા આવજો .

અને કહેજો કે , ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું . ‘ ‘ બ્રાહ્મણ બ્રાહ્મણીની વાત સાંભળી ડઘાઈ ગયો . તે પણ મનોમન વિચારવા લાગ્યો . બ્રાહ્મણી બોલી : “ જેવી ભગવાનની ઇચ્છા , એક વાર કામ તો પાર પાડો , પછી જેવી હરિની ઇચ્છા ’ ’

બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પહોરમાં ખભે ખડિયો ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો . ચાલતાં ચાલતાં જે જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે , ત્યાં કન્યાની ભાળ કાઢતો . આમ ફરતાં ફરતાં એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી . એ કન્યાને જોઇને બ્રાહ્મણની આંખો ઠરી . તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો . તેના મનમાં થયું કે ‘ જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઊઠે . ’ બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી . ગોર મહારાજે કહ્યું : ‘ ‘ તમારી વાત માન્ય રાખું છું . પણ મુરતિયો જોયા વગર સગપણ કેવી રીતે થાય ? ત

મે છોકરાને લઈને અહીં આવો અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં , પછી સગપણ નક્કી કરીએ . ,, બ્રાહ્મણ મૂંઝાયો , છતાં હિંમત એકઠી કરીને બોલ્યો : “ ભાઈ , વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે . તે ભણીને પાછા આવતા વાર લાગે તેમ છે . જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું , તેની સાથે આપણે તમારી દીકરીના ત્રણ ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું . ’ ’ ગોર મહારાજે વિચાર્યું : ‘ બ્રાહ્મણનું ઘર પૈસેટકે સુખી છે . દીકરો કાશીએ ભણવા ગયો છે , તેથી તે પણ વિદ્વાન થઈને આવશે . ઘરમાં પ્રૌઢ પતિ – પત્ની જ છે .

આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે , તો મોં ધોવા શા માટે જવું ? ‘ આમ વિચારી તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરી . તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ . ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું : ‘ ‘ અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ . ’ ’ ઘડિયા લગ્ન લીધાં . પોથી સાથે ત્રણ ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી . બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેર આવ્યો . બ્રાહ્મણને રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો . ‘ વહુના લક્ષણ બારણામાં ’ એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતાંવેત બધું કામકાજ ઉપાડી લીધું . બ્રાહ્મણીને તો નિરાંત થઇ . એ તો સુખે પ્રભુભજન કરવા લાગી . વહુને ઘરની ચાવીઓ સોપી . એક દિવસની વાત . બ્રાહ્મણ – બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયાં હતાં . વહુ ઘરમાં રસોઈ કરતી હતી , ત્યાં પડોશણ દેવતા લેવા આવી . ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો .

એ પૂછવા લાગી : ‘ ‘ તમે કોણ છો ? આ ઘરમાં મેં તમને પહેલીવાર જોયાં . તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગાં થતાં લાગો છો . આ તો તમને પહેલી વખત અહીં જોયા તેથી પૂછું છું . ’ ’ વહુ બોલી : “ તમને ખબર નહિ હોય કે હું આ ઘરની વહુ મારા સસરા પોથી સાથે ત્રણ ફેરા ફેરવીને અહીં મને લાવ્યા છે . મારા પતિ કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફરી લઈશ . ’ .. આ સાંભળી પડોશણ ખડખડાટ હસવા લાગી . તે બોલી : “ બહેન , આ બ્રાહ્મણ – બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી . તેઓ તો વાંઝિયા છે . ‘ ‘ પડોશણની વાત સાંભળી વહુનું કાળજું ચિરાઈ ગયું અને એ રડવા લાગી .

થોડીવારે બ્રાહ્મણ – બ્રાહ્મણી નદીએથી નાહીને પાછાં આવ્યાં . વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી : “ દીકરી તું શા માટે રડે છે ? ‘ જવાબમાં વહુએ પડોશણે કહેલી વાત કરી . વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ , છતાં બ્રાહ્મણીએ હિંમત રાખી વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતાં કહ્યું : “ વહુ , અમે પૈસાવાળા છીએ , એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે . તેઓ અમારું સુખ સાંખી શકતા નથી , તેથી અમારી નિંદા કરે છે . તું જ વિચાર કરને ! કોઈ દીકરા વગર વહુ લાવે ખરા ? મારા સાત ઓરડા અને ત્રણ માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાનજોધ દીકરો છે . વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતાં જ આંખો અંજાઈ જાય . તેને જોઈને તું કહી શકે , જેણે પાંચે આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે .

મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે , માટે એ ભણી – ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ સાતેય ઓરડાની ચાવીઓ , દરેક ઓરડામાં ખાવા – પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે , ખાઓ , પીઓ અને પહેરો ઓઢો . પણ એક વાતની યાદ રાખજો કે સાતમો ઓરડો ઉઘાડશો નહિ , ‘ ‘ વહુએ હવેલીના ત્રણે માળ જોયા હતા , પણ તેમાં સાત ઓરડા બંધ હતા . તેના દરવાજાને મોટાં તાળાં મારેલાં હતાં . આથી તે વિચાર કરતી કે , ‘ આ સાતેય ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે , ક્યારેય ઉઘાડવામાં આવતા નથી ! ‘

વહુ પાસે સાતેય ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહિ . એક દિવસ બ્રાહ્મણ – બ્રાહ્મણી દેવ – દર્શને ગયાં ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ – પકવાન જોયાં . બીજા ઓરડામાં હીરનાં ચીર જોયાં . ત્રીજામાં સોળ શણગારનાં સાધનો જોયાં . આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોળ ઊડતી જોઈ . પછી વહુને સાતમા ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને સાતમો ઓરડો ઉઘાડ્યો .

ઓરડામાં પગ મૂકતાં જ એ થીજી ગઇ . ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો . આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી . તો આ જોઈને સ્તબ્ધ થઈ યુવાનને જોવા લાગી . તે ઊંબરામાં જ ઊભી રહી ગઈ . તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી . બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી યુવાને બારણા તરફ દૃષ્ટિ કરી અને બોલ્યો : ‘ ‘ તમે બારણું કેમ ઉઘાડ્યું ? બારણું બંધ કરી દો . મારાં માતા – પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે . વેદનો પાઠ અધૂરો રહેશે . તમે પોથી સાથે ત્રણ ફેરા ફર્યા એ હું જાણું છું . વ્રત પૂર્ણ થયા પછી ચોથો ફેરો હું ફરીશ . ’ .. વહુની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં .

તેણે તરત બારણું બંધ કર્યું . જ્યારે તેનાં સાસુ – સસરા મંદિરેથી દર્શન કરીને પાછાં ઘેર આવ્યાં ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી . તેણે સાસુ – સસરાને જમવા બેસાડી દીધાં અને પોતે પણ જમી લીધું , પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને સાતમો ઓરડો ઉઘાડ્યો હતો , તે વાત કોઈને ન કરી . હવે તે સારી રીતે સાસુ – સસરાની સેવા – ચાકરી કરતી હતી અને દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી . ન આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો . હવે વ્રતના ઉજવણાં થવાં માંડ્યાં . બ્રાહ્મણ – બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું . વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ – સસરાને પૂછ્યું . તેણે સાસુ – સસરા પાસે જઈને પૂછ્યું : ‘ ‘ પુરુષોત્તમ માસ પૂરો થયો . તેનું ઉજવણું પણ થઈ ગયું . તમારા દીકરાને બોલાવો , એટલે હું તેમની સાથે ચોથો ફેરો ફરી શકું . ’ ’ વહુની વાત સાંભળી સાસુ – સસરા પરસેવે રેબઝેબ થઈ ગયાં . દીકરો તો હતો નહિ . લાવવો ક્યાંથી ? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ નહોતું . મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ . ‘ તેમણે વહુને કહ્યું : ‘ ‘ વહુ તમે ફિકર ન કરો . થોડા જ દિવસમાં મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ

હવે બહાનું કઢાય તેમ નહોતું . આબરૂ જવાની ઘડી આવી પહોચી હતી . તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી સહાય કરવા મનમાં ગણગણી રહ્યાં હતાં . સાસુ – સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી : “ તમે આમ મૂંઝાઓ છો શા માટે ? તમારા દીકરાને બોલાવું છું . ’ બ્રાહ્મણ – બ્રાહ્મણી ચકિત થઇને એકબીજા સામે તાકી રહ્યાં , તેમને લઈને વહુ સાતમા ઓરડા આગળ આવી અને બારણું ઉંઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા . યુવાનનું તેજસ્વી રૂપ જોઈને જ બ્રાહ્મણ – બ્રાહ્મણી સમજી ગયાં કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે . તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે .

તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે . ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે . બ્રાહ્મણ – બ્રાહ્મણી તેમના પગમાં પડ્યાં અને ગળે લગાવ્યાં . વહુ પણ યુવાનને પગે પડી . તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ . ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી ચોથો ફેરો ફેરવ્યો . આમ લગ્નવિધિ પૂર્ણ થતાં વહુ હર્ષઘેલી બની ગઈ . બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યાં .

તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી . હે પુરુષોત્તમ ભગવાન ! જેવા તમે બ્રાહ્મણ – બ્રાહ્મણીને ફળ્યાં , પુરુષોત્તમ માસનું વ્રત કરનાર , નાહનાર તેમજ કથા વાંચનાર અને સાંભળનાર સહુને ફળજો .

તેમ બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here