પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 8 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 8 | મુનિ મેઘાવી | સાસુ – વહુની કથા

on

|

views

and

comments

અધ્યાય આઠમો: મુનિ મેઘાવી

અધ્યાય આઠમો • સાસુ – વહુની કથા

સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે મુનિશ્રેષ્ઠો ! ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીકૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું : “ ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા , તે પછી શું બન્યું તે કહો . ઉપરાંત અર્જુન – કૃષ્ણની કથા પણ જણાવો . કેમકે અર્જુન – કૃષ્ણની કથા લોકોને હિતકારક છે . ’ ’ ભગવાન નારાયણે જણાવ્યું : “ હે નારદ , ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો , તેથી તે પ્રસન્ન થયો , સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો . હે નારદ , હવે શ્રીકૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તને કહું છું . ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા :

‘ હે ધર્મરાજા , તમે પાંચ ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો , ને પારાવાર દુઃખ વેઠી રહ્યાં છો . આ દુ : ખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ . તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો , તેમાં તમારો દોષ નથી . પોતાના ભાગ્યને આધારે માનવીને વેઠવું પડે છે . તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે . દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી . તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી . રૂપગુણમાં તે અજોડ હતી . બધી કલાઓમાં તે પારંગત હતી . એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ , એને પણ સંતાન – સુખની ઇચ્છા જાગી . વિવાહયોગ્ય થઈ ચૂકી હતી , છતાં તેનો વિવાહ થયો નહોતો . તે થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધ હોત . પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી . એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી , ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા . યોગ્ય મૂરતિયો નજરે ન પડતાં તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા . અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા .

મહામુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા . તેમનાથી ઊઠી – બેસી શકાતું નહોતું . તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા , દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ . મેઘાવી ઋષિ ભાનમાં આવતાં તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે , ‘ હૈ દીનાનાથ , હે રાધારમણ , હે રાસેશ્વર , હે રાધાપતિ , હે ગોવિંદ , સંસારસમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો . આપની કૃષ્ણ વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી . આપ મારા નિરાધારના આધાર છો . આપને હું નમસ્કાર કરું છું ! ’ પિતાની મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંબળી વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુનો ચરણકમળમાં પહોંચાડ્યો . આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી . મૈઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતાં રડતાં બોલવા લાગી : “ હું પિતા , આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા . મારે માતા , બહેન , ભાઈ બીજું કોઈ સગું નથી .

મને કોને આશ્રયે છોડીને ચાલ્યા રીતે રહી અને જીવી શકીશ ? ’ ’ ગયા ? મારી સારસંભાળ કોણ લેશે ? ‘ આ જગલમાં હું એકલી કેવી મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા . તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો . આ પછી મેધાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ , તર્પણ , દાન વગેરે કર્યું . તે આશ્રમમાં એકલી રહી , જેમ ગાય વિનાનું વાછરડું તરફડે તેમ

આશ્રયવિહોણી તે તરફડવા લાગી . સમય વીતતાં તેનું દુ : ખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું .

‘ શ્રીબૃહશારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ મુનિ મેઘાવી ’ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ ,

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ , : સાસુ – વહુની કથા

કનકપુર નામે એક ગામ . તે નદી કિનારે આવેલ હતું . તેમાં મણીબહેન તેમના દીકરા અને વહુ સાથે રહે . સવાર પડતાં દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે . મણીબહેન આખો દિવસ નવરાં , એટલે આજુબાજુ પડોશમાં જઈ વાતો કરે , ઘેર બેઠા પડોશણને બોલાવી ગપ્પાં હાંક્યાં કરે , આમ આખો દિવસ પૂરો કરે . તેમને ધર્મ – ધ્યાનમાં બહુ રસ નહોતો . ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એક્કા હતાં . તેમના દીકરાની વહુનું નામ મેના હતું . મેના ઓછું બોલતી . ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી . સમય મળે ધર્મ – ધ્યાન કરતી . એવામાં પુરુષોત્તમ માસ આવ્યો . મણીબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું .

મારી સાસુ વ્રત કરનાર છે , જાણી મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું . તેણે પોતાની સાસુને આ બાબત જણાવી , આથી મણીબહેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યાં : “ મોટી જોઈ ભક્તાણી . ઘરમાં બેસી ધર્મ – ધ્યાન કરો . નદીએ નાહવા જવાની જરૂર નથી . ’ ’ મેના સાસુની નારાજગી સમજી ગઈ . તે મૌન રહી . તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો . મણીબહેન રોજ સવારે વહેલા ઊઠી નદીએ સ્નાન કરવા જતાં . નદીએ સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરતા . કથા – વાર્તા ચાલતી હોય , ત્યાં બેસી કથા – વાર્તા સાંભળતા . બ્રાહ્મણને દાન – દક્ષિણા આપતા . આ બાજુ મેના પણ સવારે વહેલી ઊઠતી . નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી . તે સ્નાન સમયે “ હે પુરુષોત્તમ ભગવાન !

મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો . ‘ ‘ આટલું કહી નાહતાં નાહતાં ‘ હે પુરુષોત્તમ ભગવાન , હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી . તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાનીશી મૂર્તિની સ્થાપના કરી . તે દરરોજ ધૂપ , દીપ , પુષ્પ આદિ સમર્પી તેમની સ્તુતિ કરતી , આરતી કરતી . મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી . તેણે એક કહેવત સાંભળેલ કે ‘ મન ચંગા તો કથરોટમાં ગંગા ’ તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી . લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય ને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય . એક દિવસ મણીબહેન નદીએ સ્નાન કરવા ગયેલ . ત્યાં નાહતાં નાહતાં તેમની કાનની ચૂની પાણીમાં ગઈ . તે ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી , પણ કંઈ હાથ લાગી નહિ .

છેવટે કંટાળીને નિરાશ વદને ઘેર આવ્યાં . હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી , ત્યાં તેની નજરે કાનની ચૂની પડી . તેણે તે લઈને ઘરમાં મૂકી . મણીબહેને ઘેર આવી મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું ત્યારે મેનાએ કહ્યું : “ હું કથરોટમાં નાહતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ છે , તે તમે રાખો . ’ ’ મણીબહેન તે ચૂની લઈ જોયું તો તે પોતાની ચૂની હતી . તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં , પણ કંઈ બોલ્યાં નહિ . પાંચેક દિવસ ગયા હશે કે નદીમાં નાહતાં – નાહતાં મણીબહેનના હાથમાંની વીંટી સરકી જઈ પાણીમાં પડી . આ વખતે પણ મણીબહેને ઘણી શોધાશોધ કરી . નાહનાર બીજા ભાવિકોને પણ વાત કરી , તેઓ પણ શોધવા લાગ્યા , પણ કોઈના હાથમાં આવ્યાં . વીંટી આવી નહિ . છેવટે થાકીને નિરાશ થઈ મણીબહેન ઘેર આ વખતે પણ મેનાને નાહતાં – નાહતાં કથરોટમાંથી વીંટી મળી . તેને વીટી જોતાં ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે . મણીબહેન ઘેર આવતાં તરત મેનાએ તે વીંટી તેમને આપતાં કહ્યું : ‘ ‘ હું કથરોટમાં નાહી રહી હતી , તેમાંથી આ વીંટી મળી છે .

’ ’ મણીબહેન વીટીને ઓળખી ગયાં . તેઓ કંઈ બોલ્યાં નહિ કે મારી વીટી પાણીમાં પડી ગઈ છે . તેમણે મનોમન વિચાર્યું : ‘ ચૂની અને વીટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે કથરોટમાં . આમાં નક્કી કંઈ ચળીતર છે . મેના મેલીવિદ્યા જાણતી લાગે છે , અગર તે ચૂડેલ હોય . આના વગર આમ બની શકે નહિ . ‘ મણીબહેનના મનમાં ગભરાટ વ્યાપ્યો . આ વહુ અમારું ધનોતપનોત કાઢી નાખશે . અમને શાંતિથી જીવવા નહિ દે . આ તો આ વાત છે , કાલે ઊઠી તેના છોકરાઓ થાય . તેને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય . આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે . પુરુષોત્તમ માસ પૂરો થયા પછી તેની વાત . સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો . મણીબહેને તેને મીઠું – મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી . દીકરો સમજુ હતો , તેથી તે કંઈ બોલ્યો નહિ . આગળ આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું . પુરુષોત્તમ માસ પૂરો થતાં મણીબહેને ઉજવણું કર્યું . તેમણે યજ્ઞ કરાવ્યો . તેમાં ઘણા બ્રાહ્મણો , વ્રત કરનારાઓ અને સગાંસંબંધીઓને નોતર્યાં . યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત એક ગેબી અવાજ આવ્યો :

‘ હે મણીબહેન ! તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું , યજ્ઞ કર્યો , દાન – દક્ષિણા આપી , મને સંતોષવા પ્રયત્ન કર્યો , તે ઠીક છે . પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે . તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે . તેનાથી હું સંતુષ્ટ થયો છું . હું તેને આશીર્વાદ આપું છું . તેનું કલ્યાણ થશે . ’ આટલું બોલી ગેબી અવાજ બંધ થયો .

યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા . મણીબહેનને પણ સાચી વાત સમજાઈ .

બોલો પુરુષોત્તમ ભગવાનની જય

પુરુષોત્તમ માસના આ આધ્યાય પણ વાંચો અને સાંભળો

--> આધ્યાય 1 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 2 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 3 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા |  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા

આધ્યાય 8 :  મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 8 : મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here