પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 10 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 10 | દુર્વાસા – મેઘાવતી સંવાદ | ગંગાસ્નાનની કથા

on

|

views

and

comments

સુદ ૧૦ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય દશમો દુર્વાસા – મેઘાવતી સંવાદ

અધ્યાય દશમો 10 ગંગાસ્નાનની કથા

સૂત બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે તમને કહું છું તે સાંભળો . મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું : ‘ આજથી ત્રીજે મહિને પુરુષોત્તમ માસ આવે છે . આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થસ્તાનમાં સ્નાન કરે તો બ્રહ્મહત્યાથી તે મુક્ત બને છે . બીજા બધા મહિના , પખવાડિયાં કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી . તેથી તું આ માસમાં વ્રત , પૂજન , દાન વગેરે કરજે . હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું . ’ પોતાનો એક દાખલો આપતાં દુર્વાસાએ જણાવ્યું કે , ‘ એક વખત અંબરીષ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી . તે વેળા શ્રીહરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું , પણ પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેમાંથી ઊગરી ગયો હતો . એટલે મારી તો તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર . દુર્વાસા મુનિનાં આ વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યાં . તેણે કહ્યું : ‘ હે મહામુનિ , બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો ? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય , શંકર , ગણપતિ , જગદંબા આદિ દેવ – દેવીઓ મન – વાંચ્છિત ફળ આપનાર છે . હું તો શ્રીરામ અને શંકર ભગવાનને શ્રેષ્ઠ માનું છું . હું રાત – દિવસ તેમનું ધ્યાન ધરું છું . એ મારાં દુઃખો નહિ કાપે ? આપ પુરુષોત્તમ માસનાં આટલાં બધાં વખાણ કેમ કરો છો ? ‘

મેઘાવતીનાં આ વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધથી લાલચોળ થઈ ગયા , છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શાપ આપ્યો નહિ . તેમણે વિચાર કર્યો કે , આ બાળક બુદ્ધિ છે . તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી . વળી તે શોકમાં ડૂબેલી છે , એટલે તે મારા શાપને સહન કરી શકશે નહિ . તેમણે દયા લાવી કહ્યું : “ હે ભાગ્યહીન છોકરી ! તું મારા મિત્રની પુત્રી છે , તું સારાસાર સમજી શકતી નથી , તેનું મને દુઃખ છે . તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે , તે ઠીક નથી કર્યું . હું તો બદરિકાશ્રમ જાઉં છું . તારું કલ્યાણ થાઓ . પણ શુભ કે અશુભ , જે થવાનું હોય છે , તેને કોઈપણ ટાળી શકતું નથી . ’ ’ દુર્વાસા મુનિ તો જતા રહ્યા . પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે , તે મુનિકન્યા ઝાંખી પડી ગઈ . લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શંકરનું આરાધન શરૂ કર્યું . કેમકે તે માનતી હતી કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનાર છે . ‘ શ્રી બૃહશારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ દુર્વાસા મેઘાવતી સંવાદ ’ નામનો દશમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ . ગંગાસ્નાનની કથા એક ગામ હતું . તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે . દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો . તેની વહુ આવી , એટલે બ્રાહ્મણે દેવદર્શન , પૂજા – પાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું . કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે બે પૈસાની મૂડી થઈ હતી . તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીરતો . ખેડૂત પાક પાકતાં , તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો . બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘેર આવ્યો , ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી નહોતી , આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો .

વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે તો કોઈને કહ્યા વગર પિયર ચાલતી પકડી . બ્રાહ્મણનો દીકરો ઘેર આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી . તેને પણ થયું કે ભલે ગઈ તેના પિયર , ચાર દિવસ રહી તે તેની મેળે અહીં આવી જશે . એક કરતા પુરુષોત્તમ માસ નજીક આવ્યો . બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું : “ દીકરા , બે દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે . હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું . તારી મા હતી એટલે મને કાંઈ વાંધો આવતો નહોતો . હવે તારી મા નથી . આ વખતે મારે વ્રત હશે . નદીએ કથા – વાર્તા કહેવા રોકાવું પડશે , કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે ; એટલે એકટાણું – ભોજન બનાવવાની તકલીફ રહેશે . તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ , જેથી તે ઘરનું કામકાજ સંભાળશે , તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ . ’ ’ દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો . રસ્તામાં એક ખેતર આવ્યું . ખેતરમાં મજાનો પાક થયો હતો . સરસ મજાના પાકને જોઈને તેનું દિલ ઠર્યું . ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી . તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે . ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા , આ વાતની તેને ખબર હતી . ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે ‘ આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે . રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે . જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જાય , પછી ખેડૂત ખાય શું અને પૈસા ક્યાંથી ભરે ? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ . ’ બ્રાહ્મણનો દીકરો હજુ આવો વિચાર કરે છે ત્યાં તો ધનજી પટેલ આવી પહોંચ્યો . તેણે તરત ચાડી ખાધી : “ પટેલ આ ગાય

