પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 7 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 7 | પુરૂષોત્તમ માસ

on

|

views

and

comments

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 6 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ આધ્યાય – 7 : પુરૂષોત્તમ માસ

પુરુષોત્તમ માસ ગોલોકપતિએ કહ્યું , ‘ આ દુઃખીનું દુઃખ દૂર કરવા તમે જે કષ્ટ લીધું તેનાથી તમારો યશ વધશે . * જેનો કોઈ પતિ નથી તેનો હું પતિ છું . મારું નામ પુરુષોત્તમ છે . આ અધિકમાસને હું મારા તમામ ગુણો દાનમાં આપું છું . આજથી આ મળમાસ પુરુષોત્તમ કહેવાશે . સર્વે મહિનાઓમાં તે સૌથી વધુ પવિત્ર ગણાશે . આ માસમાં તીર્થ , વ્રત , દાન કરનારી વ્યક્તિ ધનસંપત્તિ અને મુક્તિ મેળવશે .

આ માસમાં યથાવિધિ પૂજા કરનારનાં પાપ બળી જશે . ઠંડી , ગરમી અને વરસાદમાં તપ કરનાર યોગી કરતાં પણ પુરુષોત્તમ માસની પૂજા કરનાર વ્યક્તિ જલદી મારા ધામને પામશે . આ માસમાં જે વ્રત કરશે તે બધા અનંત ફળ પામશે . હે વિષ્ણુ , ચાતુર્માસ અને અન્ય વ્રતોથી મનુષ્યો સ્વર્ગમાં જાય છે . પરંતુ તે પૂરા થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે . જે માનવી પુરૂષોત્તમ માસનું વ્રત કરશે તે જન્મ – મ ૨ ણ , આધિવ્યાધિના ચક્રમાંથી નિવૃત્ત થઈ સદાને માટે મને પામશે .

આ સામનું યથાવિધિ વ્રત પૂજન કરનારાઓની ચિંતા આજથી મારી છે . પુરુષોત્તમ માસના આરાધકોનાં સંકટ દૂર કરવા હું સદા તત્પર રહીશ . કોઈ અજ્ઞાની કે મૂર્ખ આ માસમાં તપ , દાન વિગેરે નહીં કરે તો તેને સ્વર્ગમાં કોઈ સ્થાન નહીં મળે . આ માસનો તિરસ્કાર કરનારને નરક પ્રાપ્ત થશે . આ માસમાં કોઈ પુત્રહીન મનુષ્ય વ્રત કરશે તો તેને પુત્રપ્રાપ્તિ થશે . દરિદ્રને સંપત્તિ મળશે . હવે આપ એને નિશ્ચિત થઈ જાઓ અને વિષ્ણુ અધિકમાસ સાથે વૈકુંઠ પાછા ફર્યા . એ દિવસથી આ માસ વિશ્વમાં પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે .

આધ્યાય સાતમો મલમાસ પુરુષોત્તમ માસ | ઉમામાની કથા | સંકીર્તન

સુદ ૭ • આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય સાતમો મલમાસ પુરુષોત્તમ માસ

અધ્યાય સાતમો • ઉમામાની કથા – સંકીર્તન :

શૌનકાદિ મુનિઓ બોલ્યા : ‘ ‘ હૈ સૂત પુરાણી , તે પછી ગોલોકવાસી શ્રીકૃષ્ણે શું કહ્યું ને શું કર્યું હતું તે અમને આપ કહો . ’ ’ સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હૈ મુનિશ્રેષ્ઠો ! તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદમુનિએ શ્રીનારાયણને કર્યો હતો . શ્રીનારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું , તે હું તમને કહું છું તે સાંભળો શ્રીકૃષ્ણ ભગવાને ( શ્રી પુરુષોત્તમ ભગવાને ) શ્રીવિષ્ણુજીને કહ્યું : ‘ ‘ તમે મલમાસને લઈને આવ્યા છો , તે ઠીક જ કર્યું છે . હું મારા ગુણો , કીર્તિ , પ્રભાવ , ઐશ્વર્યો , પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું , તેમજ લોકમાં તથા વેદમાં મારું ‘ પુરુષોત્તમ ’ નામ જાણીતું છે .

હું આ મલમાસને તે નામાભિધાન અપું છું , તેનો સ્વામી હું છું . મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે . વળી તે જગતમાં પૂજ્ય તથા વંદનલાયક થશે . આની જે પૂજા કરશે તે સર્વ દારિત્ર્યમાંથી મુક્ત થશે . આ માસમાં તીર્થ , વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે . જે કોઈ આ માસની યથાવિધ પૂજા કરશે , તેનાં પાપો બળીને ભસ્મ થઈ જશે . યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે , છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી , પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે , તે જન્મમરણના ભયથી મુક્ત અને આધિ , વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી તે મારું પરમ ધામ પામે છે .

આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા અપું છું . તેનું નામ પણ ‘ પુરુષોત્તમ માસ ’ આપું છું . તેના ભક્તોની ચિંતા રાત – દિવસ હું જ કરવાનો છું . તેમના અપરાધોને હું માફી બક્ષીશ . બધા કરતાં આ ભક્તો મને વધુ પ્રિય હશે . જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ , તપ , નિયમ અને દાન નહિ કરે તે કાયમ નરકવાસી બનશે . ઉપરાંત તેને આ લોકમાં પુત્ર , પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે . તે કદી ભાઈ , પુત્ર , સ્ત્રી , ધનનું સુખ હાંસલ નહિ કરી શકે . ફરીથી કહું છું કે , આ માસમાં મારું પૂજન , વ્રત , દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે . કેમકે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે , માટે લક્ષ્મી પતિ , તમે આ મલમાસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે , તેને લઈને વૈકુંઠધામમાં જાઓ . ’ ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા : ‘ હે નારદ , ભગવાન શ્રીકૃષ્ણનાં આવાં વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા . તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો . ’ ૭

શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ મલમાસ છે . પુરુષોત્તમ માસ ’ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ .

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

ઉમામાની કથા

એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી – પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યાં . આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો . લોકોનાં ટોળેટોળાં નદીએ સ્નાન કરવા જતા હતા . કાંઠા ગોરમાનું પૂજન અને કથા – વાર્તા સાંભળતા હતા . દાન દક્ષિણા આપી દેવદર્શન કરતાં હતાં . ઠેકઠેકાણે કથા – વાર્તા ચાલતી .

ચોમાસું પૂરું થવા આવ્યું હતું . ખેતરો ધાન્યથી લચી પડતાં હતાં . શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંની કેડી પર ચાલવા લાગ્યાં . એ બાજરીનું ખેતર હતું . કેડી ઉપર બારિયાં પડ્યાં હતાં . એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું . પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું . જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યાં ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલ બાજરિયા ઉપર પડી . બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા . પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળી મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યાં . બારિયાના કૂણા દાણા ખાતા જોઈને

શિવજી બોલ્યા : ‘ ‘ હે દેવી ! ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બારિયું ખવાય નહિ , એ ચોરી ગણાય . તમે પાપમાં પડ્યાં . હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો . ’ ’ ખાધેલ દાણા ૩૬૫ થતા હતા . પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી . શિવજી પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા . પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યાં . પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવદર્શન કરવા ગયાં હતાં . ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો . પતિ – પત્ની ઘણાં ધર્મનિષ્ઠ હતાં . તેમને એક દશ વર્ષની દીકરી હતી . પાર્વતીજી ઝૂંપડી નજીક ગયાં . ખેડૂત પતિ – પત્ની ઘેર આવ્યાં ; એટલે પાર્વતીજીએ તેમને કહ્યું : “ હું એકલી છું . મારું કોઈ નથી . મને કોઈ કામે રાખો . બે ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ .

‘ ,, ખેડૂત દયાળુ હતો . તેણે કહ્યું : “ બહેન , તમ તમારે ખુશીથી રહો . ખાવાની ખોટ નથી , પણ તમારું નામ જણાવો . ’ ’ પાર્વતીજી બોલ્યાં : ‘ ‘ મારું નામ ઉમા છે . જાતે બ્રાહ્મણ છું . ’ પાર્વતીજીનાં પગલાં ખેડૂતનાં ઘરમાં પડતાં જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી . દશ ગણો પાક થયો , ઉપરાંત ગામ પણ સુખી થયું . રોગ , બીમારી , શોક , સંતાપ ગયાં . ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધાં હળીમળી ગયાં કે બધા તેમને ઉમામા કહેતા . પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું . વખત વીતતો ગયો . પાર્વતીજી આનંદ ને પ્રેમથી બધું કામ કરે . રાંધીને બધાને જમાડે . આમ કરતાં ત્રણસો દિવસ પૂરા થયા . એક દિવસ ગામના લોકો ભેગા થયા . કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું . ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઇચ્છા હતી , પણ દીકરી દશ વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે , તેની મૂંઝવણમાં પડ્યાં . ઉમામા ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું . જેથી ખેડૂત પતિ – પત્ની પણ સંઘમાં જોડાયાં અને આખું ઘર ઉમામાને સોંપ્યું .

વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કાપડું આપતાં કહ્યું : ‘ ‘ ભાઈ , આ કાપડું લેતા જાવ અને ગંગાજીમાં નાહતી વખતે આ કાપડું તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે , માટે હાથોહાથ સ્વીકારો . ” 1 ખેડૂત મનમાં હસ્યો , પણ ઉમામાને ખોટું ના લાગે એટલા માટે કાપડું લઈ લીધું અને પોટકામાં મૂક્યું . સંઘ તો વાજતે – ગાજતે રવાના થયો . પુષ્કળ ગાડાં જોડાયાં . રસ્તામાં આવતાં યાત્રાધામનાં દર્શન કરતાં સંઘ કાશીએ પહોંચ્યો . આખો સંઘ ધર્મશાળામાં ઊતર્યો . સ્નાન કરી કાશી વિશ્વનાથનાં દર્શન કર્યાં . પછી ભોજન લઈ બધાં સૂઈ ગયાં . બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઊઠી , નિત્ય કર્મથી પરવારી મણિ – કર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયાં . ગંગાસ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું પોટકામાંથી લેવાનું જ રહી ગયું .

પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું . સ્નાન , ધ્યાન , દેવદર્શન અને દાન – દક્ષિણામાં પાંચ દિવસ વીતી ગયા . સંઘ પાછો ફર્યો . પાછા ફરતા અર્ધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટકામાં જ રહી ગયું છે . ખેડૂતનો જીવ બળવા લાગ્યો . એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે , “ સંઘ પાંચ દિવસ અહીં રોકાય તો હું કાપડું ગંગામાને દેતો આવું . ’ ’ સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી , એટલે ખેડૂત અને તેની પત્ની એકલાં પાછાં કાશીએ ગયાં . આ બાજુ સવાર પડતાં સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો રાવટીઓ સંકેલી લેવાઈ . બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો .

ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી , પણ બળદ ઊઠતા નથી . બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી . આખો સંઘ મૂંઝાઈ ગયો . હવે શું કરવું ? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નંખાયો . બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય ન હતો . આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતાં ચાલતાં પાંચ દિવસે કાશીએ પહોંચ્યાં . તેઓ સીધા ગંગાઘાટ ઉપર ગયાં . પ્રથમ સ્નાન કર્યું , પછી પતિ – પત્ની કેડ સમા પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે , ‘ ઉમામાએ આ કાપડું મોકલ્યું છે . હાથોહાથ લે તો જ આપવાનું છે . ‘ ત્યાં જ ચમત્કાર થયો . જળમાંથી રત્નકંકણ પહેરેલા બે હાથ બહાર આવ્યા અને કાપડું સ્વીકારી અદૃશ્ય થઈ ગયા . ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદ્ગદિત થઈ ગયાં . આજે ખેડૂતને પારખું થઈ ગયું હતું . ઉમામાના સતનું પછી તેઓ પાતાના ગામ તરફ જવા નીકળ્યાં . અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો . તેઓને નવાઈ લાગી . તેઓ સંઘના આગેવાનને મળ્યા . આગેવાને જણાવ્યું : “ જે દિવસથી તમે અહીંથી ગયા છો , તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે . તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય . … ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયાં . તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડીવારમાં બધા બળદો સાજા થઈ ગયા . આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો . થોડીવારમાં સંઘે પડાવ ઉઠાવ્યો . રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગામૈયાએ હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું . ઉમામાનું આવું સત જાણી લોકો તરેહ – તરેહની વાતો કરવા લાગ્યા . આમ કરતા સંઘ ગામને પાદર આવ્યો . સંઘના સામૈયા થયા . ઢોલ વાગ્યા . મંગળ ગીતો ગવાયાં . બધા ધૂન , હરિકીર્તન કરતાં કરતાં ગામમાં પ્રવેશ્યાં . ત્રણસોને સાઠ દિવસો પૂરા થયા હતા . હવે ફક્ત પાંચ દિવસ બાકી હતા . ગામના લોકોએ ગંગામૈયાએ ઉમામાનું કાપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારથી તેમનાં દર્શન કરવા ગામલોકો ખેડૂતને ત્યાં આવતા . આમ , ત્રણ – ચાર દિવસ નીકળી ગયા . છેલ્લો દિવસ બાકી હતો . છેલ્લા દિવસે ઉમામા બોલ્યાં : “ બહેન , આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ . કોઈ દિવસ ગઈ નથી , આજે તો ખેતરે જવું છે . ’ ’ ઉમામા ભાત લઈને ખેતરે ગયાં , જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા , તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયાં . ઉમામા ભાત લઈને ગયાં તે ગયાં . ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો . સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું : “ આજે ભાત કેમ મોકલ્યું નથી ? ‘ ‘

