પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 9 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 9 | દુર્વાસાનું આગમન | ગુરુ – શિષ્યની કથા

on

|

views

and

comments

સુદ ૯ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય નવમો દુર્વાસાનું આગમન

અધ્યાય નવમો | ગુરુ – શિષ્યની કથા

સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હૈ મુનિશ્રેષ્ઠો ! નારદજીએ ભગવાન નારાયણને પૃચ્છા કરી કે , ‘ મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું ? ’ તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે , મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી . એવામાં દેવેચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા . ET આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા . તે શંકરના અંશ મનાતા . તેમના ક્રોધથી કોણ અજાણ હોય ? તે કૃપા કરવામાં પણ પાછા પડતા ન હતા . નાનપણમાં કુંતા માતાએ તેમને પ્રસન્ન કરવાથી દેવોને આકર્ષણ કરનારી વિદ્યા તેમને આપી હતી .

એક વેળા તેમના ક્રોધનો ભોગ ભગવાન શ્રીકૃષ્ણ પોતે બનેલા . તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રુક્મિણી સાથે આવી રહ્યા હતા , તે વખતે રુકિમણીને સખતે તરસ લાગતા ભગવાન શ્રીકૃષ્ણે પગના આગલા ભાગથી જમીન દબાવી પાતાળગંગાને આમંત્રી રુકિમણીની તરસ છિપાવી . આથી દુર્વાસાને પોતાનું અપમાન લાગ્યું . આથી તેમણે શ્રીકૃષ્ણને શાપ આપ્યો કે , ‘ તમારા બંનેનો વિયોગ થશે . ‘ .. આવા દુર્વાસા મુનિ મેઘાવતીને આશ્રમે પધારતા તેણે દંડવત્ પ્રણામ કરી યોગ્ય સન્માન આપ્યું . પછી કહ્યું : ‘ આપનાં દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો છે . ‘ દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું : ‘ તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે . તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું . હું નારાયણનાં દર્શન કરવાના હેતુથી બદરિકાશ્રમ જઈ રહ્યો છું . ’ આ સાંભળી મેઘાવતી અતિ હર્ષ પામી . તે બોલી : “ હે મહામુનિ ! આપનાં દર્શનથી મારો શોક દૂર થયો છે . આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું . મારો કન્યાકાળ વીતી જાય છે , તેની મને ચિંતા છે . તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણિગ્રહણ કરે તેવો ઉપાય બતાવો . આ ચિંતા મને રાત – દિવસ સતાવે છે , જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાતે ઊંઘ આવતી નથી . મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું . ’ આટલું બોલી મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશાભરી મીટ માંડી હાથ જોડી ઊભી રહી . ‘ શ્રી બૃહન્નારદીય પુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ દુર્વાસાનું મેઘાવતી પાસે આગમન ’ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

ગુરુ – શિષ્યની કથા થોડા સમયથી નદીકિનારે એક ઝૂંપડીમાં ગુરુ – શિષ્ય રહે . ગુરુ જ્ઞાની અને ધર્મ – ધ્યાનમાં રચ્યા પચ્યા રહે . તેમનો શિષ્ય ગામમાં જઈ ભિક્ષા માગી લાવતો . આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા . એવામાં પુરુષોત્તમ માસ આવ્યો . નદીએ નાહવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી . આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેને અચંબો થયો . તેને ગુરુજીને આ માટે પૂછ્યું , ત્યારે ગુરુજીએ આજથી થતાં પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો . તેમણે શિષ્યને કહ્યું : ‘ ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે , જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે . આ માસમાં જે નર – નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે , કાંઠા ગોરમાનું પૂજન કરે , પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા – વાર્તા સાંભળે , યથાશક્તિ દાન કરે , પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરી ઉપવાસ કે એકટાણું , ધારણા – પારણા કરે , તો પુરુષોત્તમ ભગવાન વ્રત કરનારથી સંતુષ્ટ થઈ તેના મનોરથો પૂર્ણ કરે છે . ’ ’ ઃ શિષ્ય કહે : ‘ ગુરુદેવ , તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલ નીતિ – નિયમો પાળે તો ભગવાન સંતુષ્ટ થઈ શું આપે ? ’ ’ ગુરુજી કહે : “ જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે , એને સુખ – સમૃદ્ધિ મળે , તેનાં કષ્ટો દૂર થાય . પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે , ત્યારે બ્રહ્મભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે . ’ ’ પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું ! તેણે તો તે સમયથી સંકલ્પ કરી વ્રત ચાલુ કરી દીધું .