રોજ આવીને ચરી જતી હશે . આજ તો મારી મારીને ખો ભુલાવી દો . પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ . પાક વેડફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે ? ’ ’ ધનજી પટેલના હાથમાં લાકડી હતી , એટલે એમણે તો ચરતી ગાયને ધબોધબ ધીબવા માંડી . ગાય મારને કારણે મરણતોલ દશામાં બેસી પડી . તે હવે ઘડી – બે – ઘડીની મહેમાન હતી . મરતાં પહેલાં ગાયને વાચા આવી . તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો : “ બ્રાહ્મણપુત્ર ! તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો , અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું . હવે તારા કર્મના ફળરૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ . ’ ’ આ શાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો , તે ગભરાયો . આ તો ગાય માતાનો શાપ ! કોઈ કાળે મિથ્યા ન થાય . તે તો ગાયનાં ચરણોમાં ઢળી પડ્યો ને કરગરવા લાગ્યો : ‘ ‘ હે ગાયમાતા ! મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે . મને ક્ષમા કરો . મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું , પણ આ શાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાવ . ’ ’

ગાય બોલી : “ તું તારે સાસરે જઈશ , ત્યાં તું ગધેડો બની જઈશ . હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડી છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે , પોતે સ્નાન કરે અને તને ખવડાવીને એકટાણું કરે , તો તેના પુણ્યપ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ . ’ ’ GE આટલું કહ્યા પછી ગાય તો મરી ગઈ . બ્રાહ્મણપુત્ર ભાંગેલા પગે સાસરે ગયો . તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા . તેઓએ માન્યું કે , હવે કેવા ઢીલા થઈને તેડવા આવ્યા છે ! બ્રાહ્મણપુત્રે ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી . તેનો શાપ અને તે શાપમાંથી મુક્ત કેમ થવાય , તેનો ઉકેલ બધું જણાવ્યા પછી તે તરત ગધેડો થઈ ગયો . વહુ ધર્મનિષ્ઠ હતી . એ ગધેડાને લઈને સાસરે આવી . પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવે , પછી પોતે સ્નાન કરી વાર્તા સાંભળે . ગધેડાને ખવડાવીને ખાય . લોકો આ બધું જોઈને ઠઠ્ઠા – મશ્કરી કરે . પણ વહુ તો એ ભલી અને એનું વ્રત ભલું . આવી રીતે રોજ વહુ ગધેડાને ઈ નદીએ જાય , તેને નવડાવે , પોતે નાહી લે . આ વાત ત્યાંના રાજાને કાને ગઈ , રાજાએ સિપાઈઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો .

વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ . રાજા ઝરૂખામાં ઊભા હતા . બહાર ગધેડો બાંધેલ હતો . વધુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી , પછી રાજાને ઉદ્દેશીને કહ્યું : ‘ ‘ મહારાજ ! મારો ગધેડો મને પાછો આપો , તેને નવરાવી તેમજ ખવડાવી પછી મારે જમવાનું ીમ છે . ’ ’ રાજા કહે : “ તું નદીએ જઈ ગધેડાને નવડાવે , તેથી ગંગ નદીનું પાણી ખરાબ થઈ જાય છે . ગંગા નદીમાં બધા જ લોકો હાય છે . આ પુરુષોત્તમ માસ છે , એટલે નાહનારની સંખ્યા અધિક છે . તેમાં તું આ ગધેડાને નવરાવે તે યોગ્ય નથી . ’ ’ વહુ બોલી : “ હે મહારાજ ! મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી , પણ દેવતાઈ છે . એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારે ઘેર આવજો . ‘ ‘ રાજાના દિલમાં દયા આવી . તેમણે ગધેડો વહુને સોંપી દીધો . નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી – ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો . હવે તે ગાયમાતાના શાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો . વહુએ ગંગાજળનો લોટો ભરી લાવી ગધેડા પાસે ઊભા રહી પ્રાર્થના કરવા લાગી : “ હે પુરુષોત્તમ ભગવાન ! જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાયમાતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ પાછો આપો .

’ ’ આટલું કહી તેણે ત્રણ વાર જળ તેના ઉપર છાંટ્યું , જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો . બીજા દિવસે રાજા – રાણી વહુને ઘેર આવ્યાં . તેમણે કોઈ સાથે વાતો કરી રહી આજુબાજુ નજર કરી તો યુવાન હતી , તે જોયું . વહુની નજર રાજા – રાણી ઉપર પડતાં તે તરત ઊભી થઈ રાજા – રાણી પાસે જઈ નમન કરવા લાગી . પછી પોતાના પતિને પણ રાજા – રાણીને નમન કરવા કહ્યું . છેવટે વહુએ બધી વાત કરી . પુરુષોત્તમ માસના વ્રત – સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા – રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો , ગામલોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી . ગંગાજળ સમ જળ નહિ , જે પાપ બધાનાં ધોય પતિતને પાવન કરે , જે સ્નાન કરતા હોય બોલો પુરુષોત્તમ ભગવાનની જય

⏯️આંબુડું જાંબુડું ગીત ગુજરાતીમાં | ambudu jambudu in gujarati lyrics | gormanu git |

👉 ગોરમાનું ગીત સંભાળવા અહી ક્લિક કરો

પુરુષોત્તમ માસ મહિમાવલી |108 manka | purushotam Mass mahimavali | ૧૦૮ મણકાની માળા

👉 ગોરમાનું ગીત વાંચવા અહી ક્લિક કરો

👉 પુરુષોત્તમ માસ મહિમાવલી | purushotam Mass mahimavali | ૧૦૮ મણકાની માળા | lyrics in gujarati

--> આધ્યાય 1 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 2 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 3 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા |  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા

આધ્યાય 8 :  મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 8 : મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 9 :  દુર્વાસાનું આગમન | ગુરુ - શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 9 : દુર્વાસાનું આગમન | ગુરુ – શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here