પત્નીએ જણાવ્યું : ‘ ‘ ભાત લઈને ઉમામા સવારના દસ વાગ્યાના નીકળ્યાં છે , તે તમને મળ્યાં નથી ? ‘ ‘ આ વાત જાણી ખેડૂત અને ખેડૂતપત્નીને ચિંતા થઈ . તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યાં . આખું ગામ ફરી વળ્યાં , પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહિ . છેવટે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું : “ હવે ઉમામા આવીને મને થાળી પીરશે તો જ જમું , નહિ તો ભૂખ્યો રહીશ . ’ ’ આમ કરતા ચાર દિવસ વીતી ગયા . પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું . પાંચમા દિવસે પાર્વતીજી પ્રગટ થયાં . ચાર દિવસના ભૂખ્યા પતિ – પત્ની તેમના પગમાં પડ્યાં . તરત પાર્વતીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ – પત્નીને આશીર્વાદ આપ્યા . આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યાં , ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા . આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ નવમે માસે પુત્રને જન્મ આપ્યો .

પવિત્ર પગલાં જો પડે , પાવન થાય ઘરબાર

સફળ થાય અવતાર , સુખસંપત્તિ સર્વ મળે

બોલો પુરુષોત્તમ ભગવાનની જય હવે શ્રીકૃષ્ણ ( પુરુષોત્તમ ) ભગવાનનું સંકીર્તન કરીએ .

નરસિંહ મહેતાની હૂંડી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે , શામળા ગિરધારી !

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે , શામળા ગિરધારી !

રાણાજીએ રઢ કરી , વળી મીરાં કેરે કાજ

ઝેરના પ્યાલા મોકલ્યા રે , વહાલો ઝેરના તારણહાર રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

સ્થંભ થકી પ્રભુ પ્રગટિયા , વળી ધરિયાં નરસિંહ રૂપ

પ્રહ્લાદને ઉગારિયો રે , વહાલે માર્યો હરણાકંસ ભૂપ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

ગજને વહાલે ઉગારિયો રે , વળી સુદામાની ભાંગી ભૂખ ,

દોહલી વેળાના મારા વાલમા રે , તમે ભક્તોને આપ્યાં સુખ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

પાંડવની પ્રતિજ્ઞા પાળી , વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે , તમે સુભદ્રાબાઈના વીર રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

ચાર જણા તીરથવાસી ને , વળી રૂપિયા છે સો સાત ,

વહેલા પધારજો દ્વારિકા રે , એને ગોમતી નાહ્યાની ખાંત રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

રહેવાને નથી ઝૂંપડું , વળી જમવા નથી જુવાર ,

બેટા – બેટી વળાવિયાં રે , મેં વળાવી ઘર કેરી નાર રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગરથ મારું ગોપી ચંદન , વળી તુલસી હેમનો હાર ,

સાચું નાણું મારો શામળો રે , મારી દોલતમાં ઝાંઝપખાજ રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

તીરથવાસી સૌ ચાલિયા , વળી આવ્યા નગરની માંહે ,

આ શહેરમાં એવું કોણ છે રે , જેનું શામળશા શેઠ એવું નામ

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

નથી બ્રાહ્મણ , નથી વાણિયો , નથી ચારણ , નથી ભાટ ,

લોક કરે છે ઠેકડી રે , નથી શામળશા શેઠ એવું નામ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

તીરથવાસી સૌ ચાલિયા , વળી આવ્યા નગરની બહાર ,

વેશ લીધો વણિકનો રે , મારું શામળશા શેઠ એવું નામ રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હૂંડી લાવો હાથમાં , વળી આપું પૂરા દામ ,

રૂપિયા આપું રોકડા રે , મારું શામળશા શેઠ એવું નામ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હૂંડી સ્વીકારી વહાલે શામળે , વળી અરજે કીધા કામ ,

મહેતાજી ફરી લખજો રે , મુજ વાણોતર સરખાં કાજ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે . રે .

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 1

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 2

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 3

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 4

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 5

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here