તે દરરોજ વહેલો ઊઠી નદીએ સ્નાન કરી , કાંઠા ગોરમાનું પૂજન કરી , કથા – વાર્તા સાંભળી , પછી ભિક્ષાર્થે ગામમાં જતો . તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે ભિખારીઓને આપી દેતો . ફળાહાર કે પાણી વડે તે ઉપવાસ ખેંચી કાઢતો . આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો . તેને ભગવાનનાં દર્શનની તાલાવેલી લાગી હતી . તેણે ઉજવણામાં અગિયાર બ્રાહ્મણોને જમવા બોલાવ્યા . તેની પાસે થોડીક પૂંજી હતી , તેનાથી તે ગામમાંથી સીધુ – સામાન લઈ આવ્યો . રસોઈ તૈયાર થઈ ગઈ હતી . તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવા શરૂ થયા હતા . તે ઝૂંપડી બહાર ‘ ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે ’ એ આશાએ ઊભો હતો . આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાનગોષ્ઠિ કરી રહ્યા હતા . આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો . તેનું શરીર કૃશ હતું . મેલાઘેલાં વસ્ત્રો પહેર્યા હતાં . ચીથરા જેવા વાળ હતા . તેના મોં ઉપર માખીઓ બણબણતી હતી . તેનો દેદાર એવો હતો કે તને જોઈને કોઈને પણ સૂગ ચઢે . તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો : “ હું ચાર દિવસનો ભૂખ્યો છું . મને ચાલવાના પણ હોંશ નથી . મને કાંઈક ખાવાનું આપો , જેથી મારી ભૂખ સંતોષાય . ’ . શિષ્ય ભગવાનનાં દર્શનની ઉત્સુકતામાં એટલો બધો રત હતો કે ભિખારીએ દર્શાવેલ બીના તરફ તેણે લક્ષ આપ્યું નહિ . ભિખારીએ ફરીથી આજીજી કરતાં તેનું લક્ષ ભિખારી તરફ ખેંચાયું . ભિખારીના દેદારથી તેને સૂગ ચઢી અને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું . છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો , જેથી તેનાથી કંટાળી શિષ્યે તેને લાકડીથી માર મારી દૂર તગેડી મૂક્યો . બધા બ્રાહ્મણો આવી જતાં , તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન – દક્ષિણા આપીને ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનનાં દર્શનની આશાએ ઊભો રહ્યો .

આમ કેટલોય સમય વીતવા છતાં ભગવાનનાં દર્શન ન થઈ શકવાને લીધે તે ગુરુજી પાસે ગયો અને જણાવ્યું : ‘ તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું . આજે છેલ્લા દિવસે બ્રહ્મભોજન પણ કરાવ્યું , છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યાં નથી . હું ક્યારનો તેમનાં દર્શનની રાહ જોતો જમ્યા વગર ઊભો રહ્યો છું . ’ ’ ગુરુજી બોલ્યા : “ હે શિષ્ય , એ શક્ય નથી . ભગવાન અવશ્ય આવશે . કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહિ હોય ! ’ ’ શિષ્ય બોલ્યો : “ હે ગુરુજી , હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું , પણ અહીં કોઈ આવ્યું નથી . એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો , તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો . ’ 37 ગુરુ જ્ઞાની હતા . તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે . શિષ્ય તેને ઓળખી શક્યો નહિ હોય . ગુરુજીએ તરત સમાધિ લગાવીને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારી સ્વરૂપે આવ્યા હતા . ગુરુજી બોલ્યા : “ હે શિષ્ય , ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા . તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહિ . ” શિષ્ય બોલ્યો : “ હે ગુરુદેવ , હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું . મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે , પણ ભગવાન આવ્યા જ નથી . ,, : શિષ્યને ગળે આ વાત ન ઊતરી , ત્યારે શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દીનભાવે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી : “ હે પુરુષોત્તમ ભગવાન ! તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા સ્વરૂપનાં દર્શન કરાવ્યા વિના જતા રહો , તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે . તેના બધા અપરાધ ક્ષમા કરી તેને દર્શન આપો કૃપાનાથ . ’ ગુરુજીની પ્રાર્થનાથી તરત પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા .

તેમના તેજનો પાર નહોતો . અનુપમ રૂપ હતું , છતાં તેના શરીર ઉપર લાકડીની મારના સોળ ઊઠેલા હતા . ભગવાનના શરીર ઉપર લાકડીના સોળ જોઈને શિષ્ય તરત તેમનાં ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માગવા લાગ્યો . ભગવાન બોલ્યા : “ હે મૂરખ શિષ્ય , મારાં સ્વરૂપ અનેક છે . હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાઉં , એ કોઈ જાણી શકતું નથી . એથી જે જીવ ઉપર દયા રાખે , એ જ મને પામી શકે છે . માટે આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે , તો તેને આદર સાથે ભોજન કરાવજે , તેને ધુત્કારી કાઢીશ નહિ . ’ ’ આટલું કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા . બોલો પુરુષોત્તમ ભગવાનની જય

--> આધ્યાય 1 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 2 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 3 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા |  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા

આધ્યાય 8 :  મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 8 : મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 9 :  દુર્વાસાનું આગમન | ગુરુ - શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 9 : દુર્વાસાનું આગમન | ગુરુ – શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here